________________
ગાયા-૨૪
૫૫
૨૫૬
વીસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
• ગાથા-૫ થી ૨૦ :
જીવોનું મર્દન, ચૂર્ણન, વિનાશ, ભક્ષણ, હિંસા, હાથ અને પગનો વિનાશ, નખ અને હોઠોનું વિદારણ –
આ કાર્યોનું જેનું લક્ષ્ય કે આશ્રય જ્ઞાન છે.
અન્ય કુટિલતા, ત્રિશુલ, જટા, ગુરુ તિરસ્કાર, મનમાં અસૂયા, ગુણકારીની લધુતા એવા ઘણાં દોષો હોય.
આવા બહુરૂપધારી દેવો તમારી પાસે વસે છે. તો પણ તેને વિકાર રહિત કર્યા માટે વીતરાણ છો.
• ગાથા-૨૮,૨૯ -
સર્વ દ્રવ્યના પ્રત્યેક પર્યાયની અનંત પરિણતિ સ્વરૂપને એક સાથે અને ત્રિકાળ સંસ્થિત પણે જાણો છો માટે તમે કેવલિ છો, તે વિષયે તમારી અપતિed, અનવરત, અવિલ શક્તિ ફેલાયેલી છે. રાગદ્વેષ રહિતપણે પદાર્થોને જાણેલા છે, માટે કેવલી-કેવળજ્ઞાની કહેલાં છે.
• ગાથા-૩૦,૩૧ -
જે સંજ્ઞી પંચેન્દ્રિયને પ્રભુવન શબ્દ વડે ગ્રાહ્યાર્થ થતાં તેઓનું સદ્ધર્મમાં જે જોડાણ કરે છે. અર્થાતુ પોતાની વાણી વડે ધર્મમાં જોડે છે, માટે તમે ત્રિભુવન ગુરુ છો.
પ્રત્યેક સમ જીવોને મોટા દુ:ખથી નિવાસ્નાર અને સનિ હિતકારી હોવાથી તમે સંપૂર્ણ છો.
• ગાથા-૩૨ -
બળ, વીર્ય, સત્વ, સૌભાગ્ય, રૂ૫, વિજ્ઞાન, જ્ઞાનમાં ઉત્કૃષ્ટ છો. ઉત્તમ પંકજે વિચરો છો, માટે ત્રિભુવન શ્રેષ્ઠ છો.
• ગાથા-33 -
પ્રતિપૂર્ણ રૂ૫, ધન, ધર્મ, કાંતિ, ઉધમ, યશવાળા છો. ભયસંજ્ઞા પણ તમારાથી શિથિલ બની છે, તેથી હે નાથ ! આપ ભયાત [ભયના અંતકર] છો.
• ગાથા-૩૪ :
આલોક, પરલોક આદિ સાત પ્રકારના ભય વિનાશ પામ્યા છે, તેથી હે જિનેશ ! તમે ભયાંત છો.
• ગાથા-૩૫ -
ચતુર્વિધ સંઘ કે પ્રથમ ગણધરરૂપ એવા તીનિ કરવાના આચારવાળો છો, માટે તીર્થકર છો.
• ગાથા-૩૬ :
એ રીતે ગુણસમૂહથી સમર્થ ! તમને શક પણ અભિનંદે તેમાં શું આશ્ચર્ય ? તેથી શકથી અભિનંદિત હૈ જિનેશ્વર ! આપને નમસ્કાર થાઓ.
• ગાથા-39 :મન:પર્યવ, અવધિ, ઉપશાંત અને ક્ષયમોહ, એ ત્રણેને જિન કહે છે, તેમાં
આપ પરમ શ્ચર્યવાળા ઈન્દ્ર સમાન છો માટે આપને જિનેન્દ્ર કહેલાં છે.
• ગાથા-૩૮ :
શ્રી સિદ્ધાર્થ નરેશરના ઘરમાં ધન, કંચન, દેશ, કોશ વગેરેની તમે વૃદ્ધિ કરી માટે હે જિનેશ્વર ! તમે વર્ધમાન છો.
• ગાથા-૩૯ :
કમળનો નિવાસ છે, હરતતલમાં શંખ, ચક, સારંગ છે, વર્ષીદાન આપેલું છે, માટે હે જિનેશ્વર ! તમે વિષ્ણુ છો.
• ગાયા-૪૦ :
તમારી પાસે શિવ-આયુધ નથી અને તમે નીલકંઠ પણ નથી, તો પણ પ્રાણીઓની બાહ્ય-અત્યંતર કર્મરજને તમે કરો છો માટે આપ હર (શંકર) છો.
• ગાથા-૪૧ : -
કમલરૂપી આસન છે, ત્યારે મુખ ચતુર્વિધ ધર્મ કહો છો, હંસ-હૂસ્વગમનથી જનાર છો, માટે તમે જ બ્રહ્મા કહેવાઓ છો.
• ગાયા-૪ર :
સમાન અર્થવાળા એવા જીવાદિ તવોને સવિશેષ જાણો છો, ઉત્તમ નિર્મળ કેવળ પામ્યા છો, માટે તમે બુદ્ધ છો.
• ગાથા-૪૩ :
શ્રી વીર જિણંદને આ નામાવલિ વડે મંદપુન્ય એવા મેં સંતવ્યા છે. હે જિનવર મારા ઉપર કરુણા કરીને મને પવિત્ર શિવપંથમાં સ્થિર કરો.
વીરસ્તવ પ્રકીર્ણક સૂત્ર-૧૦, આગમ-૩૩નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂવાનુવાદ પૂર્ણ
– x – x – x – x
ભાગ-૨૮મો પૂર્ણ
- X
- X
-