Book Title: Moksh shastra
Author(s): Umaswati, Umaswami, Ram Manekchand Doshi
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 654
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬OO ] મોક્ષશાસ્ત્ર આ ત્રીજી વાર કહેલા અસંખ્યાત લબ્ધિસ્થાને બકુશ મુનિ અટકી જાય છેઆગળનાં સ્થાનો પ્રાપ્ત કરી શકતાં નથી, પ્રતિસેવનાકુશીલ ત્યાંથી આગળ અસંખ્યાત* લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરી શકે છે. આ ચોથી વાર કહેલાં અસંખ્યાત લબ્ધિસ્થાનોથી આગળ અસંખ્યાત લબ્ધિસ્થાનો કષાયકુશીલ પ્રાપ્ત કરી શકે છે, તેથી આગળનાં સ્થાન પ્રાપ્ત કરી શકતાં નથી. આ પાંચમીવાર કહેલા લબ્ધિસ્થાનોથી આગળ કષાયરહિત સંયમ લબ્ધિસ્થાનોને નિગ્રંથ મુનિ પ્રાપ્ત કરી શકે છે. તે નિગ્રંથમુનિ પણ આગળના અસંખ્યાત લબ્ધિસ્થાનોની પ્રાપ્તિ કરી શકે છે, પછી અટકી જાય છે. ત્યાર પછી એક સંયમલબ્ધિસ્થાનને પ્રાપ્ત કરીને સ્નાતક નિર્વાણને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સંયમલબ્ધિનાં સ્થાનો છે, તેમાં અવિભાગપ્રતિચ્છેદોની અપેક્ષાએ સંયમની પ્રાપ્તિ અનંત-અનંતગુણી થાય છે. / ૪૭TT ઉપસંહાર ૧. આ અધ્યાયમાં આત્માની ધર્મપરિણતિનું સ્વરૂપ કહ્યું છે, તે પરિણતિને “જિન” કહેવામાં આવે છે. ૨. અપૂર્વકરણ પરિણામને પામેલા પ્રથમોપશમ સમ્યકત્વસમ્મુખ જીવોને “જિન” કહેવામાં આવે છે. (ગોમ્મસાર-જીવકાંડ ગાથા ૧, ટીકા, પાનું ૧૬ ) ત્યાંથી શરૂ થઈને પૂર્ણ શુદ્ધ પ્રાપ્ત કરનારા બધા જીવો સામાન્યપણે “જિન” કહેવાય છે. શ્રી પ્રવચનસારના ત્રીજા અધ્યાયની પહેલી ગાથામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કે “બીજા ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાન સુધીના જીવો “એકદેશ જિન” છે, કેવળીભગવાન જિનવર' છે અને તીર્થંકરભગવાન “જિનવરવૃષભ' છે.” મિથ્યાત્વ, રાગાદિને જીતવાથી અસંયત સમ્યગ્દષ્ટિ શ્રાવક તથા મુનિને “જિન” કહેવામાં આવે છે, તેમાં ગણધરાદિ શ્રેષ્ઠ છે તેથી તેમને શ્રેષ્ઠ જિન” અથવા “જિનવર' કહેવાય છે અને તીર્થંકરદેવ તેમનાથી પણ પ્રધાન છે તેથી તેમને “જિનવરવૃષભ” કહેવાય છે. (જુઓ, દ્રવ્યસંગ્રહ ગાથા ૧ ટીકા) શ્રી સમયસારજીની ૩૧ મી ગાથામાં પણ સમ્યગ્દષ્ટિને “જિતેન્દ્રિય જિન' કહ્યા છે. સમ્યકત્વસમ્મુખ મિથ્યાષ્ટિ અને અધ:કરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણનું સ્વરૂપ શ્રી મોક્ષમાર્ગપ્રકાશક પા. ર૬૨ થી ૨૭૦ સુધીમાં આપ્યું છે. ગુણસ્થાનોનું સ્વરૂપ શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકાના છેલ્લા અધ્યાયમાં આપ્યું છે, ત્યાંથી સમજી લેવું. ૩. સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. એમ બતાવવા આ શાસ્ત્રમાં પહેલા અધ્યાયનું પહેલું જ સૂત્ર “સચવનજ્ઞાનવારિત્રાMિ મોક્ષમાપ:' મૂક્યું છે. ધર્મમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710