SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વગાથા -111 [૧૧૧-૧૧૩)રૌદ્ર નરકની વેદનાઓ અને ઘોર સંસાર સાગરનું વહન કરવું - તેને તે જીવ પામે છે, પરંતુ કામિત સુખનું તુચ્છપણું જોતો નથી. જેમ કામના સેંકડ઼ બાણવડે વિંધાએલો અને વૃદ્ધ થએલો વાણીઓ રાજાની સ્ત્રીએ પાયખાનાના ખાળની અંદર નાંખ્યો ને અનેક દુર્ગધોને સહન કરતો ત્યાં રહ્યો. કામાસકત માણસ વૈશ્યાયન તાપસની પેઠે ગમ્ય અને અગમ્યને જાણતો નથી. જેમ કુબેરદત્ત શેઠ તરત બાળકને જન્મ આપનારી પોતાની માતાના ઉપર સુરત (વિષય) સુખથી રક્ત થએલો રહ્યો. ૧૧૪]કંદર્પથી વ્યાપ્ત અને દોષરૂપ વિષની વેલડી સરખી સ્ત્રીઓને વિષે જેણે કામે કલહ પ્રેય છે એવા પ્રતિબંધને સ્વભાવથી જોતા એવા તમે છોડી દો. [૧૧૫]વિષયમાં અંધ બનેલી સ્ત્રી કુલ, વંશ, પતિ, પુત્ર, માતા તેમજ પિતાને નહિ ગણકારતી દુઃખરૂપી સમુદ્રમાં પાડે છે. [૧૧]સ્ત્રીઓને નદી સાથે સરખાવતાં જણાવે કે–સ્ત્રીઓ નીચગામીની. (નદી પક્ષે ઢળતી જમીનમાં જનારી સારા સ્તનવાલી, (નદી પક્ષે-સુંદર પાણીને ધારણ કરનારી) દેખવા યોગ્ય સુંદર અને મંદ ગતિવાળી નદીઓની પેઠે મેરૂ પર્વત જેવા ભારે (પુરૂષો) ને પણ ભેદી નાંખે છે. [૧૧૭]અતિશય પરિચયવાલી, અતિશય પ્રિય. વળી અતિશય પ્રેમવંત એવી પણ સ્ત્રીઓ રૂપ સાપણોને વિષે ખરેખર કોણ વિશ્વાસ કરે. [૧૧૮]હણએલી આશાવાળી (તે સ્ત્રીઓ) અતિ વિશ્વાસવંત, ઉપકારને વિશે તત્પર, અને ગાઢ પ્રેમવાળા પણ એક વાર અપ્રિય કરનાર પતિને જલદી મરણ પમાડે છે. [૧૧૮]સુંદર દેખાવવાળી,સુકુમાર અંગવાળી અને ગુણથી (દોરીથી) બંધા એલી. નવી જાઈની માળા જેવી સ્ત્રીઓ પુરૂષના હૃદયને હરણ કરે છે. [૧૨]પરંતુ, દર્શનની સુંદરતાથી મોહ ઉત્પન્ન કરનાર તે સ્ત્રીઓની આલિંગનરૂપ મદિરા. કણેરની વિધ્ય (વધ્ય પુરૂષને ગળે પહેરાવવામાં આવતી) માળાની પેઠે પુરૂષોને વિનાશ આપે છે. [121 સ્ત્રીઓનું દર્શન ખરેખર સુંદર છે, માટે સંગમના સુખ વડે સર્યું માલાની ગંધ પણ સુગંધી હોય છે, પણ મર્દન વિનાશરૂપ થાય છે. [૧૨૨]સાકેતે નગરનો દેવરતિ નામે રાજા રાજ્યના સુખથી ભ્રષ્ટ થયો, કારણ કે રાણીએ પાંગળા ઉપરના રાગના કારણે તેને નદીમાં ફેંકયો અને તે નદીમાં બૂડયો. ૧૨૩રરી શોકની ની, દુરિતની પાપની) ગુફ, કપટનું ઘર, કલેશની કરનારી વૈરરૂપી અગ્નિને સળગાવવાને અરણીના લાકડા સમાન, દુઃખની ખાણ અને સુખની પ્રતિપક્ષી છે. [124] કામના બાણના વિસ્તારવાળા મૃગાક્ષીઓ (સ્ત્રીઓ) નાં દષ્ટિનાં કટાક્ષને વિષેથી મનના નિગ્રહને નહિ જાણનાર કયો પુરૂષ સમ્યફ પ્રકારે નાશી જવાને સમર્થ થાય? [૧રપીઅતિ ઉંચા અને ઘણાં વાદળાંવાળી મેઘમાલા જેમ હડકવાના વિષને વધારે તેમ અતિશય ઉંચા પયોધર(સ્તન)વાળી સ્ત્રીઓ પુરૂષના મોહ વિષને વધારે છે. [૧૨]તેથી દષ્ટિવિષ સપની દષ્ટિની જેવી તે સ્ત્રીઓની દષ્ટિનો તમે ત્યાગ કરો; કેમકે સ્ત્રીનાં નેત્રબાણ ચારિત્રરૂપી પ્રાણોનો નાશ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005087
Book TitleAgam Deep 27 BhattaParinna Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 27, & agam_bhaktaparigna
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy