Book Title: Agam Deep 27 BhattaParinna Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005087/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા - - - - - - * 45 આગમદીપ-ગુર્જર કાચા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર | શ્રી ગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- 45 આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ - - - - - વિષય 1-4 ભર પરિણા - ચોથો પયાનો - ગુર્જર છાયા છે અનુકમ | પૃષ્ઠક મંગલ અને જ્ઞાનની મહત્તા ૩રશાશ્વત - અશાશ્વત સુખ ૩રમરણના ભેદો 8-11 ૩રઆલોચના - પ્રાયશ્ચિત્ત 12-23 32-33 વ્રત - સામાયિક - આરોપણ આદિ 24-33 33-34 આચરણા - ખામણા - ઉપદેશ આદિ, ૩૪-૧૭ર | 34-42 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશ્રીજીના ભકતનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 1 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ-૬ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા તથા ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક v]]t]]ililliI][][]]I (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પૂનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (1) ઠાણું ક્રિયાનુરાગી સા. રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુઢીવપન્નત્તિ (2) સૂરપન્નતિ " અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેના ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [11] [13. -: અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [9] शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [10]. अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ - ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [19] સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે]. [23] . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [2] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25]. [32] Page #8 -------------------------------------------------------------------------- ________________ [35] [39] 1391 138il [36] [40] [41] [10] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 42 / . 11 .. O لالالالا . [45] 0.. ULDULine 0.. [48 [49] 50) [51] - " J आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफघूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिणा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [अगमसुत्ताणि-७ [आगममुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ आगमसुत्ताणि-१४ ] आगमसुत्ताणि-१५ ] [आगमसुताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ ] आगमसुत्ताणि-२५ ] - [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं 'छठे अंगसुत्तं सत्तम अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढम उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुतं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं کن کن کن ن ن ن ت ت ع تتتت [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ [11] -JJ ای باحال - - - संथारगं [आगमसुत्ताणि-२९ / छर्छ पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ / दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं. जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिब्रुत्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [88) उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0----x -- -x --0 [81] यारी - ગુર્જરછાયા [આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडो - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ) બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપત્નત્તિ - " ગુર્જરછાયા આગમદિપ-પ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुढ२७१ [सारामही५-६ ] છઠું અંગસૂત્ર [7] 6वासगसामो - गुर्डरछाया [मागमही५-७ ] सात, अंगसूत्र [ed] संतरासमो - गुर्डरछाया [मागमही५-८ ] मा अंगसूत्र [ce] मनुत्तरो५५ाति सामो - भुई२७ाया [मागमही५-८ નવમું અંગસૂત્ર [100] ५५४ावागरण . ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ | દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુજરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपयिं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [89) Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પનવણા સુd- [10] સૂરપન્નત્તિ - [107 ચંદયત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિયાવલિયાણું - * [117] કMવડિસિયા - [111] પુફિયાણ - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણું - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણ - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિયે - [118] સંથારગં - [120) ગચ્છાધાર - [121] ચંદાવેઝયું : [12] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [24] વીરત્યવ - [125] નિસીહં[૧૨] બુહતકખો - [127 વવહાર - [128] દસાસુયઅંધ - [12] જીયો - [13] મહાનિસીહં - [31] આવર્સીયે - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડમિજુત્તિ - [134] દસયાલિય - [35] ઉત્તરગ્યાં - [13] નંદીસુરત્ત - [37] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરછયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પવનો ગુર્જરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ! પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છકો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પવનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુજરછાયા | આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૩૨ નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદ ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગામદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [32]. News नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ :22222222222 27 ભત્તપરિણા-પણિય (ચોથુ પ્રકિર્ણક-ગુર્જર-છાયા) [૧]મહાઅતિશયવંત અને મહાપ્રભાવવાલા મુનિ મહાવીર સ્વામીને વાંદીને પોતાને તથા પરને સ્મરણ કરવા અર્થે ભક્ત પરિજ્ઞા હું કહું છું. [૨]સંસારરુપી ગહન વનમાં ભમતાં પીડાએલા જીવો જેના આશરે મોક્ષ સુખને પામે છે તે કલ્પવૃક્ષના ઉદ્યાન સરખું સુખને આપનારૂં જૈન શાસન જયવંતુ વર્તે. [૩]દુર્લભ મનુષ્યપણું અને જિનેશ્વર ભગવાનનું વચન પામીને સંપુરૂષોએ શાશ્વતા સપના એક સીક એવા અને જ્ઞાનને વશવર્તી થવું જોઈએ. જિજે સુખ આજ થવાનું છે તે કાલ સંભારવા યોગ્યે થવાનું છે. તે માટે પંડિત પુરૂષો ઉપસર્ગ રહિત મોક્ષનું સુખ વાંછે છે. પિપંડિત પુરૂષો માણસનું અને દેવતાઓનું જે સુખ છે તેને પરમાર્થ થકી દુઃખ જ કહે છે, કેમકે તે પરિણામે દારૂણ અને અશાશ્વત છે. તેથી તે સુખ વડે સર્યું (અથાત્ તે સુખનું કામ નથી) દિ જિનવચનમાં નિર્મલ બુદ્ધિવાળા માણસોએ શાશ્વત સુખનું સાધન છે જિનેન્દ્રોની આજ્ઞાનું આરાધન છે તે આજ્ઞા પાળવા વિશે ઉદ્યમ કરવો. * [7] તે જિનેશ્વરોએ કહેલા જ્ઞાન, દર્શન ચારિત્ર, ને તપ તેઓનું જે આરાધન તે જ અહિં આજ્ઞાનું આરાધન કહેલું છે. ' [૮]દિક્ષા પાલનમાં તત્પર (અપ્રમત્ત) આત્મા પણ મરણને અવસરે સૂત્રમાં કહ્યા મુજબ આરાધના કરતો થકો સંપૂર્ણ આરાધકપણું પામે. [9] મરણરૂપી ધર્મ નથી એવા ધૈર્યવંતોએ વીતરાગોએ) તે ઉદ્યમવંતનું મરણ ભક્ત પરિજ્ઞા મરણ, ઈગિની મરણ, અને પાદપોપગમ મરણ એમ ત્રણ પ્રકારે કહેલું છે. [૧૦-૧૧ભક્ત પરિજ્ઞા મરણ બે પ્રકારનું છેઃ- સવિચાર અને અવિચાર. સંલેખના વડે દુર્બલ શરીરવાળા ઉદ્યમવંત સાધુનું વિચાર. (ભક્ત પરિજ્ઞા મરણ અને પરાક્રમ રહિત સાધુને સંલેખના કર્યા વિના જે મરણ થાય તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણ કહીએ. તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણને યથામતિ હું કહીશ. Page #12 -------------------------------------------------------------------------- ________________ ગાય- 12 33 [૧૨]ધીરજ બલ રહિત, અકાલ મરણના કરનારા અને અકત (અતીચાર) ના કરનારા એવા નિરવ વર્તમાન કાલના યતિઓને ઉપસર્ગરહિત મરણ યોગ્ય છે. [૧૩]ઉપશમ સુખને વિષે અભિલાષવાળો, શોક અને હાસ્ય રહિત, પોતાના જીવિતને વિષે આશા રહિત, વિષય સુખની તૃષ્ણા રહિત, અને ધર્મને વિષે ઉદ્યમ કરતાં જેને સંવેગ થએલો છે એવો ભક્ત પરિજ્ઞા મરણને યોગ્ય છે.) [14] જેણે મરણની અવસ્થા નિએ કરી છે જેણે સંસારનું વ્યાધિગ્રસ્ત અને નિર્ગુણપણું જાણ્યું છે, એવો ભવ્ય યતિ અથવા ગૃહસ્થ ભક્તપરિજ્ઞા મરણને યોગ્ય જાણવો. [૧પ વ્યાઘિ જરા અને મરણરૂપી મગરોવાળો, નિરંતર જન્મરૂપી પાણીના સમૂહવાળો, પરિણામે દારૂણ દુઃખને આપનારો સંસારરૂપી સમુદ્ર ઘણો દુરંત છે, એ ખેદની વાત છે. [૧૬]પશ્ચાતાપથી પીડાએલોજેને ધર્મ પ્રિય છે, દોષને નિંદવાને તબ્બાવાળો, તથા દોષ અને દુશીલપણા વડે પણ સહિત એવા પાસત્યાદિક પણ અનસનને યોગ્ય છે. [૧૭-૧૮આ અનશન કરીને હર્ષ સહિત વિનય વડે ગુરૂના ચરણકમળ આગળ આવી હસ્ત કમલ મુકુટ પેઠે કપાળે લગાડી ગુરૂ વાંદીને આ પ્રમાણે કહે. હે સપુરૂષ ! ભક્ત પરિણારૂપ ઉત્તમ વહાણ ઉપર ચઢીને નિયમિક ગુરૂ વડે સંસારરૂપી સમુદ્રને તરવાને હું ઈચ્છું છું. [૧૯-૨૨]દયારૂપ અમૃત રસથી સુંદર તે ગુરૂ પણ તેને કહે છે કે હે વત્સ !) આલોચણ લઈ, વત ઉચરી, સર્વને ખમાવવાપૂર્વક, ભક્ત પરિજ્ઞા અણશણને અંગીકાર કર. ઈચ્છે ! એમ કહીને ભક્તિ અને બહુમાન વડે શુદ્ધ સંકલ્પવાલો, ગયેલા અનર્થવાળા ગુરૂના ચરણ કમલને વિધિપૂર્વક વાંદીને પોતાના શલ્યને ઉદ્ધરવાને ઈચ્છતો, સંવેગ (મોક્ષનો અભિલાષ) અને ઉદ્વેગ (સંસાર છોડવાની ઈચ્છા) થકી તીવ્ર શ્રદ્ધાવાળ શુદ્ધિને માટે જે કંઈ કરે તે વડે તે માણસ આરાધક થાય. હવે તે આલોયણના દોષે કરીને રહિત, બાળકની જેમ બચપણના વખતથી જેવું આચરણ કર્યું હોય તેવું સમ્યક પ્રકારે આલોચન કરે. [૨૩-૨૪/આચાર્યના સમગ્ર ગુણે સહિત આચાર્ય પ્રાયશ્ચિત આપે ત્યારે, સમ્યફ પ્રકારે તે પ્રાયશ્ચિતતપ આદરીને નિર્મલભાવવાળો તે શિષ્ય ફરીને કહે દારૂણ દુઃખરૂપ જલચર જીવોના સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રમાંથી તારવાને સમર્થ એવા ગુરૂ મહારાજ નિર્વિઘ્ન વહાણ સમાન મહાવ્રતને વિષે અમને મૂકો. (સ્થાપો) રિપણે કોપને ખંડ્યો છે તેવો અખંડ મહાવ્રતવાલો તે પતિ છે, તો પણ પ્રવજ્યા વતની ઉપસ્થાપનાને યોગ્ય તે છે. [૨]સ્વામીની સારી પાલન કરેલી આજ્ઞાને જેમ ચાકરો વિધિ વડે બજાવીને પાછી આપે છે, તેમ જીવન પર્યંત ચારિત્ર પાળીને તે પણ ગુરૂને એ પ્રમાણે જણાવે છે. [27] જેણે અતિચાર સહિત વ્રત પાળ્યું તથા આકુટ્ટી (કપટ) દડે વ્રત ખંડ્યું એવા પણ સમ્યક ઉપસ્થિત થએલા તેને શિષ્યને) ઉપસ્થાપના કહી છે. [3] Page #13 -------------------------------------------------------------------------- ________________ 34 ભરપરિણા - 8i [૨૮]ત્યાર પછી મહાવ્રતરૂપ પર્વતના ભારથી નમેલા મસ્તકવાળા તે શિષ્યને સુગુરૂ વિધિ વડે મહાવ્રતની આરોપણા કરે. [૨૯]હવે દેશવિરતિ શ્રાવક સમકિતને વિષે રક્ત અને જિનવચનને વિશે તત્પર હોય તેને પણ શુદ્ધ અણુવ્રતો મરણ વખતે આરોપણ કરાય છે. [૩૦]નિયાણા રહિત અને ઉદાર ચિત્તવાલો, હર્ષને લીધે વિસ્તાર પામ્યાં છે રોમરાજી જેનો એવો તે ગુરૂની, સંઘની અને સાધર્મિકની નિષ્કપટ ભક્તિ વડે પૂજા કરે. [૩૧]પ્રધાન જિનેન્દ્ર પ્રસાદ, જિનબિંબ, અને ઉત્તમ પ્રતિષ્ઠાને વિષે તથા પ્રશસ્ત પુસ્તક લખાવવામાં, સુતીર્થમાં અને તીર્થંકરની પૂજાને વિશે શ્રાવક પોતાના દ્રવ્યને વાપરે. ૩૨-૩૩]જો તે શ્રાવક સર્વ વિરતિ સંયમને વિષે પ્રીતિવાળો. વિરુદ્ધ મન (વચન) અને કાયાવાલો, સ્વજન કુટુંબના અનુરાગ રહિત, વિષય ઉપર ખેદવાળો અને વૈરાગ્યવાળો. તે શ્રાવક સંથારા રૂપ દીક્ષાને અંગીકાર કરે અને નિયમ વડે દોષ રહિત સર્વવિરિતિ રૂપ પાંચ મહાવ્રતે પ્રધાન સામાયિક ચારિત્રને અંગીકાર કરે. [૩૪-૩૫]હવે તે સામાયિક ચારિત્ર ધારણ કરનાર અને મહાવ્રતને અંગીકાર કરનારો જે સાધુ તથા છેલ્લું પચ્ચખાણ કરું એવા નિશ્ચયવાળો દેશ વિરતિ શ્રાવક. મોટા ગુણો વડે મહાન ગુરૂના ચરણ કમલમાં મસ્તક વડે નમસ્કાર કરીને કહે છે કે હે ભગવન્! તમારી અનુમતિથી ભક્ત પરિજ્ઞા અણશણ હું અંગીકાર કરું છું ૩૬-૩૯)આરાધના વડે તેને (અણસણ લેનારન) અને પોતાને કલ્યાણ થાય તેમ દિવ્ય નિમિત્ત વડે જાણીને, આચાર્ય અણસણ લેવરાવે, નહિ તો નિમિત્ત જોયા વિના લેવાય તો) ષ લાગે. ત્યાર પછી તે ગુરૂ ઉત્કૃષ્ટ સર્વ દ્રવ્યો પોતાના શિષ્યને દેખાડીને ત્રણ પ્રકારના આહારનાં જાવજીવ સુધી પચ્ચકખાણ કરાવે. તે (ઉત્કૃષ્ટ દ્રવ્યોને જોઈને ભવ સમુદ્રના કાંઠે પહોંચેલા મારે આના વડે શું કામ છે એમ કોઈ જીવ ચિંતવે, કોઈ જીવ દ્રવ્યની ઈચ્છા હોય તે ભોગવીને સંવેગ પામ્યો છતાં એ પ્રમાણે ચિંવે. શું મેં ભોગવીને છાંડયું નથી, જે પવિત્ર પદાર્થ હોય તે પરિણામે અશુચિ છે એમ જ્ઞાનમાં તત્પર થઈને શુભ ધ્યાન કરે, જે વિષાદ પામે તેને આવી ચોયણા પ્રિરણા) આપવી ૪િ૦]ઉદરમલની શુદ્ધિને અર્થે સમાધિપાન (સાકર વિગેરેનું પાણી) એને સારું હોય તો તે મધુર પાણી પણ તેને પાવું અને થોડું થોડું વિરેચન કરાવવું. ૪૧-૪૨એલચી, તજ, નાગકેસર અને તમાલપત્ર સાકરવાળું દૂધ કઢીને ટાઢું કરી પાઈએ તે સમાધિ પાણી કહીએ. (એ પીવાથી તાપ ઉપશમે) ત્યાર પછીફોફલાદિક દ્રવ્ય કરીને મધુર ઔષધનું વિરેચન કરાવવું જોઈએ. કેમ કે એ રીતે ઉદરનો અગ્નિ હોલવાવાથી આ (અણશણનો કરનારો) સુખે સમાધિ પામે છે. ૩િઅનશન કરનાર તપસ્વી જાવજીવ સુધી ત્રણ પ્રકારના આહાર (અશન, ખાદિમ, અને સ્વાદિમ) ને અહીં વોસિરાવે છે, એમ નિયમિણા કરાવનાર આચાર્ય સંઘને નિવેદન કરે. [જતે (તપસ્વી) ને આરાધના સબંધિ સર્વ વાત નિરૂપસર્ગ પણે પ્રવર્તે તે Page #14 -------------------------------------------------------------------------- ________________ માથા-૪૪ 35 માટે સર્વ સંઘે બનેં છપ્પન શ્વાસોશ્વાસનો કાઉસ્સગ કરવો. [૫-૪૬)ત્યાર પછી તે આચાર્ય સંધના સમુદાયમાં ચૈત્યવંદન પૂર્વક વિધિ વડે તે ક્ષેપક તપસ્વી) ને ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરાવે. અથવા સમાધિને અર્થે ત્રણ પ્રકારના આહારને સાગારપણે પચ્ચકખે. ત્યાર પછી પીને પણ અવસરે વોસિરાવે. ૪૭]ત્યાર પછી મસ્તક નમાવી પોતાના બે હાથને મસ્તકે મુકુટ સમાનકરીને તે (અણશણ કરનાર) વિધિ વડે સંવેગ પમાડતો સર્વ સંઘને ખમાવે. [૪૮]આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, કુલ અને ગણ ઉપર મેં જે કોઈ કષાય કર્યાહોય, તે સર્વે હું ત્રિવિધ (મન, વચન, કાયા વડે) ખમાવું છું. [૪]હે ભગવન્! મારા સર્વે અપરાધના પદ (વાંક), હું નમાવું છું માટે મને ખમો હું પણ ગુણના સમૂહવાળા સંઘને શુદ્ધ થઈને ખમાવું છું. [૫૦]આ રીતે વંદન, ખામણાં અને સ્વનિંદાઓ વડે સો ભવનું ઉપાર્જેલું કમી એક ક્ષણ માત્રમાં મૃગાવતી રાણીની પેઠે ક્ષય કરે છે. પિન-પપહવે મહાવ્રતને વિષે નિશ્ચલ રહેલા. જિનવચન વડે ભાવિત મનવાળા, આહારનાં પચ્ચખાણ કરનાર અને તીવ્ર સંવેગ વડે મનોહાર તે (અણસણ કરનાર)ને. અણશણની આરાધનાના લાભથી પોતાને કૃતાર્થ માનનારા તેને આચાર્ય મહારાજ પાપરૂપી કાદવને ઓળંગવાને લાકડી સમાન શીખામણ આપે છે. વધ્યું છે કુગ્રહ (કદાગ્રહ) રૂપી મૂલ જેનું એવા મિથ્યાત્વને મૂલથકી ઉખેડી નાંખી હે વત્સ ! પરમતત્ત્વ એવા સમ્યકત્વને સૂત્રનીતિએ વિચાર. વળી ગુણના અનુરાગ વડે વીતરાગ ભગવાનની તીવ્ર ભક્તિ કર. તથા પ્રવચનના સાર એવા પાંચ નમસ્કારને વિષે અનુરાગ કર. સુવિહિત સાધુને હિતના કરનાર સ્વાધ્યાયને વિષે હંમેશાં ઉદ્યમવંત થા, અને નિત્ય પાંચ મહાવ્રતની રક્ષા આત્મ સમક્ષ કર. [પ-પ૯]મોહ વડે કરીને મોટા અને શુભકર્મને વિષે શલ્ય સમાન નિયાણ શલ્યનો તું ત્યાગ કર, અને મુનીંદ્રોના સમૂહમાં નિધએલ ઈદ્રિય રૂપી મૃગેંદ્રોને તું દમ નિવણ સુખમાં અંતરાયભૂત, નરકાદિને વિષે ભયંકર પાતકારક અને વિષય તૃષ્ણામાં સદા સહાય કરનાર કષાયો રૂપી પિશાચોને હણ. કાળ નહીં પહોંચતે અને હમણાં થોડું ચારિત્ર બાકી રહે છતે, મોહ રૂપી મહા વૈરીને વિદારવાને માટે ખડ્રગ અને લાઠી (ડાંગ) સમાન હિત શિક્ષાને તું સાંભલ. સંસારના મૂળ બીજભૂત મિથ્યાત્વનો સર્વ પ્રકારે ત્યાગ કર, સમ્યકત્વને વિષે દઢ ચિત્તવાલો થઈ, નમસ્કારના ધ્યાનને વિષે કુશલ થા. [0] જેમ માણસો પોતાની તૃષ્ણા વડે મૃગતૃષ્ણાને વિષે (ઝાંઝવાના જલમાં) પાણી માને છે, તેમ મિથ્યાત્વથી મૂઢ મનવાલો કુધર્મ થકી સુખની ઈચ્છા કરે છે. [૬૧]તીવ્ર મિથ્યાત્વ જીવોને જે મહા દોષ કરે છે, તે દોષ અગ્નિ, વિષ કે કૃષ્ણ સર્પ પણ કરતા નથી. [૨]મિથ્યાત્વથી મૂઢ ચિત્તવાળો સાધુ ઉપર દ્વેષ રાખવા રૂપી પાપથી તુરૂમણિ નગરીના દત્તરાજાની પેઠે તીવ્ર દુઃખ આ લોકમાં જ પામે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ 36 ભરપરિણા - [3] [૩]સર્વ દુઃખનો નાશ કરનાર સમ્યકત્વને વિષે તું પ્રમાદ ન કરીશ, કારણ કે સમ્યકત્વને આધારે જ્ઞાન, તપ, વીર્ય અને ચારિત્ર રહેલાં છે. [૬૪]જેવો તું પદાર્થના ઉપર અનુરાગ કરે છે, પ્રેમનો અનુરાગ કરે છે અને સદ્દગુણના અનુરાગને વિષે રક્ત થાય છે. તેવો જ જિનશાસનને વિષે હમેશાં ધર્મના અનુરાગ વડે રક્ત થા. [૬૫-૬]સમ્યકત્વથી ભ્રષ્ટ તે સર્વથી ભ્રષ્ટ જાણવો પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલો બધાંથી ભ્રષ્ટ થતો નથી, કેમ કે સમ્યકત્વ પામેલા જીવને સંસારને વિષે ઝાઝું પરિભ્રમણ નથી. દર્શન થકી ભ્રષ્ટ તે ભ્રષ્ટ જાણવો, કારણ કે સમ્યકત્વથી પડેલાને મોક્ષ નથી. ચારિત્રથી રહિત જીવ મુક્તિ પામે છે, પણ સમકિતથી રહિત જીવ મોક્ષ પામતા નથી. [૭]શુદ્ધ સમક્તિ છતે અવિરતિ જીવ પણ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. જેમ આગામી કાળમાં કલ્યાણ થવાનું છે જેમનું એવા હરિવંશના પ્રભુ એટલે કૃષ્ણ મહારાજ અને શ્રેણિક વિગેરે રાજાઓએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું તેમ.. [૬૮]નિમલ સમ્યકત્વવાળા જીવો કલ્યાણની પરંપરાને પામે છે. કેમ કે) સમ્યગુદશર્ન રૂપી રત્ન સુર અને અસુર લોકને વિષે અમૂલ્ય છે. [૬૯]ત્રણ લોકની પ્રભુતા પામીને પણ કાળે કરીને જીવ પડે છે. પણ સમ્યકત્વ પામે છતે જીવ અક્ષય સુખવાળા મોક્ષ પામે છે. [70-72] અરિહંત સિદ્ધ, ચિત્ય, જિન પ્રતિમા) પ્રવચનસિદ્ધાંત, આચાર્ય, અને સર્વ સાધુઓને વિષે મન, વચન અને કાયા એ ત્રણ કારણ વડે શુદ્ધ ભાવથી તીવ્ર ભક્તિ કર. એકલી જિનભક્તિ પણ દુર્ગતિને નિવારવાને સમર્થ થાય છે અને સિદ્ધિ પામે ત્યાં સુધી દુર્લભ એવા સુખોની પરંપરા થાય છે. વિદ્યા પણ ભક્તિવેને સિદ્ધ થાય છે અને ફળને આપનારી થાય છે. તો વળી શું મોક્ષની વિદ્યા અભક્તિવંતને સિદ્ધ થાય ? [73] તે આરાધનાઓના નાયક વિતરાગ ભગવાનની જે માણસ ભક્તિ ન કરે તે માણસ ઘણો પણ ઉદ્યમ કરતો ડાંગરને ઊખર ભૂમિમાં વાવે છે. * [૭૪]આરાધકની ભક્તિ ન કરતો છતાં પણ આરાધનાને ઈચ્છતો માણસ બી વિના ધાન્યની અને વાદળાં વિના વરસાદની ઈચ્છા કરે છે. [૫]રાજગૃહ નગરમાં મસિઆર શેઠનો જીવ જે દેડકો થયો હતો તેની જેમ, શ્રી જિનેશ્વર મહારાજની ભક્તિ ઉત્તમ કુલમાં ઉત્પત્તિ અને સુખની નિષ્પતિ કરે છે. [૭૪]આરાધનાપૂર્વક, બીજે ઠેકાણે ચિત્ત રોક્યા વિના, વિશુદ્ધ લેશ્યાથી સંસારના ક્ષયને કરનાર નવકાને તું મુકતો નહિ. [૭૭]મરણની વખતે જે અરિહંતને એક પણ નમસ્કાર થાય તો તે સંસારનો. નાશ કરવાને સમર્થ છે એમ જિનેશ્વર ભગવાને કહેલું છે. ૭િ૮)માઠાં કર્મનો કરનારો મહાવત, જેને ચોર કહીને ભૂલીએ ચઢાવેલો. તે પણ “નમો નિણાર્ણ'કહેતો શુભ ધ્યાને વર્તતો કમલપત્રના જેવી આંખવાલો યક્ષ થયો. [૭૦]ભાવ નમસ્કાર રહિત, નિરર્થક દ્રવ્યલિંગો જીવે અનંતી વાર ગ્રહણ કર્યા 1995 Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 80 અને મૂક્યાં છે. [8] આરાધના રૂપ પતાકા લેવાને નમસ્કાર હાથરૂપ થાય છે, તેમજ સદ્ગતિના માર્ગે જવામાં તે જીવને અપ્રતિહત રથ સમાન છે. ૮૧]અજ્ઞાની ગોવાળ પણ નવકાર આરાધીને મરણ પામ્યો તે ચંપાનગરીને વિષે શ્રેષ્ઠ પુત્ર સુદર્શન નામે પ્રખ્યાત થયો. [82 જેમ સારી રીતે આરાધેલી વિદ્યા વડે પુરૂષ, પિચાશને વશ કરે છે, તેમ સારી રીતે આરાધેલું જ્ઞાન મનરૂપી પિચાશને વશ કરે ચે. [૩]જેમ વિધિએ આરાધેલા મંત્રવડે કૃષ્ણ સર્પ ઉપશમે છે, તેમ સારી રીતે * આરાધેલા જ્ઞાન વડે મનરૂપી કૃષ્ણ સર્પ વશ થાય છે. [૮૪]જેમ માંકડો ક્ષણમાત્ર પણ નિશ્ચલ રહી શકતો નથી, તેમ વિષયોના આનંદ વિના મન ક્ષણમાત્ર મધ્યસ્થ (નિશ્ચલ રહી શકતું નથી. ૮૫]તે માટે તે ઉઠતા મનરૂપી માંકડાને જિનના ઉપદેશ વડે દોરીથી બાંધેલો કરીને શુભ ધ્યાનને વિષે રમાડવો. [૮]જેમ દોરા સહિત સોય કચરામાં પડી હોય તો પણ ખોવાતી નથી, તેમ (શુભ ધ્યાનરૂપી દોરા સહિત જીવ પણ સંસારને વિષે પડયો હોય તો પણ નાશ પામતો નથી. [29]જો લૌકિક શ્લોકો વડે યવ રાજર્ષિએ રાજાને મરણ થકી બચાવ્યો અને તે (રાજા) રૂડું સાધુપણું પામ્યો, તો જિનેશ્વર ભગવાને કહેલા સૂત્રવડે જીવ મરણના દુખથી છુટે એમાં શું કહેવું? 1 [૮૮]અથવા ઉપશમ, વિવેક, સંવર એ પદના સાંભળવા (સ્મરણ) માત્ર (તેટલા જ) શ્રુતજ્ઞાનવાળો ચિલાતીપુત્રજ્ઞાન તેમજ દેવપણું પામ્યો. [૯]જીવના ભેદને જાણીને જાવજીવે પ્રયત્નવડે સમ્યફ મન, વચન, કાયાના યોગવડે છે કાયના જીવના વધનો ત્યાગ કર. [૯૦)જેમ તને દુઃખ વહાલું લાગતું નથી, એમ સર્વ જીવને પણ દુખ ગમતું નથી એવું જાણીને, સર્વ આદરવડે ઉપયુક્ત (સાવધાન) થઈ આત્મવતુ દરેક જીવને માનીને તું દયાને કર [૯૧જેમ જગતને વિષે મેરૂ પર્વત કરતાં કોઈ ઉંચું નથી અને આકાશથી કોઈ મોટું નથી, તેમ અહિંસા સમાન ધર્મ નથી એમ તું જાણ. - ૯રઆ જીવ સર્વ જીવો સાથે સર્વ પણ (સઘળાએ) સંબંધો પામ્યો છે. તેથી જીવોને મારતો સર્વ સંબંધિઓને મારે છે. [93 જીવનો વધ તે આપણો જ વધ ાણવો અને જીવની દયા તે આપણી જ દયા છે, તેથી આત્માના સુખને ઈચ્છતા જીવોએ સર્વ જીવ હિંસા ત્યાગ કરી છે. 4] ચાર ગતિમાં રખડતા જીવને જેટલાં દુઃખો થાય છે તે સર્વે હિંસાનાં ફળ છે એમ સુક્ષ્મ બુદ્ધિથી જાણ. ૯િ૫]જે કંઈ મોટું સુખ, પ્રભુપણું, જે કંઈ સ્વભાવિક રીતે સુંદર છે તે. નિરોગપણું, સૌભાગ્યપણું, તે તે સર્વે અહિંસાનું ફળ સમજવું. Page #17 -------------------------------------------------------------------------- ________________ ભરપરિણા- [6] કિસ્સુમાર કહને વિષે ફેંકાએલો છતાં ચંડાલ પણ એક દિવસમાં એક જીવ બચાવવાથી ઉત્પન્ન થએલા અહિંસા વ્રતના ગુણવડે દેવતાનું સાનિધ્ય પામ્યો. ૭િસર્વે પણ ચાર પ્રકારના અસત્ય વચનને પ્રયત્નવડે ત્યાગ કર, જે માટે સંયમવંત પુરૂષો પણ ભાષાના દોષવડે (અસત્ય ભાષણવડે કર્મથી) લેપાય છે. ચાર પ્રકારનાં અસત્ય આ પ્રમાણે :- અછતાનું પ્રગટ કરવું જેમ આત્મા સર્વગત છે, બીજો અર્થ કહેવો, જેમ ગો શબ્દ શ્વાન. છતાને ઓળવવું જેમ આત્મા નથી. નિંદાનું કરવું, જેમ ચોર ન હોય તેને ચોર કહેવો. [98] વળી હાસ્ય વડે, ક્રોધ વડે, લોભ વડે, અને ભય વડે તે અસત્ય ન બોલ, પણ જીવને હિતકારી અને સુંદર સત્ય વચન બોલ. | [9] સત્યવાદી પુરૂષ માતાની પેઠે વિશ્વાસ રાખવા લાયક, ગુરૂની પેઠે લોકને પૂજવા યોગ્ય અને સગાંની પેઠે સર્વને વહાલો લાગે છે. [100 જટાવંત હોય અથવા શિખાવંત હોય, મુંડ હોય, વલ્કલ (ઝાડની છાલનાં વસ્ત્રો પહેરનાર હોય અથવા નગ્ન હોય તો પણ અસત્યવાદીઓ લોકને વિશે પાખંડી અને ચંડાલ કહેવાય છે. [101] એક વાર પણ બોલેલું જૂઠું ઘણાં સત્ય વચનોનો નાશ કરે છે, કેમકે એક અસત્ય વચન લડે વસુ રાજા નરકને વિષે પડ્યો. [102] હે ધીર ! થોડું કે વધારે પારકું ધન (જેમકે) દાંત ખોતરવાને માટે એક સળી માત્ર પણ, અદત્ત (આપ્યા વિના) લેવાને વિચાર ન કર. [103] વળી જે પુરૂષ (પારકું) દ્રવ્ય હરણ કરે છે તે તેનું જીવિત પણ હરણ કરે છે. કારણ કે તે પુરૂષ પૈસાને માટે જીવનો ત્યાગ કરે છે, પણ પૈસાને છોડતો નથી. [104] તેથી જીવદયા રૂપ પરમ ધર્મને ગ્રહણ કરીને અદત્ત ન લે, કેમકે જિનેશ્વર ભગવાને અને ગણધરે તે નિષેધ્યું છે, તેમજ લોક વિરૂદ્ધ અને અધર્મ છે. [105] ચોર પરલોકમાં પણ નરક તિર્યંચને વિષે ઘણાં દુખો પામે છે; મનુષ્યપણામાં પણ દીન અને દરિદ્રતાથી પીડાએલો થાય છે. [10] ચોરીથી નિવર્સેલો શ્રાવકનો પુત્ર જેમ સુખ પામ્યો, કાઢી નામની ડોશીને ઘેર ચોર પેઠા. તે ચોરોના પગોને વિશે ડોશીએ અંગુઠો મોર પિંછવડે ચિતર્યો તે એંધાણ નિશાની) એ રાજાએ ઓળખીને શ્રાવકના પુત્રને છોડીને બધા ચોરોને માય. [107] નવ બ્રહ્મચર્યની ગુપ્તિ વડે શુદ્ધ બ્રહ્મચર્યનું તું રક્ષણ કર, અને કામને ઘણા દોસાથી ભરેલો જાણીને હંમેશા જીત. [108] ખરેખર જેટલા દોષો આલોક અને પરલોકને વિષે દુખના કરનારા છે, તે બધા દોષોને મનુષ્યની મૈથુનસંજ્ઞા લાવે છે. [૧૦૯-૧૧૦]રતિ અને અરતિરૂપ ચંચલ બે જીભવાલા, સંકલ્પરૂપ પ્રચંડ ફણાવાલા, વિષયરૂપ બિલમાં વસનારા, મદરૂપ મુખવાલા અને ગર્વથી અનાદરરૂપ રોષવાલા. લજ્જારૂપ કાંચળીવાળા, અહંકારરૂપ દાઢવાળા અને દુસહ દુઃખકારક વિષવાલા કામરૂપી સર્પ વડે ડસાયેલા માણસો પરવશ થએલા દેખાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ વગાથા -111 [૧૧૧-૧૧૩)રૌદ્ર નરકની વેદનાઓ અને ઘોર સંસાર સાગરનું વહન કરવું - તેને તે જીવ પામે છે, પરંતુ કામિત સુખનું તુચ્છપણું જોતો નથી. જેમ કામના સેંકડ઼ બાણવડે વિંધાએલો અને વૃદ્ધ થએલો વાણીઓ રાજાની સ્ત્રીએ પાયખાનાના ખાળની અંદર નાંખ્યો ને અનેક દુર્ગધોને સહન કરતો ત્યાં રહ્યો. કામાસકત માણસ વૈશ્યાયન તાપસની પેઠે ગમ્ય અને અગમ્યને જાણતો નથી. જેમ કુબેરદત્ત શેઠ તરત બાળકને જન્મ આપનારી પોતાની માતાના ઉપર સુરત (વિષય) સુખથી રક્ત થએલો રહ્યો. ૧૧૪]કંદર્પથી વ્યાપ્ત અને દોષરૂપ વિષની વેલડી સરખી સ્ત્રીઓને વિષે જેણે કામે કલહ પ્રેય છે એવા પ્રતિબંધને સ્વભાવથી જોતા એવા તમે છોડી દો. [૧૧૫]વિષયમાં અંધ બનેલી સ્ત્રી કુલ, વંશ, પતિ, પુત્ર, માતા તેમજ પિતાને નહિ ગણકારતી દુઃખરૂપી સમુદ્રમાં પાડે છે. [૧૧]સ્ત્રીઓને નદી સાથે સરખાવતાં જણાવે કે–સ્ત્રીઓ નીચગામીની. (નદી પક્ષે ઢળતી જમીનમાં જનારી સારા સ્તનવાલી, (નદી પક્ષે-સુંદર પાણીને ધારણ કરનારી) દેખવા યોગ્ય સુંદર અને મંદ ગતિવાળી નદીઓની પેઠે મેરૂ પર્વત જેવા ભારે (પુરૂષો) ને પણ ભેદી નાંખે છે. [૧૧૭]અતિશય પરિચયવાલી, અતિશય પ્રિય. વળી અતિશય પ્રેમવંત એવી પણ સ્ત્રીઓ રૂપ સાપણોને વિષે ખરેખર કોણ વિશ્વાસ કરે. [૧૧૮]હણએલી આશાવાળી (તે સ્ત્રીઓ) અતિ વિશ્વાસવંત, ઉપકારને વિશે તત્પર, અને ગાઢ પ્રેમવાળા પણ એક વાર અપ્રિય કરનાર પતિને જલદી મરણ પમાડે છે. [૧૧૮]સુંદર દેખાવવાળી,સુકુમાર અંગવાળી અને ગુણથી (દોરીથી) બંધા એલી. નવી જાઈની માળા જેવી સ્ત્રીઓ પુરૂષના હૃદયને હરણ કરે છે. [૧૨]પરંતુ, દર્શનની સુંદરતાથી મોહ ઉત્પન્ન કરનાર તે સ્ત્રીઓની આલિંગનરૂપ મદિરા. કણેરની વિધ્ય (વધ્ય પુરૂષને ગળે પહેરાવવામાં આવતી) માળાની પેઠે પુરૂષોને વિનાશ આપે છે. [121 સ્ત્રીઓનું દર્શન ખરેખર સુંદર છે, માટે સંગમના સુખ વડે સર્યું માલાની ગંધ પણ સુગંધી હોય છે, પણ મર્દન વિનાશરૂપ થાય છે. [૧૨૨]સાકેતે નગરનો દેવરતિ નામે રાજા રાજ્યના સુખથી ભ્રષ્ટ થયો, કારણ કે રાણીએ પાંગળા ઉપરના રાગના કારણે તેને નદીમાં ફેંકયો અને તે નદીમાં બૂડયો. ૧૨૩રરી શોકની ની, દુરિતની પાપની) ગુફ, કપટનું ઘર, કલેશની કરનારી વૈરરૂપી અગ્નિને સળગાવવાને અરણીના લાકડા સમાન, દુઃખની ખાણ અને સુખની પ્રતિપક્ષી છે. [124] કામના બાણના વિસ્તારવાળા મૃગાક્ષીઓ (સ્ત્રીઓ) નાં દષ્ટિનાં કટાક્ષને વિષેથી મનના નિગ્રહને નહિ જાણનાર કયો પુરૂષ સમ્યફ પ્રકારે નાશી જવાને સમર્થ થાય? [૧રપીઅતિ ઉંચા અને ઘણાં વાદળાંવાળી મેઘમાલા જેમ હડકવાના વિષને વધારે તેમ અતિશય ઉંચા પયોધર(સ્તન)વાળી સ્ત્રીઓ પુરૂષના મોહ વિષને વધારે છે. [૧૨]તેથી દષ્ટિવિષ સપની દષ્ટિની જેવી તે સ્ત્રીઓની દષ્ટિનો તમે ત્યાગ કરો; કેમકે સ્ત્રીનાં નેત્રબાણ ચારિત્રરૂપી પ્રાણોનો નાશ કરે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ 40 ભરપરિણા-૨૭] [૧૭]સ્ત્રીની સોબતથી અલ્પ સત્વવાળા મુનિનું પણ મન નથી મીણ ઓગળી જાય તેમ ખરેખર જલદી ઓગળી જાય છે. [૧૨૮]જો સર્વ સંગનો પણ ત્યાગ કરનાર અને તપવડે પાતળા અંગવાળા હોય તો પણ કોશાના ઘરમાં વસનાર સિંહ ગુફાવાસી) મુનિની જેમ સ્ત્રીના સંગથી મુનિઓ ચલાયમાન થાય છે. " [૧૨૯શૃંગારરૂપી કલ્લોલવાળી, વિલાસરૂપી ભરતીવાળી, અને યૌવનરૂપી પાણીવાળી સ્ત્રીરૂપી નદીમાં જગતના ક્યા ક્યા પુરૂષો નથી ડુબતા ? [૧૩૦]ધીર પુરૂષો વિષયરૂપ જલવાળા, મોહરૂપી કાદવવાળા, વિલાસ અને અભિમાનરૂપી જલચરોથી ભરેલા, અને મદરૂપી મગરવાળા, યૌવનરૂપી સમુદ્રને તરી ગયા છે. [૧૩૧]કરવા કરાવવા અને અનુમોદવારૂપ ત્રણ કરણવડ અને મન, વચન અને કાયાના યોગોવડે અત્યંતર અને બાહ્ય એવા સર્વે સંગોનો તું ત્યાગ કર. ૧૩ર-૧૩સંગના (પરિગ્રહના) હેતુથી જીવ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, મૈથુન સેવે છે, અને પરિમાણ રહિત મૂછ કરે છે. (પરિગ્રહનું પરિમાણ કરતો નથી.) પરિગ્રહ મોટા ભયનું કારણ છે, કારણ કે પુત્રે દ્રવ્ય ચોર્યે છતે શ્રાવક કુંચિક શેઠે મુનિપતિ મુનિને વહેમથી પીડા કરી. [૧૩૪સર્વ (બાહ્ય અને અત્યંતર) પરિગ્રહથી મુક્ત. શીતલ પરિણામ વાળ, અને ઉપશાંત ચિત્તવાળો પુરૂષ નિલભપણાનું (સંતોષનું જે સુખ પામે છે તે સુખ ચક્રવર્તી પણ પામતા નથી. [૧૩પ-૧૩૭] શલ્ય રહિત મુનિનાં મહાવ્રતો, અખંડ અને અતિચાર રહિત હોય તે મુનિના પણ મહાવ્રતો, નિયાણ શલ્યવર્ડ નાશ પામે છે. તે નિયાણ શલ્ય રાગગર્ભિત, દ્વેષગર્ભિત અને મોહગર્ભિત, ત્રણ પ્રકારે થાય છે; ધર્મને માટે હીન કુળાદિકની પ્રાર્થના કરે તે મોહગર્ભિત નિયાણું સમજવું, રાગને લીધે જે નિયાણું કરવું તેં રાગગર્ભિત અને દ્વેષને લીધે જે નિયાણું કરવું તે દ્વેષગર્ભિત જાણવું. રાગ ગર્ભિત નિયાણાને અંગે ગંગદત્તનું, દ્વેષ ગર્ભિત નિયાણાને અંગે વિશ્વભૂતિ વગેરે (મહાવીર સ્વામીના જીવ) નું, અને મોહ ગર્ભિત નિયાણાને અંગે ચંડપિંગલ આદિનાં દષ્ટાંત પ્રસિદ્ધ છે. [૧૩૮]જે મોક્ષના સુખને અવગણીને અસાર સુખના કારણરૂપ નિયાણું કરે છે તે પુરૂષ કાચમણિને માટે વૈર્ય રત્નનો નાશ કરે છે. [139] દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિ મરણ અને બોધિ બીજનો લાભ એટલી વસ્તુની પ્રાર્થના કરવી, તે સિવાય બીજું કંઈ માગવા યોગ્યનથી. ( ૧૪૦નિયાણ શલ્યનો ત્યાગ કરી, રાત્રિભોજનની નિવૃત્તિ કરી, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિવડે પાંચ-મહાવ્રતની રક્ષાને કરતો મોક્ષ સુખને સાધે છે. 141 ઈંદ્રિયોના વિષયમાં આસક્ત જીવો સુશીલ ગુણરૂપ પીછાં વિનાના અને છેદાએલી પાંખવાલા પક્ષીની જેમ સંસારસાગરમાં પડે છે. [૧૪ર-૧૪૩જેમ શ્વાન (કુતરો) સુકાઈ ગયેલા હાડકા ચાટવા છતાં તેના રસને પામતો નથી અને પોતાના) તાળવાનો રસ શોષવે છે, છતાં તેને ચાટતો તે સુખ માને છે. તેમ સ્ત્રીઓના સંગને સેવનાર પુરૂષ કંઈ પણ સુખ પામતો નથી, તોપણ તે બાપડો પોતાના શરીરના પરિશ્રમને સુખ માને છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 144 [૧૪]સારી રીતે શોધવા છતાં જેમ કેળના ગર્ભમાં કોઈ ઠેકાણે સાર નથી. તેમ ઈદ્રિયોના વિષયોમાં ઘણું શોધમાં છતાં સુખ મળતું નથી. [૧૪૫]શ્રોત્ર ઈદ્રિય વડે પરદેશ ગએલા સાર્થવાહની સ્ત્રી, ચક્ષુના રાગવડે મથુરાનો વાણિયો, ઘાણને વશે રાજપુત્ર અને આહવા રસે સોદાસ રાજા હણાયો. [૧૪]સ્પર્શઈદ્રિયવહે દુષ્ટ સમાલિકાનો રાજા નાશ પામ્યો; એકૈક વિષયે તે જો નાશ પામ્યાં તો પાંચેઈદ્રિયોમાં આસક્ત હોય તેનું શું? ૧૪૭વિષયની અપેક્ષા કરનારો જીવ દુસ્તર ભવ સમુદ્રમાં પડે છે, અને વિષયથી નિરપેક્ષ હોય તે ભવસમુદ્રને તરે છે. આ ઉપર) રત્નદ્વીપની દેવીને મળેલા જિનાલિત અને જિનરક્ષિત નામના બે ભાઈઓનું દષ્ટાંત કહ્યું છે. [૧૪૮]રાગની અપેક્ષા રાખનારા જીવો ઠગાયા છે અને રાગની અપેક્ષા વિનાના વિઘ્ન વિના (ઈચ્છિતને) પામ્યા છે, પ્રવચનના સારને પામેલા જીવોએ રાગની અપેક્ષા વિનાના થવું. [૧૪]વિષયમાં આસક્તિ રાખતા જીવો ઘોર સંસાર સાગરને વિષે પડે છે, અને વિષયોમાં આસક્તિ વિનાના જીવો સંસારરૂપી અવીને ઓળંગી જાય છે. A [૧૫]તેથી હે ધીર પુરૂષ ! ધીરજરૂપી બળવડે દુદાંત દુઃખે દમાય તેવા) ઈદ્રિયોરૂપ સિહોને દમ; તેથી કરીને અંતરંગ વૈરીરૂપ રાગ અને દ્વેષનો જય કરનાર તું આરાધના પતાકાનો સ્વીકાર કર. ૧૫૧]ક્રોધાદિકના વિપાકને જાણીને અને તેના નિગ્રહથી થતા ગુણને જાણીને હે સુપુરૂષ! તું પ્રયત્ન વડે કષાયરૂપી કલેશનો નિગ્રહ કર. [૧૫]જે ત્રણ જગતને વિષે અતિ તીવ્ર દુઃખ છે અને જે ઉત્તમ સુખ છે તે સર્વ અનુક્રમે કષાયની વૃદ્ધિ અને ક્ષયનું કારણ સમજ. [૧૩]ક્રોધવડે નંદ વિગેરે, અને માનવડે પરશુરામાદિ, માયાવડે પંડરજ્જા. (પાંડુ આયા) અને લોભવડે લોહનંદાદિ દુઃખ પામ્યા છે. [154-15] આ પ્રકારના ઉપદેશરૂપ અમૃત પાનવડે ભીના થએલા ચિત્તને વિષે, જેમ તરસ્યો માણસ પાણી પીને શાંત થાય તેમ, તે શિષ્ય અતિશય સ્વસ્થ થઈ ને કહે છે. હે ભગવાન! હું ભવરૂપી કાદવને ઓળંગવાને દઢ લાકડી સમાન આપની હિત શિક્ષાને ઈચ્છું છું. આપે છે જેમ કહ્યું કે હું તેમ કરું છું. એમ વિનયથી નમેલો તે કહે છે. ' [156-159] કોઈ દિવસ (આ અવસરમાં) અશુભ કર્મના ઉદયથી શરીરને વિષે વેદના અથવા તૃષા વિગેરે પરિષહો તેને ઉત્પન્ન થાય. તો નિયમિક, ક્ષપક (અનશન કરનાર) ને સ્નિગ્ધ, મધુર, હર્ષદાયી હૃદયને ગમતું. અને સાચું વચન કહેતા શીખામણ આપે. હે સતુ પુરૂષ ! તે ચતુર્વિધ સંઘની વચ્ચે મોટી પ્રતિજ્ઞા કરી હતી. કે હું સારી રીતે આરાધના કરીશ તેનું સ્મરણ કર. અરિહંત, સિદ્ધ, કેવલી અને સર્વ સંઘની સાક્ષીએ પ્રત્યક્ષ કરેલા પચ્ચખ્ખણનો ભંગ કોણ કરે? [૧૬૦-૧૩]શિયાલણીથી અતિશય ખવાતા,ઘોર વેદના પામતા પણ અવંતિ સુકુમાલ ધ્યાન વડે આરાધના પામ્યા. સિદ્ધાર્થ (મોક્ષ) છે પ્યારું જેને એવા ભગવાન સુકોસલ પણ ચિત્રકૂટ પર્વતને વિષે વાઘણવડે ખવાતા મોક્ષ પામ્યા. ગોકુળમાં પાદપોપગમ અણશણ કરનાર ચાણકય મંત્રી સુબંધુ મંત્રીએ સળગાવેલાં Page #21 -------------------------------------------------------------------------- ________________ 42 ભરપરિણા -[13] છાણાંથી બળાયાછતાં ઉત્તમાર્થ (આરાધકપણાને પામ્યા. તે કારણથી હે ધીરપુરૂષ ! તું પણ સત્વને અવલંબીને ધીરતા ધારણ કર અને સંસારરૂપી મહા સમુદ્રનું નિર્ગુણપણે વિચાર. [14] જન્મ, જરા અને મરણ રૂપી પાણી વાળો, અનાદિ, દુષ્મ રૂપી વ્યાપદ (જળચર જીવો) વડે વ્યાપ્ત, અને જીવોને દુખનો હેતુ એવો ભવ સમુદ્ર ઘણો કષ્ટદાયી અને રૌદ્ર છે. [૧૬૫-૧૬૭]હું ધન્ય છું, કારણ કે મેં અપાર ભવ સમુદ્રને વિશે લાખો ભવમાં પામવાને દુર્લભ આ સદ્ધર્મ રૂપી નાવ (વહાણ) મેળવ્યું છે. એક વાર પ્રયત્નવડે પળાતા આના પ્રભાવડે, જીવો જન્માંતરને વિષે પણ દુઃખ અને ઘરિદ્રય પામતા નથી. આ ધર્મ અપૂર્વ ચિંતામણિ રત્ન છે, અને અપૂર્વ કલ્પવૃક્ષ છે, આ પરમ મંત્ર છે, વળી આ પરમ અમૃત સમાન છે. [૧૬૮]હવે (ગુરૂના ઉપદેશથી) મણિમય મંદિરને વિષે સુંદર રીતે સ્કુરાયમાન જિન ગુણ, રૂપ અંજન રહિત ઉદ્યોતવાળો વિનયવંત (આરાધક) પંચ નમસ્કારના સ્મરણ સહિત પ્રાણોનો ત્યાગ કરે. [૧૯]તે (શ્રાવક) ભક્ત પરિજ્ઞાને જઘન્યથી આરાધીને પરિણામની વિશુદ્ધિવડે સૌધર્મ દેવલોકમાં મહર્દિક દેવતા થાય છે. [૧૭૦]ઉત્કૃષ્ટપણે ભક્તપરિજ્ઞા આરાધીને ગૃહસ્થ અશ્રુત નામના બારમા દેવલોકમાં દેવતા થાય છે. અને જો સાધુ હોય તો ઉત્કૃષ્ટપણે મોક્ષને સુખ પામે છે અથવા તો સવર્થ સિદ્ધને વિશે જાય છે. [૧૭૧-૧૭૨)એ રીતે યોગીશ્વરજિનવીરસ્વામીએ કહેલા કલ્યાણકારી વચનો મુજબ કહેલા આ ભક્ત પરિજ્ઞા પન્નાને ધન્ય પુરૂષો ભણે છે, ભાવે છે અને સેવે છે (તેઓ શું પામે તે હવેની ગાથામાં જણાવે છે.) મનુષ્ય ક્ષેત્રને વિશે ઉત્કૃષ્ટપણે વિચરતા અને સિદ્ધાંતને વિષે કહેલ એકસો સિત્તેર તીર્થકરોની પેઠે એકસોસિત્તેર ગાથાઓની વિધિપૂર્વક આરાધના કરતો આત્મા શાશ્વત સુખવાળા મોક્ષને પામે છે. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ ભત્તપરિણા પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ ચોથો પયનો ગુર્જરછાયા પૂર્ણ Page #22 -------------------------------------------------------------------------- ________________ | ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Frelih Tah16 Ucla FIP Richard શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા elઠીf h13 tlone