Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
૪૧૨
પન્નવણા - ૩૬-૧૨ કાઢેલા તે પુગલો હોય તે ત્યાં રહેલા જે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને હણે, ફેરવે, કાંઈક સ્પર્શ કરે, એકઠા કરે, વિશેષ એકઠા કરે, પીડા ઉત્પન્ન કરે, મૂર્શિત કરે અને જીવિતથી રહિત કરે, તે જીવોને આશ્રયી તે પુદ્ગલોથી વેદના સમુદ્રઘાતવાળો તે જીવ કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો હોય, કદાચ ચાર ક્રિયાવાળો હોય અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! તે જીવો વેદના સમુદુઘાતવાળા તે જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચ ચારક્રિયાવાળા અને કદાચ પાંચક્રિયવાળા હોય. હે ભગવન્! તે જીવ અને તે જીવો અન્ય જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! ત્રણક્રિયાવાળા પણ હોય, ચારક્રિયાવાળા પણ હોય અને પાંચક્રિયાવાળા પણ હોય. હે ભગવન્! વેદનાસમુદ્યાત વડે સમુદ્યાતવાળો નૈરયિક-ઇત્યાદિ જેમ જીવ સંબધે કહ્યું છે તેમ કહેવું. પરન્ત નરયિક સંબન્ધ પાઠ કહેવો. એ પ્રમાણે બધું વૈમાનિક સુધી કહેવું. એમ કષાય સમુદ્દઘાત સંબન્ધ પણ કહેવું.
હે ભગવન્! જીવ મારણાન્તિક સમુઘાત કરે છે અને સમુદ્દાત કરીને જે પુદ્ગલોને બહાર કાઢે છે, હે ભગવન્! તે પુગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય? કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીરપ્રમાણ તથા લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કર્ષથી એક દિશામાં અસંખ્યાતા યોજન સુધી એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. એ ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય, કેટલા કાળે સ્પર્શેલું હોય? હે ગૌતમ ! એક સમયની, બે સમયની, ત્રણસમયની અને ચાર સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય તેટલું એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. બાકી બધું “યાવતુ પાંચ ક્રિયાવાળા હોય ત્યાં સુધી તેમજ જાણવું. એ પ્રમાણે નૈરયિક પણ જાણવો. પરન્તુ લંબાઈમાં જઘન્યથી કાંઇક અધિક હજાર યોજન અને ઉત્કર્ષથી અસંખ્યાતા યોજન સુધી એક દિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. અને તે એક સમયની, બે સમયની અને ત્રણ સમયની વિગ્રહગતિ વડે કહેવું. પરન્તુ ચાર સમયની વિગ્રહગતિ વડે ન કહેવું. બાકી બધું યાવત પાંચ ક્રિયાવળા પણ હોય ત્યાં સુધી તેમજ જાણવું, અસુરકુમારને જેમ જીવપદમાં કહ્યું છે તેમ કહેવું. પરન્તુ નૈરયિકની પેઠે વિગ્રહગતિ ત્રણ સમયની જાણવી. બાકી બધું નાગકુમારાદિને કહેવું. બાકી બધું જેમ અસુરકુમાર સંબધે કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ એકેન્દ્રિયને જીવની પેઠે બધું કહેવું.
[૧૩] હે ભગવન્! વૈકિય સમુદ્દાત વડે સમુદ્યાતવાળો જીવ વૈક્રિય સમુદ્રઘાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે, તે મુદ્દગલો વડે હે ભગવન્! કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય? કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઇમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી સંખ્યાતા યોજન પ્રમાણ એક દિશામાં કે વિદિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય. અથવા એટલું ક્ષેત્રસ્પર્શેલું હોય. હે ભગવન! તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય? કેટલા કાળે સ્પર્શેલું હોય? હે ગૌતમ! એક સમયની, બે સમયની કે ત્રણ સમયની વિગ્રહ ગતિ વડે, એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. બાકી બધું ‘યાવતુ પાંચ ક્રિયાવાળા પણ હોય ત્યાં સુધી તેમજ જાણવું. એ પ્રમાણે નૈરયિક સંબન્ધ કહેવું. પરન્તુ લંબાઇમાં જઘન્યથી અંગુલનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420