Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Jaykirtisuri
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ સંપાદકીય तित्थयरे भगवंते अणुत्तर परक्कम्मे अमिअनाणी । तिन्ने सुगइगइसए सिद्धिपहपएसए वंदे ॥ वंदामि महाभागं महामुणिं महायसं महावीरं । अमरनररायमहिअं तित्थयरमिमस्स तित्थस्स ॥ इक्कारस वि गणहरे पवायए पवयणस्स वंदामि । सव्वं गणहरवंसं वायगवंसं पवयणं च ॥ [ શ્રીમદ્વાદુવામી-વિવનિપિડિશાનન્તર થા] – સર્વોત્કૃષ્ટ પરાક્રમવાળા, અમિતજ્ઞાની, (સંસારથી) તરેલા, સુગતિગતિમાં એટલે મોક્ષમાં ગયેલા, સિદ્ધિના પથ-માર્ગના ઉપદેશક (એવા) તીર્થકર ભગવાનને વંદન કરું છું. – મહાભાગ્ય, મહામુનિ, મહાયશ, અમર અને નરરાજથી પૂજિત અને આ તીર્થના તીર્થકર-તીર્થપ્રવર્તક (એવા) મહાવીરભગવાનને વંદન કરું છું. - (ગૌતમાદિ) અગિયાર ગણધરો કે જે પ્રવચન-આગમના પ્રવાદક છે તેમને, સર્વ ગણધરોના વંશને, વાચકોના વંશને અને પ્રવચન-આગમને હું વંદન કરું છું. મૂલસૂત્રોની સંખ્યા : મૂલસૂત્રોની સંખ્યામાં મતભેદ જોવા મળે છે. કેટલાક લોકો ઉત્તરાધ્યયન, આવશ્યક અને દશવૈકાલિક–આ ત્રણ સૂત્રોને જ મૂલસૂત્ર માને છે, પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિને મૂલસૂત્રોમાં ગણતા નથી. તેમના મત પ્રમાણે પિંડનિર્યુક્તિ, દશવૈકાલિકનિયુક્તિના આધારે અને ઓઘનિર્યુક્તિ, આવશ્યકનિયુક્તિના આધારે રચાઈ છે. કેટલાક લોકો પિંડનિયુક્તિની સાથે ઘનિર્યુક્તિને પણ મૂલસૂત્ર તરીકે સ્વીકારે છે. ૧. સંપાદકીય આ લખાણમાં જૈનબૃહદ્ઘાહિત્યનો ઇતિહાસ ભાગ-૩ ગુજરાતી આવૃત્તિમાંથી અમુક લાખાણ સાભાર ઉદ્ધત કરી સંકલિત કરેલ છે. તથા ભદ્રંકર પ્રકાશનથી પ્રકાશિત ઉત્તરાધ્યયનસૂત્ર ભાષાંતરની આવૃત્તિમાંથી અધ્યયનોનો ટુંક સાર સાભાર લીધેલ છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 370