SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ગાય- 12 33 [૧૨]ધીરજ બલ રહિત, અકાલ મરણના કરનારા અને અકત (અતીચાર) ના કરનારા એવા નિરવ વર્તમાન કાલના યતિઓને ઉપસર્ગરહિત મરણ યોગ્ય છે. [૧૩]ઉપશમ સુખને વિષે અભિલાષવાળો, શોક અને હાસ્ય રહિત, પોતાના જીવિતને વિષે આશા રહિત, વિષય સુખની તૃષ્ણા રહિત, અને ધર્મને વિષે ઉદ્યમ કરતાં જેને સંવેગ થએલો છે એવો ભક્ત પરિજ્ઞા મરણને યોગ્ય છે.) [14] જેણે મરણની અવસ્થા નિએ કરી છે જેણે સંસારનું વ્યાધિગ્રસ્ત અને નિર્ગુણપણું જાણ્યું છે, એવો ભવ્ય યતિ અથવા ગૃહસ્થ ભક્તપરિજ્ઞા મરણને યોગ્ય જાણવો. [૧પ વ્યાઘિ જરા અને મરણરૂપી મગરોવાળો, નિરંતર જન્મરૂપી પાણીના સમૂહવાળો, પરિણામે દારૂણ દુઃખને આપનારો સંસારરૂપી સમુદ્ર ઘણો દુરંત છે, એ ખેદની વાત છે. [૧૬]પશ્ચાતાપથી પીડાએલોજેને ધર્મ પ્રિય છે, દોષને નિંદવાને તબ્બાવાળો, તથા દોષ અને દુશીલપણા વડે પણ સહિત એવા પાસત્યાદિક પણ અનસનને યોગ્ય છે. [૧૭-૧૮આ અનશન કરીને હર્ષ સહિત વિનય વડે ગુરૂના ચરણકમળ આગળ આવી હસ્ત કમલ મુકુટ પેઠે કપાળે લગાડી ગુરૂ વાંદીને આ પ્રમાણે કહે. હે સપુરૂષ ! ભક્ત પરિણારૂપ ઉત્તમ વહાણ ઉપર ચઢીને નિયમિક ગુરૂ વડે સંસારરૂપી સમુદ્રને તરવાને હું ઈચ્છું છું. [૧૯-૨૨]દયારૂપ અમૃત રસથી સુંદર તે ગુરૂ પણ તેને કહે છે કે હે વત્સ !) આલોચણ લઈ, વત ઉચરી, સર્વને ખમાવવાપૂર્વક, ભક્ત પરિજ્ઞા અણશણને અંગીકાર કર. ઈચ્છે ! એમ કહીને ભક્તિ અને બહુમાન વડે શુદ્ધ સંકલ્પવાલો, ગયેલા અનર્થવાળા ગુરૂના ચરણ કમલને વિધિપૂર્વક વાંદીને પોતાના શલ્યને ઉદ્ધરવાને ઈચ્છતો, સંવેગ (મોક્ષનો અભિલાષ) અને ઉદ્વેગ (સંસાર છોડવાની ઈચ્છા) થકી તીવ્ર શ્રદ્ધાવાળ શુદ્ધિને માટે જે કંઈ કરે તે વડે તે માણસ આરાધક થાય. હવે તે આલોયણના દોષે કરીને રહિત, બાળકની જેમ બચપણના વખતથી જેવું આચરણ કર્યું હોય તેવું સમ્યક પ્રકારે આલોચન કરે. [૨૩-૨૪/આચાર્યના સમગ્ર ગુણે સહિત આચાર્ય પ્રાયશ્ચિત આપે ત્યારે, સમ્યફ પ્રકારે તે પ્રાયશ્ચિતતપ આદરીને નિર્મલભાવવાળો તે શિષ્ય ફરીને કહે દારૂણ દુઃખરૂપ જલચર જીવોના સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રમાંથી તારવાને સમર્થ એવા ગુરૂ મહારાજ નિર્વિઘ્ન વહાણ સમાન મહાવ્રતને વિષે અમને મૂકો. (સ્થાપો) રિપણે કોપને ખંડ્યો છે તેવો અખંડ મહાવ્રતવાલો તે પતિ છે, તો પણ પ્રવજ્યા વતની ઉપસ્થાપનાને યોગ્ય તે છે. [૨]સ્વામીની સારી પાલન કરેલી આજ્ઞાને જેમ ચાકરો વિધિ વડે બજાવીને પાછી આપે છે, તેમ જીવન પર્યંત ચારિત્ર પાળીને તે પણ ગુરૂને એ પ્રમાણે જણાવે છે. [27] જેણે અતિચાર સહિત વ્રત પાળ્યું તથા આકુટ્ટી (કપટ) દડે વ્રત ખંડ્યું એવા પણ સમ્યક ઉપસ્થિત થએલા તેને શિષ્યને) ઉપસ્થાપના કહી છે. [3] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005087
Book TitleAgam Deep 27 BhattaParinna Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 27, & agam_bhaktaparigna
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy