Page #1
--------------------------------------------------------------------------
________________
ઉજજ્યન્તગિરિની ખરતર–વસહી
મધુસૂદન ઢાંકી
ઉજજયન્તગિરિના અધિષ્ઠાતૃદેવ, જિન અરિષ્ટનેમિના પ્રાસાદની જગતના ઉત્તર દ્વારેથી ઉતરતાં હેઠાણ ભાગે ડાબી બાજુએ જે પહેલું મોટું મંદિર આવે છે તે વતમાને “મેલવસહી' વા “મેરકવસહી કે “મેરકવશી' નામે ઓળખાય છે: પરંતુ આ અભિધાન ભ્રમમૂલક છે; કેમકે જે બે'એક ચૈત્યપરિપાટીકારે “મેલાગર' (મેલા સાહ) ના મંદિરને ઉલેખ કરે છે તે મંદિર તે તમના કથન અનુસાર “ધરમનાથ” (જિન ધર્મનાથ)નું હતું, કેવળ નાની દેહરા રૂપે જ હતું, અને તેનું સ્થાન નેમિનાથની જગતીના પૂર્વારની પાસે કયાંક હતું. જ્યારે આ કહેવાતી “મેલક વસહી” તે ઉત્તરદ્વારથી હેઠાણમાં રચાયેલ મારું બાવન જિનાલય છે અને તે અષ્ટ ૧દ અને સમેતશિખરને ભદ્રપ્રાસાદે, ગૂઢમંડપ, અને રંગમંડપની રચનાઓ ઉપરાન્ત “પંચાગવાર” અને “નાગબધુ' ઇત્યાદિ ચમત્કૃતિભરી આકૃતિઓની કરણવાળી, તેમ જ અન્ય વાસ્તુશાસ્ત્રોકત પ્રકારાવાળી સરસ છતાથી શોભાયમાન મંદિર છે. પંદરમા શતકના ઉત્તરાર્ધના ચૈત્યપરિપાટીકારે આ મંદિરનું ખૂબ હાશપૂર્વક અને વિગતે વર્ણન કરે છે, જે સર્વ તે વર્તમાન મંદિરની રચના સાથે મળી રહે છે, જે વિષય અહીં અગાઉ ઉપર જોઈશુ. ચૈત્યપરિપાટીકારોએ આ મંદિરને સ્પષ્ટતયા “ખરતર-વસહા” કહ્યું છે અને તેના નિર્માતા તરીકે ભણસાલ નરપાલ સંઘવીનું નામ આપ્યું છે.
પ્રસ્તુત ખરતર-વસહીની નિર્માણમિતિ ખરતરગચ્છીય ઉપાધ્યાય જયમ સ્વરચિત “જયસાગરોપાધ્યાય-પ્રશસ્તિ”માં સં. ૧૫૧૧/ઈ.સ. ૧૪૫૫ બતાવે છે; પરંતુ રાણકપુરના ધરણુવિહારમાં સ્થિત, સં. ૧૫૦ ઈ.સ. ૧૪૫૧માં બનેલા “શત્રુંજય-ગિરનાર શિલા પટ્ટમાં પણ ગિરનાર પરની આ ખરતર-વસહીનું અંકન કરેલું હાઈ પ્રસ્તુત વસહી તે પૂર્વે બંધાઈ ચૂકી હવા જોઈએ - આ મંદિર વિષે બીજી એક ખોટી કિંવદતી, જે સામ્પ્રતકાલિન વેતામ્બર જૈન લેખકે અનવેષણ કર્યા વગર લખે જ રાખે છે,–તે એ છે કે સજજન મંત્રાએ ટીપ કરીને તૈયાર રાખેલું નેમિનાથ મંદિરના નિર્માણ-ખર્ચ જેટલું દ્રવ્ય જયસિંહદેવ સિદ્ધરાજે ગ્રહણ ન કરતાં તેને ઉપયોગ આ મંદિરને બંધાવવામાં થયો હતા; પણ આ મંદિર સમ્બદ્ધ કોઈ જ સમકાલિક કે ઉત્તરકાલિક ઉલ્લેખ આ માન્યતાનું સમર્થન કરતા હોવાનું જ્ઞાત નથી. મંદિરની શૈલી તો સ્પષ્ટતઃ ૧૫ મા સૈકાની છે.
મંદિરના મૂલગભારામાં વર્તમાન સં. ૧૮૫૯ ઈ.સ. ૧૮૦૩માં વિજય જિનેન્દ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત સહસ્ત્રફણા-પાર્શ્વનાથ મૂળનાયક રૂપે વિરાજમાન છે; પણ ૫ દરમાં શતકમાં તે તેમાં સ-તારણ પિત્તળની, સોનાથી રસેલ, “સેવનમય વીર’ની પ્રતિમા અધિનાયક રૂપે પ્રતિષ્ઠિત હતી; અને તેની અડખેપડખે શાન્તિનાથ અને પાર્શ્વનાથની પિત્તળની કાર્યોત્સર્ગ પ્રતિમાઓ હતી તે ચૈત્યપરિપાટીકારના કથન પરથી નિર્ણય થાય છે. મૂલનાયકની પ્રતિમા “સંપ્રતિકારિત” હેવાનું તપાગચ્છીય હેમહંસગણિ, શવરાજ સંધવાની યાત્રાનું વર્ણન કરનાર ત્યપરિપાટીકાર, ખરતગચ્છીય રંગસાર, તેમજ કરણસિંહ પ્રાગ્વાટ પણ કહે છે. આ ઉપરથી આ મંદિર તે કાળે સંપ્રતિ રાજાનું મંદિર કહેવાતું હશે. પણ હાલમાં તે આ મંદિરની સામેની ધાર પર આવેલ, ખંભાતના શ્રેષ્ઠીવરે શાણરાજ અને ભવે ઈ.સ. ૧૪૫૯માં બંધાવેલ, અસલમાં જિન વિમલનાથના, મંદિરને સંપ્રતિ રાજાનું મંદિર હેવાનું
Page #2
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી
૨૧૩
પ્રસ્તુત ખરતરવસહીના બનાવનારાઓએ ઉપલબ્ધ જગ્યાના ખની શકે તેટલે ઉપયોગ કરી, તેમાં ખાવન જિનાલયના તળચ્છ ંદ લાઘવપૂર્વક સમાવી લીધા છે, ઘાટવાળા, પણ અલ્પાલ કૃત સ્તંભા અને દ્વારવાળી મુખચેકી વટાવી અંદર પ્રવેશતાં સૌ પહેલાં મુખમડપ કિવા અગ્રમંડપ આવે છે. તેમાં ‘પ’ચાગવાર’જ (ચિત્ર ૧) અને ‘વાસુદેવ-ગેાપ-લીલા' ચિત્ર ૨)નાં આલેખતા કંડારેલાં છે. (આમા કલેવરાની મહમૂદ બિધરાતા આક્રમણુ સમયે ખ'ડિત થયેલ મુખાકૃતિને સં. ૧૯૩૨/ઈ.સ. ૧૮૭૬ના કેશવજી નાયકના ાિર સમયે ફરીને ધડી વણુસાવી મારી છે.) અહીં કેટલીક બીજી પણ સારી (અને વાસ્તુશાસ્ત્રોક્ત) છતા છે, જેમાંથી નાભિનંદારક' વની એક અહીં ચિત્ર ૩માં રજૂ કરી છે.
મુખમંડપ વટાવતાં તેના અનુસધાને કરેલ ૨ ગમડપમાં જોવા લાયક વસ્તુ છે તેને ‘સભાપદ્મ-મ દારક' તિના મહાવિતાન (ચિત્ર ૪). અહીં રૂપકંઠમાં કલ્યાણુકાના, અને જિનદર્શીને જતા લેક સમુદાયના, દેખાવા કંડાર્યા છે (ચિત્ર ૫-૬). તે પછી આવતા ત્રણ ગજતાળું, અને ત્યાર બાદ બહુ જ ઘાટીલા 'કાલ'ના પણ ત્રણ થરા લીધા છે, જેનાં પડખલાંએમાં સુરેખ રત્નેની ઝીણી કંડાર શાભા કાઢી છે (ચિત્ર ૪); અને 'વજ્રશૃગેા'માં કમળપુષ્પા ભર્યાં છે (ચિત્ર ૪). આ થરા પછી ૧૬ ‘લૂમા' (લાંખસા)ને પદ્મ આવે છે. તે પછી (હાવી ધટે ત) અસલી ‘પદ્મશિલા'ને સ્થાને આધુનિક ÌÍ. ધારમાં રૅામક શૈલીનુ ‘લમ્બન' ખેાસી, સેાનાની થાળીમાં લેાઢાની મેખ મારી છે! આ મુખ્ય વલયાકાર મહાન વિતાનના બહારના પ્રત્યેક વિકવિતાના (તરખુણીયા)માં મેટું અને માતબર પ્રાસમુખ કારેલું છે (ચિત્ર ૭).
રગમંડપ પછી ‘ચેકી’ કરેલી છે; પણ તેનું તળ ઊંચું લેવાને બદલે ર ંગમંડપના તળ ખરાખર રાખવાથી વાસ્તુ વિન્યાસ અને એય આંતર શનના લય નબળા પડી જાય છે, રસરેખા છન્દ પશુ વિલાઇ જાય છે. અહી કેટલીક ઘુમટીએ કરી છે ઃ તેમાની એકના ‘નાભિચ્છન્દ' જાતિના વિતાનના ઉપાડ બહુ જ જીવાળ અને સુશ્લિષ્ડ સેાની પંક્તિથી કર્યાં છે (ચિત્ર ૮). ૨'ગમ`ડપ તેમજ ચેકીનાં સ્તમ્ભોમાં ઘેાડીક જ કારણી કરેલી હાઈ, વિતાનાને મુકાબલે (અને વિરાવાભાસથી) તે સૌ શુષ્ક લાગે છે.
છ ચોકીમાં ગૂઢમંડપ'નું મુખ્ય કારણીયુક્ત સપ્તશાખાદાર પડે છે (ચિત્ર ૧૦), જેના ઉંબરનુ આરસનું માણુ અલખત આધુનિક છે. દ્વારાની બન્ને બાજુએ, મથાળે ઈલ્લિકાવલણુ’ના મેડ યુક્ત, લફ્ની (ચિત્ર ૯) અને સરસ્વતીની મધ્યમૂર્તિવાળા મઝાના 'ખત્તક' (ાખલા) કાઢવા છે,
ગૂઢમંડપની બહારની ભિત તત્કાલીન શિલ્પ-પર ધરાને અનુકુળ અને વાસ્તુશાસ્ત્રોમાં વર્ણવી હશે તેવી, ધાટ અને રૂપાદિ અલ કારયુક્ત રચના બતાવે છે (ચિત્ર ૧૧). આમાં ‘કુમ્મા' પર યક્ષયક્ષીઓ-વિદ્યાદેવીએ, અને ‘૪ ધા’માં દિક્પાલા, અપ્સરાએ અને ખડ્ગાસન જિનમૂર્તિ કડારલી છે, જેમાંની ઘણી ખરી ખડિત છે. ૫ દરમા શતકના અન્યત્ર છે તને મુકાબલે અહીની કેટલીક મૂર્તિઓ —ખાસ કરીને દિક્પાલાદિની મૂર્તિ-ના કામમાં લચકીલપણું જરૂર દેખાય છે; મૂર્તિઓ ખંડિત હોવા છતાં.
ગૂઢમંડપની અંદરના ભાગમાં દિવાલેમાં ગાખલાએ કર્યાં છે, તે પ્રાચીન છે (જો કે તેમાં અસલી મૂર્તિ એ રહી નથી); પણ માટી તિ તા મૂળ અલંકૃત વિતાનને હટાવી તે સ્થળે છÌહારમાં
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ઉજજયન્તગિરિની ખરતર-વસહી આધુનિક ઘુમ્મટ કરી નાખે છે, તે છે. ગૂઢમંડપનાં પડખાનાં (ઉત્તર-દક્ષિણ) દ્વારે જે કે મૂળ દ્વારને મુકાબલે ઓછી શાખાવાળાં હોવા છતાં તેમાં વેલનું કંડાર-કામ સુઘડ અને સુચારુ છે (ચિત્ર ૧૧).
મંદિરના મૂળ પ્રાસાદને સોળમા શતકના અને કે સત્તરમા સૈકાના પ્રારંભે આમૂલચૂલ દૂર કરી તેને સ્થાને નવો બનાવેલો છે; અને તેમાં રૂપકામને બદલે પબન્ધ કર્યા છે (ચિત્ર ૧૨), જેમાં વચેટ પુછપબધમાં મુઘલાઈ કારિગરીને પરામર્શ વરતાય છે. અહીં જે નરપાલ શાહ કારિત પ્રાસાદ હતું તેનું (વાસ્તુશાસ્ત્રોક્ત) અભિધાન રત્નસિંહસૂરિશિષ્ય “શ્રીતીલક” જણાવે છે; ઉપાધ્યાય જયસમ તેને “લક્ષમી તીલક” નામક “વરવિહાર' કહે છે. (વસ્તુતયા બને અભિધાને એકાÁવાચી છે.૫) પણ પાછળ જોઈ ગયા તેમ આ પ્રાસાદના મંદિરની બહિરંગની મૂતિએ ખંડિત થવાથી તેને પૂર્ણતયા કાઢી નાખી, શહેનશાહ અકબરના જમાનામાં ન પ્રાસાદ કર્યો, જે કે ગૂઢમંડપને ખંડિત મૂતિઓ સાથે મૂળ અવસ્થામાં યથાતથા રહેવા દીધેલ. બિકાનેરના રાજાના મંત્રી, અકબર-માન્ય કર્મચન્દ્ર બછાવતે, ખરતરગચછીય જિનચન્દ્રસૂરિ (ચતુર્થ)ના ઉપદેશથી, શત્રુંજય-ગિરનારતીર્થમાં પુનરુદ્ધારાથે દ્રવ્ય મોકલેલું તેવી નોંધ મળે છે.૬ કરમચંદ બરછાવત ખરતરગચછની આના યના શ્રાવક હાઈ સ્વાભાવિક રીતે જ, તેમનું દ્રવ્ય ગિરનાર પર તો “ખરતરવસહી ”ઉદ્ધારમાં વપરાયું હશે; અને પ્રસ્તુત ઉદ્ધારમાં ખાસ તો મૂલપ્રાસાદ ન થાય તે જ ઘટના બની હશે તેમ જણાય છે.
મંદિર ફરતી બાવન કુલિકાઓ છે. તેમાં ધ્યાન ખેંચે તેવી તે ત્રણ જ, અને માટી, દેહરીઓ છે. તેમાં પણ ગૂઢમંડપના દ્વાર દક્ષિણે, “અષ્ટા પદ'ની રચના ધરાવતા, ભણસાલી જગે કરાવેલ, “ભદ્રકાસાદ” અને એ રીતે ઉત્તર બાજુએ સમેતશૈલ (વા નદીશ્વર)ની રચનાઓને આરસથી મઢીને તેનાં મૂળ સ્વરૂપને નષ્ટ કર્યું છે. દક્ષિણ તરફના અષ્ટાપદવાળા ભદ્રપ્રસાદની તો દિવાલો પણ નવી થઈ ગઈ છે; છતાં અહીં ધ્યાન ખેંચે તેવી, અને બહુમૂલ્ય કહી શકાય તેવી, એક અસલી સંરચના રહી ગઈ છ ઃ તે છે તેને “સભામદારક’ જતને વિતાન પકવા કરાટક (ચિત્ર ૧૪), અહી' રૂપક ઠમાં બહુ જ સરસ, સચેત ભાસતા ચક્રવાકાની આવલિ કાઢી છે, અને આતરે આતરે ૧૬ વિદ્યાદેવીને ઊભવાના ૧૬ ઘાટીલા, વિદ્યાધરા સાથે સ લગ્ન એવા મદલ ધેડા) કર્યા છે ચિત્ર ૧૫). મહાવિદ્યાઓના મતિએ અલબત ખંડન બાદ દૂર કરવામાં આવી જણાય છે.) આ પછી ગાજતાલુના ત્રણ સુઘટિત સ્ત રા. અને તે પછી બે નવખ ડા-ગાળ ગાળે પદ્મવાળા-કાલ(કાયલા)ને થર છે, જેના દર્શન ભાગની રણ ૨ ગમંડપને કાલ સદા છે. અને તે પછી, કરાટકના મહેલા ભાગવી શરૂ થતી, પાચ આણ યાળા અને સાદા પાદડાથા કાચલ અને ઝીણું કિનારીથી મઢેલ કાલના ક્રમશઃ સંકોચાતા જાળીદાર પાચ થરવાળી, ખૂણા ખૂણે, ન છૂટા છૂટા વરલ, પાવણના પુષ્પ સહિતની અને કેન્દ્રભાગે લટકતા પદ્મકેસરયુક્ત મનહર પદ્મશિલા કરે છે (ચિત્ર ૧૪).
સામે ઉત્તર બાજુએ પ્રતિવિન્યાસે કરેલા સમેતશૈલ (વા નન્દીશ્વર) ભદ્રપ્રસાદની મૂળ ભીંતે કાયમ છે (ચિત્ર ૧૩). તમાં વેદિબલ્પના કુ-કલશને મણિબધ અને રત્નાલંકારથી ખૂબ શોભિત કર્યા છે અને અંધામાં પણ દેવરૂપલાદિ કર્યા છે. પણ તેમાની ખંડિત થયેલ તે મુખાકૃતિઓ ઇત્યાદિ પુનરુદ્ધારમાં ટોચીને બગાડી માર્યા છે. અંદરના ભાગમાં જોઈએ તે અહીં પણ દર્શનીય વસ્તુ છે, પ્રાસાદને સમ-પદ્મ-મંદારક કોટક (ચિત્ર ૧૭.) આ મહાવિતાનમાં જતાળ અને કોલના થર આમ તો રંગમંડપને થરે દેશ છે. પણ થરને તળભાગ વિશેષ અલકત છે. રૂપકંઠમાં પંચકલ્યાણક અને વિદ્યાધરને બદલે તાડિકાની ટેકણવાળા ૧૬ પ્રલમ્બ મદલે કર્યા છે
Page #4
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી
૧૫
(ચિત્ર ૧૮), રૂપકડની નીચે, સામેના ભદ્રપ્રાસાદના વિતાનમાં, મણિપટ્ટિકા છે [ચિત્ર ૧૫]; જ્યારે અહી વેલ કાઢી છે [ચિત્ર ૧૮], મહાવિદ્યાએનાં બિબ અહીં પણુ અદૃષ્ટ થયાં છે; અને નીચેના બે ગજતાલુના થરાની પટ્ટીઓના તળિયાંના ભાગે પુષ્પાવલિ અને ત્રીજા થરે ઝીણી ઝીણી ઘટિકાઆની શ્રેણી કરેલી છે (ચિત્ર ૧૮). ર'ગમંડપમાં છે તેમ અહીં પણ કરાટકના મધ્યભાગમાં ૧૬ લૂમાના વલયાકર ઊંડા પટ્ટ, અને તે પછી શરૂ થતી પદ્મશિલા દક્ષિણ ભદ્રપ્રાસાદના વિતાનની પદ્મશિલાને મળતી જ છે; ફેર એટલે કે અહી... પાયણાને સ્થાને ચંપક અને અર્ક (આંકડા)ના પુષ્પા છંટકાવ છે, અને કેન્દ્રભાગે પકેસરને બદલે કમળના પુટ દીધે છે (ચિત્ર ૧૭).
અષ્ટાપદ અને સમ્મેતશિખરકે નન્દીશ્વર-દ્વીપના ભદ્રપ્રાસાદાના કરાટકે જોતાં લાગે છે કે ર્ગમાઁડપની મૂળ પદ્મશિલા પણુ જો સાબૂત હેત તે તે પણ કેવી અદ્ભુત લાગત. વસ્તુતયા પંદરમી શતાબ્દીમાં ગિરનાર પરની ખરતરવસહીની અને ત્યાં અન્યત્ર છતેમાં જે કામની સફાઈ, ઝીણવટ, નાજુકતા, અને નમનીયતા છે તેના મુકાબલા નથી. એની સામે રાજસ્થાનમાં રાણકપુર, વરકાણા, હમ્મીરપુર, દેવકુલપાટક (મેવાડ-દેલવાડા), દેલવાડા, અને ચિત્તોડગઢમાં જોવા મળતું સમાન્તર એવું સમાકાલીન કામ ધીંગુ, છીછરું, અને કલ્પનાવિહીન જણાય છે.
દક્ષિણ તરફના ભદ્રપ્રાસાદમાં પદ્મશાલાના સ્તમ્ભાન્તરમાં સુંદર કારણીયુક્ત ખેડવાળી અંધ’ (અદ્રિ) જાળી ભરાવેલી છે (ચિત્ર ૧૬). જ્યારે મૂલપ્રાસાદના ગસુત્રે રહેલ પશ્ચિમ તરફના ભદ્રપ્રાસાદનું માવાળ ખુલ્લું છે. ચૈત્યપરિપાટીકાર હેમહંસ ગણુ તેને શત્રુ જયાવતાર'ના પ્રાસાદ કહે છે, તેના નિર્માતા વિષે જાણવા મળતું નથી. પર્વતની મેખલા(ધાર)ને સાવ અડીને કરેલે! આ ભદ્રપ્રાસાદ સાદો હાઈ શિલ્પની દષ્ટિએ તેમાં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી. (આ ત્રણે ભદ્રપ્રાસાદા અહીંની અન્ય દેહરીને મુકાબલે ઘણા મોટા છે.) દેવકુલિકાઓ (દેહરીએ)માં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી; (કેટલીક તા વચ્ચે ભી'તા કર્યાં સિવાયની સળંગ છે.) આ સિવાય પશ્ચિમ તેમજ ઉત્તર બાજુની દેહરીના ગભારાનાં, અને તેને લગતી પટ્ટશાલાઓનાં વિતાને, તેમાંયે ભમતીના વાયવ્ય ભાગની પદ્મશાલાનાં વિતાના, તેા પંદરમા શતકની વિતાન-સર્જનકલાની પરાકાષ્ઠા દાખવી રહે છે. આમાંથી દશેક જેટલા ચૂનંદા નમૂનાઓ અહી... મૂળ ચિત્રા સાથે અવલેાકીશું'. ચિત્ર ૧૯માં દર્શાવેલ સમતલ વિતાનમાં વચ્ચે કમલપુષ્પ કરી, ફરતી એ પટ્ટીમાં સાસેહાગણ જેવા ભાસતા છ પાંખડીવાળાં ફૂલાની હાર કાઢી છે, (જેવા પછીથી અમદાવાદ પાસેની ઈ.સ. ૧૫૦૦-૧૫૦૧માં બધાયેલી સુપ્રસિદ્ધ અડાલજની વાવના શૈાભનાંકામાં મળે છે.) વચ્ચેના ભાગની ચેારસાઈને રક્ષવા, અને એનીલ'બચારસાઈ તાડવા, એ બાજુએ કુંજરાક્ષની પટ્ટી કરી છે. તે પછી ઉપસતા ક્રમમાં સદાસાહાગણુની ફરીને પટ્ટી કરી છે. છેવટે ભારપટ્ટોને તળિયે ચારે બાજુ મેટાં પદ્માની કારણી કરી છે. ચિત્ર ૨૦માં ચાદાર પહેાળી પટ્ટીમાં સામંજસ્યના વિન્યાસપદે ચાખડા બાર કાલ કર્યાં છે, અને વચ્ચે જતાલુના થર આપી ઊંડાણુમાં એવું જ, પણુ જરા મેટું, મણિટ્ટિકાથી બાંધેલ ચોરસ ક્ષેત્રમાં, ચાખડુ કાલ કર્યુ છે. આવા છન્દની એક પરિવત નાયુક્ત, મૂળે ફરતાં મોટાં આઠ ચેખડા કેાલ અને વચ્ચેાવચ્ચ ક્ષિપ્ત-પ્રક્રિયાથી કરેલ (નવખંડમાં ચોખંડ કાલ ઉતારેલ હશે તેત્રા) કિંતાનને વયલા ટુકડો માત્ર જ બચી ગયા છે (ચિત્ર ૨૧).
ઉપર કથિત બે પ્રકારાનુ વિશેષ વિકસિત દૃષ્ટાન્ત હવે જોઈએ. ચિત્ર ૨૩માં સમતલ પટ્ટમાં સામ`જસ્ય-ન્યાસમાં ૨૫ પૂર્ણભદ્ર કાલના સંધાન ભાગે પદ્મ-પુષ્પાના ઉડાવ કરેલા છે; જયારે ચિત્ર
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ઉજજયન્તગિરિની ખરતર વસહી ૨૨માં આવા કેલની સંખ્યા વધારીને પાંચ અને ચારને ગુરુ લઘુ ક્રમ પ્રય છે અને તેમાં છેલ્લે ફરતાં અર્ધકાલની હાર કરી છે. કેલના સંધાન ભાગે છ પાંખડીવાળા બહુ જ સરસ સદાહાગણનાં, સજીવ ભાસતાં, મેટાં ફૂલે છાંટેલાં છે, જેમાંના ઘણાખરાં દુર્ભાગ્યે ખંડિત થયાં છે. આ પ્રકારના છન્દવિન્યાસનું આગળ વધેલું દષ્ટાન્ત તે કેલને સ્થાને, ૧૧૪૯=૯૯ કુંજર ક્ષે સમતલમાં ઉતારીને, તેના સંધાનભાગ ચાર પાંખડીઓનાં પુષ્પોથી ભરી લીધા છે. (ચિત્ર ૨૪). એ જ હૈતવ (motif) અને ન્યાસનું ઝીણવટ ભર્યું, પરિવર્તિત રૂ૫ ચિત્ર ૨૫માં બતાવેલ સમતલ વિતાનમાં જોવા મળે છે. ત્યાં છેવટે ફરતી મણિપટ્ટી કાઢી છે.
ચિત્ર ૨૬માં ફરીને ખંડા કેલના પ૪૪ના વિશ્વાસે કરેલ સમતલ વિતાનમાં ગાળે ગાળે વતુંલથી સીમિત કરેલ મોટાં પુષ્પો ઠાંસ્યાં છે.
ભમતીના બિલકુલ નૈઋત્ય ખૂણામાં રહેલા (ચિત્ર ૨૭) કાલના ઘટતા ક્રમમાં ઊંડા ઉતરતા જતા ચાર થરોથી સજતી ચાર ઉક્ષિપ્ત લૂમાઓના સંયોજનથી રચાતા આ પાક-નાભિન્દ જાતિને વિતાન તે સોલંકીયુગના કારિગરેને પણ સ્તબ્ધ કરી દે તેવો છે. પ્રત્યેક લૂમાની નાભિમાંથી નીકળતા અણિદાર પાંખડીનાં પદ્મફૂલ, અને છતના વચલા, ઊંચકાઈ આવતા બિ દુમાં કરેલ કમળ પાંખડીઓથી સર્જાતાં કમળફૂલ, તેમ જ કર્ણભાગે ગ્રાસનાં મુખ અને ભદ્રભાગે ચંપાના પાનથી સેહત આ વિતાન પંદરમા શતકના સર્જનમાં તે બેજોડ કહી શકાય તે છે.
કોલના થના ઊંડા ઉતરતા જતા વિન્યાસથી સર્જાતા એક ક્ષિપ્ત-નાભિરછન્દ જાતિના વિરલ તાનનું દૃષ્ટાંત ચિત્ર ૨૮માં જોવા મળશે. બહુસંગી કોલના એક પછી એક, ક્ષયક્રમથી, અંદર ઊતરતા જતા કુલ અગિયાર જેટલા થરોથી સર્જાતા આ વિતાનની તો સોલંકી કાળમાંયે જોડી જડતી નથી ! મન્ચીશ્વર ઉદયનના પુત્ર આદ્મભટ્ટ દ્વારા નવનિમિત શકુનિકાવિહાર (ઈ.સ. ૧૧૬ ૬)માં આવા સિદ્ધાન્ત પર રચાયેલા અને ઘણું મોટા વિતાને હતા; (હાલ તે ભરૂચની જુમા મસ્જિદમાં છે);
છે તેમાં પણું આટલા બધા પડો યુક્ત અને આવડી સંખ્યામાં થરે લેવાનું સાહસ શિ૯પીઓએ કય હોવાના દાખલા જાણમાં નથી. ઘડીમાં વાદળાંના પટલને પેલે પાર રહેલ લોકાલોકનો પાર પામવા મથતો લાગે, તે ઘડીમાં પાતાળ-પાણીમાં બાઝેલ શેવાળના એક પછી એક થરો વધીને તળિયાને આંબવા યત્ન કરતો હોય એવા વિતાનનું સમગ્ર ભારતમાં આજે તે આ માત્ર દષ્ટાન્ત છે!
વસ્તુપાળ-તેજપાળના સમયના, ભાતિગળ અને અતિરિક્ત સૂક્ષ્માતિસૂક્ષમ હોરણી કરનાર શિપીઓ પણ જેના વખાણ કરે તે એક પદ્મનાભ જતિને ચેતાતર વિતાન ચિત્ર ૨૯માં રજકર્યો છે. આની રચનામાં સૌ પહેલાં તે ભારોટથી ઊંડા ઊતરીને સદા સોહાગણના ચેતનથી ધબકતાં, ફૂલોની કિનારી કરી, અંદર ચતુર છન્દમાં ગજલાલુના થરવાળી, પછી વિશેષ ઊંડા ઉતારેલ ચે રસી ન્યાસમાં કોલને થર લઈ, અંદર બનતા ભાંગાયુક્ત ક્ષેત્રમાં ચાર દળવાળી. બહુભંગી, ચાર ઉક્ષિપ્ત લૂમાઓને સંજન, અને વચ્ચે ડૂબકી દેતી ક્ષિપ્ત લૂમાના આવિભવથી પ્રગટતા આ મને રમ વિનાનનાં મૂળ તે સોલંકીકાળમાં છે; પણ દળદાર ચોટદાર કપનામાં તે આની સામે આભૂ-દેલવાડાની જગવિખ્યાત વિમલવસહીને સૂત્રધારે પણ એક કોર ઊભા રહી જાય; અને તાકાતને ભોગ આપ્યા સિવાય નિપજાવેલી સમગ્ર ઘાટની મુલાયમ સફાઈ, લૂમાઓના ઉપસતા કેન્દ્રના કમળામાં અણિદાર પાંખડીઓમાં સિફતથી ઉતારવામાં આવેલ કુમાશ, અને સાહજિક સજીવતાની સામે તે આરાસણના આરસને મીણની જેમ પ્રજી જાણનાર, દેલવાડાની લુણવસહીના
Page #6
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી
૨૧૭ શિલ્પીઓ પણ અચંબો પામી ઊભા રહી જાય! ગિરિરાજ ગિરનાર પર આવું બેનમૂન કામ કરી ગયેલ શિપીઓને મુકાબલે એમના જમાનામાં અન્ય કોઈ સ્થળોના ગજધરો નહી કરી શક્યા હેય. પંદરમા શતકમાં આવા સર્વાંગસુન્દર વિતાની રચના થઈ શકે તે માનવું મુશ્કેલ બને છે !
પંદરમી શતાબ્દીના સમકાલિન અને સમીપકાલિન જૈન યાત્રી કવિઓ–લેખકોએ આ ખરતરવસહી વિષે જે નેધ લીધી છે તે હવે જોઈએ. એમણે વર્ણવેલ મંદિર ગિરનાર પરના વર્તમાને અસ્તિત્વમાં નાનાં મોટાં વીસેક જિનાલયોમાં કેવળ આ કહેવાતી “મેલક વસહી” ને જ લાગુ પડે છે. મૂલ કવિઓનાં કવિત વા શબ્દોમાં જ તે હવે જોઈએ:
(૧) તપાગચછીય હેમહંસ ગણિની પંદરમા શતકના મધ્યમાં રચાયેલી, ગિરનારત્યપરિપાટીમાં યાત્રી ઓસવાલ સમરસિંહ માલદે દ્વારા સં. ૧૪૯૪ ઈ.સ. ૧૪૩૮માં સમુદ્ધારેલ કલ્યાણત્રયને (હાલમાં સગરામ સોનીના કહેવાતા મંદિરમાં) વાંદ્યા પછી, અને હાથી પગલાં તરફ વળતાં પહેલાં, નીચે મુજબ નેંધ કરે છે: ૮
હવા જઈઇ નરપાલસાહ કારિઅ પ્રાસાદ | સંપ્રતિ નિવ કરાવિ વીર પિત્તલમય વાંદિ ! નંદીસર અઠ્ઠાવહ સેતું જય અવતાર ! વિહું દિસિ થજી (થકી ?) જિણ નમીં
નિરમાલડિએ ચંદ્રગુફા મઝારિ રણા અહીં મંદિર નરપાલ સાહે કરાવ્યાને, તેમાં સંપ્રતિ રાજાએ કરાવેલ પિત્તળની (મૂલનાયક) મહાવીરની મૂર્તિને, તેમ જ ત્રણ દિશામાં (ભદ્રપ્રાસાદમાં રહેલ) નંદીશ્વર, અષ્ટાપદ, અને શત્રુજયાવતારને ઉલેખ છે, મંદિરનું જે સ્થાન બતાવ્યું છે તે જોતાં, અને ભદ્રપ્રસાદની વિગત જોતાં તે વર્તમાને કહેવાતી “મેરકવશી” જ છે.
(૨) ઉજજ્યન્તશિખર પર (ગિરનાર પર) “લમીતિલક” નામને મેટા વિહાર (જિનાલય) નરપાલ સંધવીએ (ખરતરગચ્છીય) જિનરાજસૂરિના પટ્ટાલંકાર જિનભદ્રસૂરિના ઉપદેશથી સં.૧૫૧૧ કરાવ્યાને ઉલ્લેખ ઇસ્વીસનના ૧૬માં શતકના અન્તભાગે રચાયેલ પંડિત જયસોમની જયસાગરોપાધ્યાય પ્રશસ્તિમાં આ રીતે મળે છે.
संवत १५११ वर्षे श्री जिनराजसूरि पट्टालंकारे श्रीजिनभद्रसूरि पट्टाल कार राज्ये श्रीउज्जयन्वशिखरे लक्ष्मीतिलकाभिधो वरविहारः । नरपालसंघपतिना यदादि कारयितुमा रेभे ॥
(૩) બંડતતપાગચ્છીચ રત્નસિંહસૂરિશિષ્ય (કદાચ ઉદયવલભસૂરિ કે પછી જ્ઞાનસાગર સૂરિ) સ્વરચિત ગિરનારતીર્થમાળામાં (ઈ.સ. ૧૪૫૩ બાદ)માં કલ્યાણત્રયના દર્શન પછી જે પ્રાસાદમાં જાય છે તે આ “મેરકવશી” જ છે; ત્યાં તેને નરપાલ સાહે સ્થાપેવ “શ્રીતિલકપ્રાસાદ” કહ્યું છે, અને તેમાં (મૂલનાયક સોવનમય વિર હે વાની વાત કરી છે; અને તેમાં ડાબી જમણી બાજુએ અષ્ટાપદ અને સમેતશિખરની રચના હેવાની વાત કહી છેઃ યથાઃ
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ઉજ્જયન્તગિરિની ખરતર-વસહી
થાપી શ્રીતિલકપ્રાસાદિ હિંસાહ નરપાલૢિ પુણ્ય પ્રસાદિહિં, સેાવનમય શ્રી વીરે; અષ્ટાપદ સંમતસિહરસ્યૂ ડાવઇ જિમણિ” અહુ હિરક્યૂ', રચના અતિ ગ'ભિરા. ૧૮
કવિએ પ્રાસાદની રચનાને ‘અતિગભિર' કહી છે તે યથાર્થ જ છે.
(૪) પંદરમા શતકમાં શવરાજ સંધવીના સંધ સાથે ગયેલા કાઈ અજ્ઞાત યાત્રી-મુનિએ કરેલ ગિરનાર ચૈત્યપરિપાટીમાં તેા આ જિનાલયના અંતરંગની ઘણી વિગત આપવા સાથે એ જે કઈ કહે છે તેનાથી તા મેલકવસહી” તે જ ખરતરવસહી” હેાવાના તથ્યને આખરી મહેાર મારી દે છે. સમરિસંહ-માલદેના મ`દિર બાદ યાત્રી જે મ`દિરમાં આવે છે તેને સ્પષ્ટરૂપે તેઓ “ખરતરવસહી” કહે છે. તે નરપાલ સાહુ દ્વારા નિમિ`ત થયેલી અને તેમાં (ગભગૃહમાં) મહાવીરની સતારણુ પિત્તળની મૂલનાયક મૂર્તિ ની આજુબાજુ એ જ ધાતુની શાંતિનાથ અને પાર્શ્વનાથની કાયાત્સગ* મૂતિ હાવાનું પણ કહ્યું છે. તદુપરાન્ત રંગમંડપનું વર્ણન કરતાં ત્યાં ‘નાગન્ધ' અને ‘પ્‘ચાંગવીર'ની હતા, પુતળીએ (આજે વિનષ્ટ), જમણી બાજુ ભણસાળી જોગે કરાવેલ અષ્ટાપદ' અને ડાખી બાજુએ ધરણા સાહે કરાવેલ સમ્મેતશિખર' (ના ભદ્રપ્રાસાદેની) નોંધ લે છે: ૧૦ યથા :
હવઈ ખરતરવસહી ભણી આવિ
નરપાલસાહની થાપના એ સતારણઉ પીતલમઈ વીર
શાંતિ–પાસ છઈ સાચઉ શરીર કાસગીઆ પીત્તલ તણાએ. ૨૮ રંગમ’ડિપ નાગબંધ નિહાલઉ
પૂતિલએ મ’ડિપ મન વાલ
પંચાંગવીર વસેખીઇએ માલાખાડઈ મડપ જાણુ
જિમણુઈ અષ્ટા[≠] વખાણુ ભણસાલી જોગર્ટ કીઉ'એ. ૨૯ ડાવઈ સમેતસિહર પ્રસીધુ
તે પણિ ધરઈસાહિ કીધઉ. ૩૦
(૫) પંદરમા–સેાળમા શતકના ઉત્તરાર્ધમાં થયેલા, ભાવતુષ -શિષ્ય રગસારની ગિરનાર ચૈત્યપરિ પાટીમાં૧૧ મુનિ-યાત્રી તીર્થ નાયક નેમિનાથના મદિરને (દેવકુલિકામાં પરાવેલ) ઉત્તર દ્વારેથી નીચે ઉતરીને જે પહેલા મદિર–હાલની મેરક વસહી-માં આવે છે. તેને “ખરતરવસહી' કહેવા ઉપરાંત તેમાં સંપ્રતિરાજાના કરાવેલ પિત્તળમય મનેાહર વીર જિનેશ્વર, આજુબાજુની બાવન દેહરીએ અને મદિર ભીતરની અવનવી કારણીના ઉલ્લેખ કરે છે:
ઋણુ ગિરઇએ નેમવિદ્વાર આવીયા ખરતરવસહી વાર ॥૧૨॥
હાલ
સ'પતિરાય કરાવિ મુહર પીતલમઈ શ્રીવીર જિજ્ઞેસર ખરત[૧]સહી માહે પાખતીયાં ખ[]ન જણાલ નવલ નવલ કેારણીય નિહાલ ટાલ કુમતિ કસાય ॥૧૩॥
Page #8
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી
૨૧૯ રંગસાર પછી અને કાલક્રમમાં છેલ્લી નોંધ સોળમા-સત્તરમા શતકમાં થયેલા (પ્રાવાટ) કર્ણસિંહ કૃત ગિરનારસ્થ ખરતરવસહી–ગીત અંતર્ગત મળે છે. એમના કથનમાં મંદિરને “ખરતરવસહી” કહેવા ઉપરાન્ત તેમાં મંડપની પૂતળીઓ, ડાબી બાજુ (નેમિનાથના મંદિર તરફ) “અષ્ટાપદ' અને જમણી બાજુ (કલ્યાણત્રયના મંદિરની દિશાએ) “નન્દીશ્વર', ગભારામાં સંમતિએ આણેલ સપ્તધાતુની તારણ તેમ જ રત્ન ખચિત “જિનવીરની મૂર્તિ અને રત્ન જડિત પરિકર તેમ જ આ મંદિર (અગાઉના) દુઃષમ ભવનને સ્થાને ભણસાલી નરપાલે જિનભદ્રસૂરિના વચનથી ઉદ્ધાર રૂપે કરાવ્યાનું Rયું છે:
પ્રીય ખરતરવસહી જોઈએ
જાણે કરતલ વખાણું રા મંડપિ મેહણ પૂનતી હે
જાણે કરિકીઓ ઈકલેક ૩ નેમિ કડણિ પ્રભુ દાહિણિ હે
અષ્ટાપદ અવતાર | વામઈ કલ્યાણકત(ન? ય) હે
નંદીસર જગસાર દા (સંઘ મરેઈ? સંપતિરાઈ) અણુવિલ હૈ
સાત ધાત જિણવીર ! પરિગર રતન જડાવિઈ હો
તેરણ ઉલકઈ બઈ હાર છા લખધિવંત જિનભદ્રસૂરિ ગુરુજી
સુવચની સવિસાલ ! દૂસમ ભવન સમુદ્ધરઈ છે
સે ધનધન મા નરપાલ હતા ભણસાલી તે પરિ કરઈ હો
- જે કીઓ ભરેવેસર રાસે ઉજલિ અષ્ટાઉરે તે
નિરખત અંગિ ઉમાદ વેલા
આમ ખરતરગચ્છનાં જ નહીં, તપાગચ્છનાં પણ સા વર્તમાન “મેલવસહી” તે અસલમાં “ખરતરવસહી” હતી તેમ નિર્વિવાદ જણાવી રહે છે.
ચિત્યપરિપાટીઓનાં વિધાનમાં આમ તો એકવાક્યતા છે, પણ એક બાબતમાં મતભેદ છે. જ્યાં હેમહંસગણિ અને કર્ણસિંહ “નંદીશ્વર” કહે છે ત્યાં રત્નસિંહસૂરિશિષ્ય તથા શવરાજ સંઘવી
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ઉજ્વતગિરિની ખરતર-વસહી વાળા યાત્રી-મુનિ “સમેતશિખર' કહે છે. ઉત્તર ભદ્રપ્રસાદ-સ્થિત આ રચના આરસ નીચે દબાઈ ગઈ હેય અસલી વાત શું હશે તેને નિર્ણય થઈ શકે તેમ નથી.
મ દિર જેકે ખરતરગચ્છીય ભણસાળી નરપાળ સંઘવીએ કરાવ્યું છે, પણ કર્ણસિંહના કથન અનુસાર ત્યાં કોઈ મંદિર અગાઉ હતું અને આ નવું મંદિર એથી જૂનાના સમુદ્વાર રૂપે કર્યાનું માનવું રહ્યું. વળી અંદરની પિત્તળના મૂલનાયકવીરની પ્રતિમા એ કાળે સંપ્રતિ રાજાની લેવાની માન્યતા હતી. એટલે મૂર્તિ નરપાલ સાહના સમયથી જની તો ખરી જ હું માનું છું કે આ મંદિરને સ્થાને અસલમાં મગ્નીશ્વર વસ્તુપાલ કારિત “મહાવીર”નું મંદિર હતું; (વસ્તુપાલે ગિરનાર પર આદિનાથ [વસ્તુપાલ-વિહાર] ઉપરાંત (સ્તમ્ભપુરાવતાર) પાર્શ્વનાથ તથા (સત્યપુરાવતાર) મહાવીરનાં મંદિરે કરાવેલાં) જેની નૈધ સમકાલિન લેખક હર્ષપુરીચગછના નરેન્દ્રપ્રભસૂરિએ લીધી છે.૧૨ કર્ણસિંહના કથન અનુસાર ત્યાં આગળની (માલા-ખાડ નામની) ખાડ પૂરીને (બિલકુલ ઘેર રહેલા) દુષમ ભવનને “ઉદ્ધાર” કરાવેલ. સંપ્રતિ રાજાની કરાવેલ કે લાવેલ મૂર્તિ હેવાની વાત પંદરમાં શતકમાં વહેતી થઈ હશે. ઈસ્વીસનની ૧૪મી શતાબ્દીના પૂર્વાર્ધમાં ખરતરગચ્છીય જિનપ્રભસૂરિની ગિરનાર સમ્બદ્ધ જુદી જુદી ચાર રચનાઓમાં, એમનાથી પહેલાં તપગચ્છીય ધમકીર્તિગણિ (પછીથી ધર્મઘોષસૂરિ)ના ગિરનારકલ્પ (આ. ઈ.સ. ૧૨૬૪) અંતર્ગત, કે નાગેન્દ્રગથ્વીય વિજયસેન સૂરિના રેવંતગિરિરાસ, (ઈ.સ. ૧૨૩૨ બાદ)માં આને સ્પર્શતો કોઈ જ ઉલ્લેખ નથી. | ગુજરાત-રાજસ્થાનના ઉત્તર મધ્યકાલિન જૈન મંદિરના સર્વેક્ષણ દરમિયાન જોવા મળે છે કે ખરતરગચ્છમાં મંદિરોની રચના વિન્યાસ તરફ, અને તેને સુરુચિપૂર્વક આભૂષિત કરવા પરત્વે ખૂબ કાળજી લેવાઈ છે. શત્રુંજય પરની ખરતરવસહી (આ. ઈ.સ. ૧૩૨૦-૨૪), મેવાડમાં દેલવાડા (દેવકુલપાટક)ની ખરતરવસહી (૧૫મા શતકને પ્રારંભ), રાણકપુરની ખરતરવસહી (પાર્શ્વનાથ જિનાલય-૧૫મા સૈકાને મધ્યભાગ), અને આ ગિરનાર પરની ખરતરવસહી તેનાં જવલંત ઉદાહરણ છે. પાદટીપે ૧. આ પટ્ટ પદ વિસ્તૃત વિવેચન હું અન્યત્ર કરી રહ્યો છું. ૨. (સ્વ.) મુનિ દર્શનવિજયજી લખે છે: “આ ટૂંક શ્રી સિદ્ધરાજના મંત્રી સજજને બંધાવેલ છે.
ગૂર્જરાધીશ સિદ્ધરાજે સજજનને સૌરાષ્ટ્રને દંડનાયક નીમ્યો હતો. તેમણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજમાંથી ગિરનાર પર સુ દર જીર્ણોદ્ધાર કરાવ્યું. ત્રણ વર્ષની ઉપજ સિદ્ધરાજને ન મળવાથી તે ગુસ્સે થઈ જૂનાગઢ આવ્યું. સજજને જુનાગઢ અને વંથલીના શ્રાવકો પાસેથી ધન મેળવી સિદ્ધરાજને ચરણે ધયું અને કહ્યું કે જોઈએ તો જીર્ણોદ્ધારનું પુણ્ય હાંસલ કરે અને જોઈએ તે ધન . રાજા સત્ય હકીક્ત જાણું અત્યંત ખુશી થયો. બાદ આવેલા ધનથી શ્રાવકના કહેવાથી સજજને આ મેરકવશી ટૂંક બનાવી.” (જૈન તીર્થોને ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુ૫ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૧૨૨.) સ્વ, મુનિશ્રીની પહેલી વાતને તે પ્રબોને આધાર છે, પણું સજજને પ્રસ્તુત દ્રવ્યથી આ મેરકવશીનું મંદિર બંધાવ્યાનેય કયાંય જ ઉલેખ નથી.
પં. અંબાલાલ પ્રેમચંદ શાહે “મેલક વસહી”ની ચર્ચા કરતાં આ જ સજજન મંત્રી વાળી વાત (સાચી અને પરિકૃત ગુજરાતીમાં) જણાવી છે; પણ તેઓની પાસે એને લગતું કોઈ પ્રમાણ નહોતું; આથી સાવચેતી ખાતર એમણે લખ્યા બાદ ઉમેર્યું કે “..એવી લોક માન્યતા છે. કોઈ
Page #10
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી
૨૧
આને મેલકશાહે બંધાવ્યાનું કહે છે.” (જૈન તીર્થ સ સંગ્રહ, ભાગ પહેલેા, ખંડ પહેલા, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૩)
મુનિ નિત્યાનંદ વજયજીએ (૫. શાહ જેવી સાવધાની રાખ્યા સિવાય) એની એ જ કિંવદન્તી તથ્ય રૂપે માની રજૂ કરી છે. શ્રી રૈવતગિરિ સ્પના, વડેાદરા વિ.સ. ૨૦૨૦ (ઈ. સ. ૧૯૬૪), પૃ. ૧૨૯–૧૩૦.)
૩. અહીં આગળ ઉપર મૂળ કૃતિમાંથી પ્રસ્તુત ભાગા ટાંકી ચર્ચા કરી છે.
૪. Cf. M, A. Dhaky “The Nagabandha' and the Pancangavira' ceiling,' Sambodhi, vol. 4, No. 3 4, pp. 78–82, and plates.
૫. આગળની ચર્ચામાં તેના મૂળ સન્દર્યાં ટાંકયા છે.
૬. કર્માંચ-દ્રના જીવનની રૂપરેખા ખરતરગચ્છીય સાધનાથી સ્વ. માહનલાલ દલિચંદ દેશાઈએ જૈન સાહિત્યા સક્ષિપ્ત ઇતિહાસ, મુ`બઈ ૧૯૩૨, પૃ. ૮૩૬-૮૪૫ પર ચી` છે, ત્યાં જુએ. ૭. સં.૫, બેચરદાસ જીવરાજ દેશી, પુરાતત્ત્વ, ૧-૩. એપ્રિલ ૧૯૨૩, પૃ. ૨૯૬.
2. આ મહત્ત્વપૂણું ચૈત્યપરિપાટીનું પુનર્મુદ્રણુ થવાની જરૂર છે.
૯. આ ઉદ્ધરણુ મે` ૫. અબાલાલ પ્રેમચંદ શાહ જૈન તીર્થં॰, પૃ. ૧૧૮ પરથી લીધુ છે; અને એમણે તે ઐતિહાસિક જૈન કાવ્યસ ગ્રહ” (પૃ. ૪૦૦) પરથી લીધું હાવાની તૈાંધ કરી છે. (આના સંપાદક ક્રાણુ છે, કયાથી કયા વર્ષમાં, કઈ ગ્રન્થમાળામાં પ્રસ્તુત સંગ્રહ છપાયા છે, તેની ત્યાં તૈધ નથી લેવાઈ.)
૧૦. આ ગ્રંથમાં આ ચૈત્યપરિપાટીનું સ`પ્રતિ લેખક તથા વિધાત્રી વારા દ્વારા સપાદન થયું છે. ૧૧. સ’પ્રતિ ગ્રન્થમાં (સ્વ.) અગરચંદ નહાટા તથા પ. બાબુલાલ સવ શાહ દ્વારા સંપાદિત થયેલ છે.
૧૨. વિશેષઃ દૈવતાચ મૂમ્રુતઃ શ્રીનેમિલ્યે લિનવેમસુત્રિપુ ।
श्रीवस्तुपालः प्रथम जिनेश्वर पार्श्व च वीरं च मुदान्वीविशत् ॥८॥ —વસ્તુપાRsપ્રશક્તિ:
(જુએ મુનિ પુણ્યવિજયજી, મુતીતિ માલા, [ચન્યાંક ૫] મુંબઈ ૧૯૬૧, પૃ. ૨૮.)
ચિત્રસૂચિ
૧. ગિરનાર, ખેતરવસહી (વર્તમાન મેલકવસહી') મુખમંડપ, મુખાલિન્દ, સમતલવિતાનમાં પ’ચાંગવીર’.
૨. ખરતવસહી, મુખમંડપ, સમતલ-વિતાન, ‘વાસુદેવ-ગેાપલીલા.’
૩. મુખમંડપ, નાભિમંદારક જાતિને વિતાન,
૪. ર્ંગમંડપ, સભા-પદ્મ-મંદારક જાતિને કરાટક (મહાવિતાન).
૫. ર્ ગમંડપ, મહાવિતાન, રૂપકમાં જિનદતે જતા લાક સમુદાયનું દૃશ્ય.
હોહિત્િ વસ્તુવાદ્રશસ્તિતંત્રદ્, સિ"ધી જૈન ગ્રંથ
૬. — ditto
૭. ર'ગમ'ડપ, ખુણાના ચાર પૈકીના એક વિકણુ –વિતાનમાં ત્રાસમુખ,
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ઉજ્જયન્તગિરિની ખરતર–વસહી
૮. છ ચાકી, એક નાભિચ્છન્દ–વિતાનમાં હંસાવલ,
૯. ગૂઢમંડપની પૂ`ભિત્તિ પરના એક ખત્તક પરના ઈલ્લિકાવલજીના મધ્યભાગે દેવી કમલાની મૂર્તિ, ૧૦. ગૂઢમંડપના પૂર્વ દ્વારની દ્વારશાખા.
૧૧. ગૂઢમંડપના ઉત્તરિિત્ત અને દ્વાર
૧૨. કાઁચન્દ્ર અચ્છાવત દ્વાર નવનિમિત મૂળપ્રાસાદ (ઈસ્વીસનના ૧૬મા શતકને અન્તભાગ). ૧૩. ધરણુાસાહ દ્વારા વિનિમિત, સમ્મેત શિખર (વા નન્દીશ્વર) ધરાવતા ઉત્તર તરફા ભદ્રપ્રાસાદ. ૧૪. ઉત્તરના ભદ્રપ્રાસાદના કરાટક.
૧૫. ઉત્તરના ભદ્રપ્રાસાદના કરાટકના રૂપકંઠમાં ચક્રવાક, માલા અને વિદ્યાદેવીની ટેકણુના મદલ (ઘેાડા).
૧૬. અષ્ટાપદના દક્ષિણ તરફના ભદ્રપ્રાસાદની પટ્ટશાલાની જાળી.
૧૭. અષ્ટાપદાવતાર ઉપરના કરાટક.
૧૮. અષ્ટાપદ્માવતારના કરાટકના મદલા સહિતને રૂપક અને ઉપરના ગજતાલુના થા. ૧૯. પશ્ચિમ દિશાનો પદ્મશાલા (ભમતી)માં જમણી હારા પુષ્પક-મંદારક જાતિના વિતાન, ૨૦. પશ્ચિમ દિશાની ભમતીમાં જમણી હારમાં સમતલ નાભિચ્છંદ વિતાન.
અવશિષ્ઠે ભાગ
૨૧. ઉત્તર દિશાની ભમતીમાં ઉક્ષિપ્ત તિના વિતાન ૨૨. ઉત્તર દિશાની ભમતીમાં સમક્ષિપ્ત જાતિના વિતાન. ૨૩. ઉત્તર દિશાની ભમતીમાં સમક્ષિપ્ત જાતિના એક અન્ય વિતાન, ૨૪. ઉત્તર દિશાની ભમતીમાં સમક્ષિપ્ત જાતિના એક ત્રીજો વિતાન. ૨૫. ઉત્તર દિશાની ભમતીમાં સમક્ષિપ્ત શ્રૃતિના એક ચેાથે વિતાન, ૨૬. ઉત્તર દિશાની ભમતીના એક ક્ષિપ્તેાક્ષિપ્ત જાતિના વિતાન. ૨૭. ઉત્તર દિશાની ભમતીને પદ્મક-નાભિચ્છન્દ જાતિને વિતાન. ૨૮. ઉત્તર દિશાની એક દેવકુલિકાનો ક્ષિપ્ત-નાભિચ્છન્દ વિત્તાન. ૨૯. ઉત્તર દિશાની ભમતીને પદ્મનાભ જાતિના વિતાન.
Page #12
--------------------------------------------------------------------------
________________
१. खरतर बसही, गिरनार, (वर्तमान मेलकवसही), मुखालिद, समतल वितान, पञ्चाङ्गवीर
२. खरतरवसही,
समतल
मुखमण्डप, वितान, वासुदेव-गोप
लीला
PAAAAAAARI
26
GAI Actcctctcr
jainely.org
Page #13
--------------------------------------------------------------------------
________________
ICELECrored
Insit:stsstitsthurtantant3
ROPATITIENTS
MIEKUTA
ASHETRATAKAM
HAMARIJALDIER NIRALALI
MROSATTA KAREETITIVITICAL
NG
SATT RACHANASI
AMITTIVEmySTA
FLAMETECH
३. खरतरवसही, मुखमण्डप, नाभिच्छन्द जातिनो वितान
४. खरतरवसही, रंगमण्डप, सभापद्ममंदारक जातिनो वितान
60-00809000
rielated
Jain Educatio
n
al
DESonaliSSEN
Page #14
--------------------------------------------------------------------------
________________
2.
נערוך
REVUTPANN
213171712771 1212121212
समान
10 CL/AA AA
५. खरतरवसही, रंगमण्डपना रुपकण्ठमा जिनदर्शनार्थे जता लोकसमुदायनुं दृश्य ६. खरतरवसही, रूपकण्ठमां जिनदर्शनार्थे जता लोकसमुदायनुं दृश्य, रंगमण्डप, महावितान
09004
212
३.१.८
20191
2017 418 AukAAAOLO LUAIIAN
D
www wwDVA
19 (2)
Page #15
--------------------------------------------------------------------------
________________
Ph
साय
5/2/2/12/27/18
Nain Education Rternationa
12525752
InIn
M
८. छ चौकी, एक नाभिच्छन्द वितानमा हंसावलि
९ गूढ़मण्डपनी पूर्वभित्तिना
एक खत्तक
पर इल्लिकावलणनो मध्य भाग, देवी
कमलानी
मूर्ति
Page #16
--------------------------------------------------------------------------
________________
ITATARTMA
IRALA
ASHTRA
2999999oONESIAGE
१०. गूढ़मण्डपना पूर्व द्वारनी द्वारशाखा
Page #17
--------------------------------------------------------------------------
________________
Kisaani
Conta
११. गूढ़मण्डपना उत्तर द्वारनी द्वारशाखा
लक्ष
Page #18
--------------------------------------------------------------------------
________________
१२. कर्मचन्द्र बच्छावत द्वारा नवनिर्मित मूलप्रासाद ( ई० १६ मी शतीनो अन्त भाग
Jain Egeatonternatio
BETVICE 25006000 1850 250-10000
१३. धरणा साह द्वारा विनिर्मित सम्मेतशिखर ( या नन्दीश्वरयुक्त) उत्तर दिशानो भद्रप्रासाद, ( ई० १५ मी शताब्दीनो तृतीय भाग)
Page #19
--------------------------------------------------------------------------
________________
Bellechianded c
teenuset
wwwwww
おい!
090304000175
१४. खरतरवसही, दक्षिण दिशाना भद्रप्रासादनो करोटक
१५. उत्तर दिशाना भद्रप्रासादना करोटकमा रुपकण्ठमा चक्रवाकमाला एवं विद्या देवियोना टेकणना मदल
Jain Education internationa
ワカ
daca acadadd
石川門
コリコリコリコリコリ
nanay
742174171
נרככיגןגמנגינתם
70339333e
For Private & Personal Us
時
O
20
スピ
22222222222
MISSE MJA
21191017
Page #20
--------------------------------------------------------------------------
________________
१६. खरतरवसही, दक्षिण दिशाना भद्रप्रासादनी पट्टशालानी जाली
१७. खरतरवसही, दक्षिण दिशाना भद्रप्रासादनी अदंरनो करोटक
CCCCCC
ICIA
CIGractice
mms
(ALLERY
Smomporn
DoDIO
actretiricornear
STRATVIsnrn
MMENTS
KAKKARKatrina
Jain Edile
use Only
avelibrary.org
Page #21
--------------------------------------------------------------------------
________________
NCICIENCET
E
CTION
a
ctreetOVIE
१८. दक्षिण भद्र प्रासादना करोटकनो मदलो सहितनो रूपकष्ठ अने ऊपरना गजतालुना थर
याम
MEG
INSTITUN
Wwwwwww
सगरम
M
erayersawenses
Mirror
Tarta
ATTरा
Co0 m-LRIDD
Erkiki
२. पश्विम दिशानी पट्टशाला, (भमतीमा) जमणी पंक्तिमा पुष्पक-मन्दारक जातिनो वितान
creterLLERaciurkistar
CTC77TENTRITION
PAHILO
SHOROSTELAKHIMAL
E
STEसरसRANIKHARA
rririkCLCULE
EXPHATTERRITTENTION
ORLD
Jain Education Internatio
Jamsubmary.org
Page #22
--------------------------------------------------------------------------
________________
२०. पश्चिम दिशानी जमणी पंक्तिमां
समतल - नाभिच्छन्द
वितान
२१. उत्तर दिशानी
भमतीना उत्क्षिप्त जातिना विताननो अवशिष्ट भाग
38
XXX
29T23
7/8/1313131313
For
ate &ersonal
2312
Only
ELCIAL EPIC*****RECES TELCELLELGECLCLS CLLLEECE cer
83
&
Page #23
--------------------------------------------------------------------------
________________
२२. उत्तर दिशानी
भमतीमां
समक्षिप्त
जातिनो वितान
२३. उत्तर दिशानी
भमती मां समाक्षिप्त जातिनो एक अभ्य वितान
LELEI 112
TELEVI
LELELELELELGI
(esclerckt
Audiob
LELETAJAR ARG1212
V51D
CVC 112
Page #24
--------------------------------------------------------------------------
________________
* २४. उत्तर दिशानी भमतीमां समक्षिप्त
जातिनो एक त्रीजो वितान
२५. उत्तर दिशानी
भमतौमां समक्षिप्त जातिनो चोथो वितान
O
www.ainelibrary.org
Page #25
--------------------------------------------------------------------------
________________
३. उत्तर दिशानी
भमतीनो एक क्षिप्तोक्षिप्त जातिनो वितान
CHICCHIRUT
- उत्तर दिशानी भमतीनो पद्मकनाभिच्छन्द जातिनो एक वितान
कामकाजाICultuELICICICICICICICICICIC
NuisitualHILLY
TuentCol
RIBRARHILIHERE
Jain Education Internatio
www.jainelibrarong
Page #26
--------------------------------------------------------------------------
________________
SCHE
२८. उत्तर दिशानी एक देवकुलिकानो क्षिप्त-नाभिच्छन्द वितान
Page #27
--------------------------------------------------------------------------
________________ जागा GENGREHEREREDEEMERE RARIA honium 111111111 PARIKLAGUID PORNWWWशासकमार 166766rciniciartic17.. (PICAREERIOR( NRH M सरररDDDDDDDDDDDDDDDU CATEGOctri" 29. उत्तर दिशानी भमतीनो पद्मनाभ जातिनो एक वितान :