Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 384
________________ પ્રતિમાશતક | શ્લોક : ૨૫ શ્રોતાને દેશવિરતિની પ્રાપ્તિ થાય તો પણ, ઉપદેશકને દેશવિરતિમાં રહેલા અવિરતિ અંશરૂપ ભાગની અનુમતિની પ્રાપ્તિરૂપ દોષસંગતિ પ્રાપ્ત થાય, અને જો ક્રમ પ્રાપ્ત ઉપદેશ આપે તો કોઈ દોષ નથી. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, દ્રવ્યસ્તવમાં પણ તે જ પ્રમાણે તુલ્ય દોષસંગતિ છે. જો ઉપદેશક ભાવસ્તવનું કથન કર્યા વગર દ્રવ્યસ્તવનું કથન કરે, તો સૂત્રસિદ્ધ ક્રમનું ઉલ્લંઘન થવાને કારણે તેને દ્રવ્યસ્તવમાં વર્તતા હિંસારૂપ ઈતરાંશની અનુમતિની પ્રાપ્તિરૂપ દોષસંગતિ પ્રાપ્ત થાય; અને ઉપદેશક ભાવસ્તવનો ઉપદેશ આપ્યા પછી ભાવસ્તવ માટે અસમર્થ હોય તેના પ્રતિ દ્રવ્યસ્તવનો ઉપદેશ આપે તો ક્રમ પ્રાપ્ત ઉપદેશમાં કોઈ દોષ નથી. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, સૂત્રસિદ્ધ ક્રમના ઉલ્લંઘનને આશ્રયીને દોષસંગતિ તુલ્ય છે, ત્યાં પ્રશ્ન થાય કે, તો પછી સર્વને પ્રથમ યતિધર્મનો જ ઉપદેશ આપવો જોઈએ એવો એકાંત છે? કે તેમાં પણ કોઈ વિકલ્પ છે? તેથી કહે છે – ટીકાર્ય : વ્યુત્પન્ન ... ન્યાદા અવ્યુત્પન્નને શાસ્ત્રના તાત્પર્યતા અજાણને, આશ્રયીને, ક્રમવિરુદ્ધ ઉપદેશમાં સુકર રુચિનું ઉત્કટપણું હોવાને કારણે અપ્રતિષેધની=અનિષેધની, અનુમતિનો પ્રસંગ દોષાવહ છે, વળી સમ્યગ્દષ્ટિ પ્રત્યે યથાયોગ્ય ઉપદેશમાં પણ દોષ નથી. એ પ્રકારે વળી વ્યવહારાદિ ગ્રંથોરૂપ સમુદ્રમાં ડૂબકી મારવાના સ્વભાવવાળા જીવોનો પ્રસિદ્ધ માર્ગ છે. ૦ ચવદાર પ્રિન્યાય ..... અહીં સા’િ પદથી નિશ્ચયને કહેનાર ગ્રંથનું ગ્રહણ કરવું. વિશેષાર્થ: અવ્યુત્પન્ન તે છે કે જેને પ્રથમ દેશવિરતિનો અને પછી સર્વવિરતિનો ઉપદેશ આપવામાં આવે તો, દેશવિરતિ કરતાં સર્વવિરતિ અધિક છે તેમ તે સામાન્યથી જાણે છે છતાં, દેશવિરતિ અને સર્વવિરતિરૂપ બે પ્રકારના ધર્મમાં મેરુ અને સરસવ જેટલું જ મહાઅંતર છે, તેને સ્પષ્ટ જાણવા માટે જેની બુદ્ધિ વ્યુત્પન્નર સમર્થ, નથી. તેવા અવ્યુત્પન્ન પ્રતિ પ્રથમ દેશવિરતિનો ઉપદેશ આપવામાં આવે તો, ધર્મની રુચિવાળા એવા પણ તેઓ, સર્વવિરતિરૂપ કઠિન ધર્મમાં ઉલ્લસિત વીર્યવાળા થવાને બદલે, સુકર રુચિવાળા તેઓ દેશવિરતિ ધર્મમાં ઉલ્લસિત થાય છે, અને તેના કારણે તેઓ બંને પ્રકારના ધર્મમાં સહેલાઈથી થઈ શકે તેવા દેશવિરતિ ધર્મ પ્રત્યે જ પ્રતિબંધવાળા બને છે. તેથી તેઓ ધર્મના તીવ્ર અર્થી બને ત્યારે, પ્રથમ તેઓને સર્વવિરતિ ધર્મનો ઉપદેશ આપવામાં ન આવે તો અપ્રતિષેધની અનુમતિનો પ્રસંગ પ્રાપ્ત થાય. અર્થાત્ તેઓ જે દેશવિરતિને ગ્રહણ કરે છે તેનો ઈતરાંશ જે અવિરતિ છે તેનો અપ્રતિષધ-અનિષેધ થવાને કારણે અવિરતિની અનુમતિનો પ્રસંગ ઉપદેશકને પ્રાપ્ત થાય છે. વળી સમ્યગ્દષ્ટિ પ્રત્યે યથાયોગ્ય ઉપદેશ પણ દોષરૂપ નથી એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, સમ્યગ્દષ્ટિ જીવો સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા હોય છે, તેથી તેમને દેશવિરતિનો ઉપદેશ આપવામાં આવે તો દેશવિરતિ

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412