Book Title: Vachanamrut 0124
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 124 અપ્રતિબદ્ધતાથી ત્યાગની ઉત્પત્તિ વવાણિયા બંદર, 1946 जणं जणं दिसं इच्छड तणं तणं दिसं अप्पडिबद्धे. જે જે દિશા ભણી જવું ઇચ્છે છે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત ખુલ્લી છે. (રોકી શકતી નથી.) આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી નહીં થાય, ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ? પૌગલિક રચનાએ આત્માને ખંભિત કરવો ઉચિત નથી. વિ. રાયચંદના યથાયોગ્ય.

Loading...

Page Navigation
1