Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 414
________________ ૩૯૦ ચાર ગતિનાં કારણે મૂળ છે. અકામ નિર્જશે, એટલે આવી પડેલાં દુઃખાદિને વેઠતાં જે કર્મનિર્જરા થાય તે! દુઃખાદિને વેઠતાં પણ, ઘણી કર્મનિર્જરા થાય છે અને એથી તે દેવકનું આયુષ્ય પણ બંધાઈ શકે છે. નારકી મરીને નારકી ન થાય, તેમાં પણ પ્રધાન કારણ અકામ નિર્જરા છે. દુઃખ વેઠતાં વેઠતાં આ અકામ નિર્જરા થાય, પણ તેમાં ય જીવ જે દુધ્ધન આદિમાં પડી જાય, તે નિજરે તેનાથી વધારેને ય બંધ પડી જાય એવાની અકામ નિર્જરાથી દેવલોકના આયુષ્યને બંધ થાય નહિ. કેટલાક નબળા એવા હોય છે કે-માર પડે, તે એ વિચાર કરે કે કરીએ? આપણે જેર નહિ, એટલે સૌ મારે. આપણે નબળા છીએ માટે માર ખાઈ લે.” મારનારને વિચાર કરવાને બદલે પિતાની નબળાઈને વિચાર કર અને મનને શાંતિમાં ખે. જે કે-આ અકામ નિર્ભર છે, છતાં એ વખતે દેવવેકાદિના આયુષ્યને બધેય પડી જાય; જ્યારે કેટલાક નબળ. એવા હોય છે કે-એને મારનારને, એ, ગાળ દીધામાંથી જાય નહિ! મઢે ગાળ દેવાય તેમ ન હોય, તે પાછળેય ગાળ દે. મનમાં પેલાના ઉપર ગુસે કર્યા જ કરે. આવાને ખરાબ ગતિના આયુષ્યને બંધ પડી જાય એટલે, અકામ નિર્જરા, એ કાંઈ દેવગતિનું આયુષ્ય બાંધવાનું નિશ્ચિત કારણ ન કહેવાય. સર્વવિરતિ આદિ કારણે અવ્યભિચારી કહેવાય અને આવાં કારણે વ્યભિચારી કહેવાય. દુઃખાદિને વેઠતાં પરિણામ જળવાઈ જાય તે કારણ બની જાય, બાકી નક્કી કહેવાય નહિ. કલ્યાણમિત્રને સંપર્કઃ કલ્યાણમિત્રને સંપર્ક, એ પણ દેવગતિનું કારણ બની

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424