Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
આગમસટીક અનુવાદ
28/1
નિરયાવલિકા-પંચક
—
તા. ૨૩/૧૦/૨૦૦૯
પયન્નાઓ-૧૦+૧
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
શુક્રવાર
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૫-૧૦,૦૦0
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ
૨૦૬૬ કા.સુ.પ
આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, ન્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ.
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૮ માં છે...
૦ નિરયાવલિકા
૦ પુષ્પિકા
૦ ચતુઃશરણ
૦ મહાપ્રત્યાખ્યાન
૦ તંદુલ વૈચારિક
૦ ગચ્છાચાર
૦ દેવેન્દ્રસ્તય
આગમસૂત્ર સટીક અનુવાદ
0
વૃષ્ણિદશા
આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨
૦ કલ્પવતંસિકા
0
પુષ્પચૂલિકા
- ટાઈપ સેટીંગ
શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
૦ આતુર પ્રત્યાખ્યાન
૦ ભક્તપરિજ્ઞા
૦ સંસ્તારક
૦ ગણિવિધા
૦ વીરસ્તવ
૦ ચંદ્રવેધ્યક
આ દશ + એક વૈકલ્પિક] પયન્નાસૂત્રો
==
- મુદ્રક ઃ
નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ.
Tel. 079-25508631
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ ૨૮ ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક મુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
૦ શ્રી જૈન શ્વે.મૂ.પૂ. સંઘ
- થાનગઢ
૦ શાહ હંજારીમલજી ભૂરમલજી
કર્નલ
-
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૫૨
વીરસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
૩૩ વીરસ્તવ પ્રકીર્ણકp-૧૦
મૂળ સૂકાનુવાદ
૦ પન્ના સૂત્રોમાં આ દશમું સૂત્ર છે, તેના ઉપરની કોઈ જ વૃત્તિ કે અવચૂરી આદિ અમારી જાણમાં આવેલ નથી.
o આપણે ત્યાં પયન્ના સૂત્રોની દશની સંખ્યા સ્વીકારવા છતાં તેમાં સ્વીકૃત પયન્ના વિશે બે પરંપરા અનુવર્તે છે.
(૧) પૂજ્યપાદું આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદ સૂરીશ્વરજીએ જે દશ પયજ્ઞાને સંપાદિત કરીને પ્રકાશિત કર્યા તેમાં –
(૨) પૂજ્ય મુનિરાજશ્રી પુન્યવિજયજીએ સંપાદન કર્યું તેમાં –
_ઉક્ત બંને સંપાદનોમાં આઠ પયar તો એક સમાન છે, પણ બે પયજ્ઞામાં તેમની વચ્ચે મતભેદ છે.
પહેલાં આચાર્યશ્રીએ ગચ્છાચાર અને મરણસમાધિ પયન્ના સ્વીકારેલ છે, બીજા મુનિરાજશ્રીએ ચંદ્રવેધ્યક અને વીરસ્તવને સ્વીકાર્યા છે. અમોએ ગચ્છાચાર જોડે ચંદ્રવેધ્યકનો અનુવાદ તો કર્યો જ છે. એ રીતે બંને મતો સ્વીકાર્યા છે. પરંતુ વીસ્તવ અને મરણ સમાધિમાં અમે અહીં માત્ર વીરસ્તવનો જ અનુવાદ કરેલ છે.
જો કે અમારા માWI[ HIFT-મૂત્ર માં બંને પયજ્ઞાને અમે પ્રકાશિત કર્યા જ છે અને મામિ સત્તifm-Z# માં મરણ સમાધિ પયશ્નો અને તેની સંસ્કૃત છાયા પણ છપાવેલ જ છે.
પયન્ના માત્ર આ દશ જ છે, કે વિકલ્પ સ્વીકારીએ તો બાર જ છે, તેમ નથી. તે સિવાયના પણ પયન્ના મુદ્રિત સ્વરૂપે પણ હાલ ઉપલબ્ધ જ છે, તે જાણ ખાતર,
પન્નાને શાસ્ત્રીય પરિભાષાથી વિચારો તો ગચ્છાચાર પન્ના, નંદીસૂઝ, સૂત્રકૃતાંગની ટીકા ખાસ જોવી.
- હવે પ્રસ્તુત “પયan''ની ૪૩-ગાથાનો ક્રમશ: અનુવાદ – • ગાથા-૧ :
જગજીવ બંધુ, ભવિજનરૂપી કુમુદને વિકસાવનાર, પર્વત સમાનધીર, એવા વીરજિનેશ્વરને નમસ્કાર કરીને, તેમને પ્રગટ નામો વડે હું હવે સ્તવીશ.
• ગાથા-૨,૩ :
અરુહ, અરિહંત, અરહંત, દેવ, જિન, વીર, પરમકરુણાલુ, સર્વજ્ઞ, સર્વદર્શી, સમર્થ, ત્રિલોકના નાથ, વીતરાગ, કેવલી, ત્રિભુવન ગુરુ, સર્વ ત્રિભુવન વરિષ્ઠ, ભગવન, તીર્થકર, શક્ર વડે નમસ્કાર કરાયેલા એવા જિનેન્દ્ર તમે જય પામો.
• ગાથા-૪ :
શ્રી વર્ધમાન, હરિ, હર, કમલાસન પ્રમુખ નામોથી આપને, જડમતિ એવો હું સૂત્રાનુસાર યથાર્થ ગુણો વડે સ્તવીશ.
Page #17
--------------------------------------------------------------------------
________________
ગાયા-૫
૨૫૩
- ગાથા-૫ 4
ભવબીજરૂપ અંકુરથી થયેલ કર્મોને, ધ્યાનરૂપી અગ્નિ વડે બાળી ફરી ભવરૂપી ગહન વનમાં ન ઉગવા દેનારા છો, માટે હે નાથ ! આપ “અરુહ' છો. • ગાથા-૬ :
પ્રાણીઓને ઘોર ઉપાર્ગો, પરીષહો, કષાય ઉત્પન્ન કરનારા જે શત્રુઓ, તે બધાંને હે નાથ ! આપે સમૂળગા હણી નાંખેલ છે, તેથી આપ અરિહંત છો. • ગાથા-૭,૮ :
ઉત્તમ એવા વંદન, સ્તવન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિગમનની યોગ્યતાવાળા છો, તેથી આપ અરહંત છો.
દેવ મનુષ્ય અસુર આદિની ઉત્તમ પૂજાને આપ યોગ્ય છો, ધીરતાવાળા છો અને માનથી મૂકાયેલા છો, તે કારણથી હે નાથ ! આપ “અરહંત' છો. • ગાથા-૯ થી ૧૨ :
ચ, ગાડી અને શેષ સંગ્રહ નિદર્શિત કે પર્વતની ગુફાદિ તેમાંનું તમારે કંઈ જ દૂર નથી – તેથી હે જિનેશ્વર તમે “અરહંત'' છો.
જેણે ઉત્તમ જ્ઞાન વડે સંસાર માર્ગનો અંત કરી, મરણને દૂર કરી, નિજ સ્વરૂપ રૂપ સંપત્તિ મેળવેલી છે – તે કારણથી આપ જ “અરહંત” છો.
આપને મનોહર કે અમનોહર શબ્દો છૂપા નથી, તેમજ મન અને કાયાના યોગને સિદ્ધાંતથી રંજિત કર્યા છે – તે કારણે હે નાથ ! આપ અરહંત છો.
દેવેન્દ્રો અને અનુત્તર દેવોની સમર્થ પૂજા આદિને યોગ્ય છો, કરોડો મર્યાદાનો અંત કરનારને શરણ યોગ્ય છો. તે કારણથી આપ “અહંત” છો.
- ગાથા-૧૩,૧૪ --
સિદ્ધિ વધુના સંગથી બીજા મોહશત્રુના વિજેતા છો અને અનંત સખ પુણ્ય પરિણતિથી પરિવેષ્ટિત છો માટે દેવ છો.
રાગાદિ વૈરીઓને દૂર કરીને, દુઃખ અને કલેશના આપે સમાધાન કર્યા છે, અર્થાત્ નિવાર્યા છે - તથા -
ગુણ આદિ વડે શત્રુને આકર્ષીને જય કર્યો છે.
તેથી હૈ જિનેશ્વર ! તમે દેવ છો.
- ગાથા-૧૫,૧૬ :
– દુષ્ટ એવા આઠ કર્મોની ગ્રંથિને આપે પ્રાપ્ત ધનસમૂહથી દૂર કરી છે [ભેદી નાંખેલ છે.]
– ઉત્તમ મલ્લ સમૂહને આકલન કરીને આપે તપશ્ચરણથી શોધી નાંખેલા છે - અર્થાત્ -
તપ વડે કર્મરૂપી મલ્લને ખતમ કર્યા છે, તેથી વીર છો.
પ્રથમ વ્રતગ્રહણ દિવસે ઈન્દ્રની વિનય કરણની ઈચ્છાને હણીને તમે ઉત્તમોત્તમ મુનિ થયા છો, માટે મહાવીર છો.
૨૫૪
. ગાથા-૧૩ -
આપને સચરાચર પ્રાણીએ દુભવ્યા કે ભક્તિ કરી – આપનો આક્રોશ કર્યો કે આપની સ્તુતિ કરી તેઓ આપના શત્રુપણે રહ્યા કે મિત્રપણે રહ્યા –
પરંતુ આપે તેમના મનને કરુણા રસથી રંજિત કર્યુ માટે આપ પરમકારુણિક કરુણારસવાળા છો.
વીસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
ગાથા-૧૮ :
બીજાના જે ભાવ કે સદ્ભાવ કે ભાવના, જે થયા-થશે કે થાય છે, તેને આપ કેવળજ્ઞાન વડે જાણો છો અને કહો પણ છો માટે હે નાય. આપ સર્વજ્ઞ છો. • ગાથા-૧૯ :
સમસ્ત ભુવનમાં પોત-પોતાના સ્વરૂપે રહેલા નિર્બળ અથવા બળવાને આપ સમપણે જુઓ છો, માટે હે નાથ ! આપ “સર્વદર્શી'' છો.
. ગાથા-૨૦ -
કર્મ અને ભવનો પાર પામ્યા છો - અથવા –
શ્રુતરૂપી જલધિને જાણીને તેનો સર્વથા પાર પામ્યા છો
માટે હે નાથ ! તમે “પારગ” છો.
- ગાથા-૨૧ :
હે નાથ ! વર્તમાન, ભાવિ કે ભૂતવર્તી જે પદાર્થ તેને હાથમાં રહેલ આમળાના
ફળની જેમ આપ જાણો છો.
માટે આપ “ત્રિકાળવિદ્' છો.
• ગાથા-૨૨ :
અનાથના નાથ છો, ભયંકર ગહન ભવવનમાં વર્તતા જીવોને ઉપદેશ દાનથી
માર્ગરૂપી નયન આપો છો.
તેથી આપ “નાથ'' છો.
- ગાથા-૨૩ :
પ્રાણીઓના ચિત્તમાં પ્રવેશેલા સારી વસ્તુનો રાગ-રતિ,
તે રામ રૂપને પુનઃ દોષરૂપે વ્યાખ્યાયિત કર્યો છે. અથવા વિપરીત કહ્યો છે - રાગને દૂર કર્યો છે.
– માટે હે પ્રભુ ! આપ “વીતરાગ'' છો.
* ગાયા-૨૪ -
કમળરૂપી આસન છે માટે આપ હ-િઈન્દ્ર છો.
સૂર્ય કે ઈન્દ્ર વગેરેના માનનું આપે ખંડન કરેલું છે, માટે હે પ્રભુ, આપ “શંકર' પણ છો.
હે જિનેશ્વર ! એક સમાન સુખ-આશ્રય આપની પાસેથી મળી રહે છે, એવા પ્રભુ તમે જ છો.
Page #18
--------------------------------------------------------------------------
________________
ગાયા-૨૪
૫૫
૨૫૬
વીસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
• ગાથા-૫ થી ૨૦ :
જીવોનું મર્દન, ચૂર્ણન, વિનાશ, ભક્ષણ, હિંસા, હાથ અને પગનો વિનાશ, નખ અને હોઠોનું વિદારણ –
આ કાર્યોનું જેનું લક્ષ્ય કે આશ્રય જ્ઞાન છે.
અન્ય કુટિલતા, ત્રિશુલ, જટા, ગુરુ તિરસ્કાર, મનમાં અસૂયા, ગુણકારીની લધુતા એવા ઘણાં દોષો હોય.
આવા બહુરૂપધારી દેવો તમારી પાસે વસે છે. તો પણ તેને વિકાર રહિત કર્યા માટે વીતરાણ છો.
• ગાથા-૨૮,૨૯ -
સર્વ દ્રવ્યના પ્રત્યેક પર્યાયની અનંત પરિણતિ સ્વરૂપને એક સાથે અને ત્રિકાળ સંસ્થિત પણે જાણો છો માટે તમે કેવલિ છો, તે વિષયે તમારી અપતિed, અનવરત, અવિલ શક્તિ ફેલાયેલી છે. રાગદ્વેષ રહિતપણે પદાર્થોને જાણેલા છે, માટે કેવલી-કેવળજ્ઞાની કહેલાં છે.
• ગાથા-૩૦,૩૧ -
જે સંજ્ઞી પંચેન્દ્રિયને પ્રભુવન શબ્દ વડે ગ્રાહ્યાર્થ થતાં તેઓનું સદ્ધર્મમાં જે જોડાણ કરે છે. અર્થાતુ પોતાની વાણી વડે ધર્મમાં જોડે છે, માટે તમે ત્રિભુવન ગુરુ છો.
પ્રત્યેક સમ જીવોને મોટા દુ:ખથી નિવાસ્નાર અને સનિ હિતકારી હોવાથી તમે સંપૂર્ણ છો.
• ગાથા-૩૨ -
બળ, વીર્ય, સત્વ, સૌભાગ્ય, રૂ૫, વિજ્ઞાન, જ્ઞાનમાં ઉત્કૃષ્ટ છો. ઉત્તમ પંકજે વિચરો છો, માટે ત્રિભુવન શ્રેષ્ઠ છો.
• ગાથા-33 -
પ્રતિપૂર્ણ રૂ૫, ધન, ધર્મ, કાંતિ, ઉધમ, યશવાળા છો. ભયસંજ્ઞા પણ તમારાથી શિથિલ બની છે, તેથી હે નાથ ! આપ ભયાત [ભયના અંતકર] છો.
• ગાથા-૩૪ :
આલોક, પરલોક આદિ સાત પ્રકારના ભય વિનાશ પામ્યા છે, તેથી હે જિનેશ ! તમે ભયાંત છો.
• ગાથા-૩૫ -
ચતુર્વિધ સંઘ કે પ્રથમ ગણધરરૂપ એવા તીનિ કરવાના આચારવાળો છો, માટે તીર્થકર છો.
• ગાથા-૩૬ :
એ રીતે ગુણસમૂહથી સમર્થ ! તમને શક પણ અભિનંદે તેમાં શું આશ્ચર્ય ? તેથી શકથી અભિનંદિત હૈ જિનેશ્વર ! આપને નમસ્કાર થાઓ.
• ગાથા-39 :મન:પર્યવ, અવધિ, ઉપશાંત અને ક્ષયમોહ, એ ત્રણેને જિન કહે છે, તેમાં
આપ પરમ શ્ચર્યવાળા ઈન્દ્ર સમાન છો માટે આપને જિનેન્દ્ર કહેલાં છે.
• ગાથા-૩૮ :
શ્રી સિદ્ધાર્થ નરેશરના ઘરમાં ધન, કંચન, દેશ, કોશ વગેરેની તમે વૃદ્ધિ કરી માટે હે જિનેશ્વર ! તમે વર્ધમાન છો.
• ગાથા-૩૯ :
કમળનો નિવાસ છે, હરતતલમાં શંખ, ચક, સારંગ છે, વર્ષીદાન આપેલું છે, માટે હે જિનેશ્વર ! તમે વિષ્ણુ છો.
• ગાયા-૪૦ :
તમારી પાસે શિવ-આયુધ નથી અને તમે નીલકંઠ પણ નથી, તો પણ પ્રાણીઓની બાહ્ય-અત્યંતર કર્મરજને તમે કરો છો માટે આપ હર (શંકર) છો.
• ગાથા-૪૧ : -
કમલરૂપી આસન છે, ત્યારે મુખ ચતુર્વિધ ધર્મ કહો છો, હંસ-હૂસ્વગમનથી જનાર છો, માટે તમે જ બ્રહ્મા કહેવાઓ છો.
• ગાયા-૪ર :
સમાન અર્થવાળા એવા જીવાદિ તવોને સવિશેષ જાણો છો, ઉત્તમ નિર્મળ કેવળ પામ્યા છો, માટે તમે બુદ્ધ છો.
• ગાથા-૪૩ :
શ્રી વીર જિણંદને આ નામાવલિ વડે મંદપુન્ય એવા મેં સંતવ્યા છે. હે જિનવર મારા ઉપર કરુણા કરીને મને પવિત્ર શિવપંથમાં સ્થિર કરો.
વીરસ્તવ પ્રકીર્ણક સૂત્ર-૧૦, આગમ-૩૩નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂવાનુવાદ પૂર્ણ
– x – x – x – x
ભાગ-૨૮મો પૂર્ણ
- X
- X
-
Page #19
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.