Book Title: Agam 22 Pushpchulika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ૫e ૧ થી ૧૦/૧ થી ૩ પછી ભૂતા તે જ ધાર્મિક યાન પ્રવરે વાવ બેસીને રાજગૃહનગરે આવી, રાજગૃહી મળેથી પોતાના ઘેર આવી. રથથી ઉતરી. માતાપિતા પાસે આવી, હાથ જોડી, જમાલી માફક પૂછે છે. યથાસુરäપછી સુદર્શન ગાથાપતિએ વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિજનાદિને આમંચ્યા. યાવત જમીને, સૂચિભૂત થઈને, દીક્ષા માટે અનુમતિ લઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા - જલ્દીથી ભૂતા માટે હજાર પુરુષ દ્વારા વાહ્ય શિબિકા લાવો. યાવતુ આજ્ઞા પાછી સોંપો. - ૪ - પછી સુદર્શન ગાથાપતિ, ભૂતાને સ્નાન યાવત્ વિભૂષિત શરીરે હજાર પુરુષથી વાહ્ય શિબિકમાં બેસાડે છે. પછી મિત્ર, જ્ઞાતિ, ચાવત રવ વડે રાજગૃહી નગરની મધ્યેથી ગુણશીલ ચૈત્યે આવે છે. તીર્થકરના છત્રાદિ અતિશય જોઈ. શિબિકા રોકી. ભૂતા ઉતરી. ભૂતાને આગળ કરી માતા-પિતા પાર્થ અરહંત પાસે આવ્યા. ત્રણ વખત વંદન-નમન કરીને કહ્યું – દેવાનુપ્રિય! ભૂતા અમારી એક માત્ર પુત્રી છે, અમને ઈષ્ટ છે, સંસારભયથી ઉદ્વિગ્ન છે યાવત્ આપની પાસે મુંડ થઈ ચાવતુ પ્રવજ્યા લેવા ઈચ્છે છે. અમે આપને શિણા ભિક્ષા આપીએ છીએ. આપ તે સ્વીકારો. - યથાસુરë ત્યારે ભૂતા, પાર્થ અરહંતે આમ કહેતા હર્ષિત થઈને પૂર્વમાં જઈ રવય આભરણ અલંકાર ઉતારે છે. “દેવાનંદi” માફક પુuસૂલા આર્યા પાસે દીક્ષા લઈ ચાવત ગુપ્ત બ્રહ્મચારિણી થઈ. પછી તે ભૂતા આ કોઈ દિવસે શરીરનાકુશિકા થઈ વારંવાર હાથ-પગ-મુખ-સ્તનાંતર-કક્ષાંતર-ગુહ્યાંતર ધુવે છે. જે જે સ્થાને શવ્યા કે નિષિધિના કરે છે, ત્યાં ત્યાં પહેલાં પાણી છાંટે છે. પછી શય્યા કે નિષિધિકા કરે છે. ત્યારે તે પુuસૂલા આર્યા ભૂતા આને કહે છે – આપણે ઈયસિમિત રાવત ગુપ્ત બહાચારીણી શ્રમણી નિન્શિીઓ છીએ. આપણે શરીર નાકુશિક થવું ન ક્લો તું શરીર બાકુશિત થઈ વારંવાર હાથ ધોવે છે યાવત નિષિવિકા રે છે. તો તું આ સ્થાનની આલોચના કર બાકી સુભદ્રા મુજબ ચાવત બીજે જઈને રહે છે. પછી તે ભૂતા આ ઘણાં ઉપવાસ, છઠ્ઠ આદિ કરી, ઘણાં વર્ષો શ્રામયપર્યાય પાળી, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરી કાળમાસે કાળ કરી સૌધર્મામાં શ્રીવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવશયનીયમાં યાવત તેટલી અવગાહનાથી શ્રીદેવીપણે ઉત્પન્ન થઈ પંચવિધ પર્યાપ્તિથી પર્યાપ્ત થઈ. એ રીતે ગૌતમ! શ્રીદેવીએ આ દિવ્ય દેવદ્ધિ પ્રાપ્ત કરી, સ્થિતિ એક પલ્યોપમ. શ્રીદેવી ક્યાં જશે? મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. હે જંબૂ! – નિક્ષેપ. એ પ્રમાણે બાકીના નવે અધ્યયનો કહેવા. સદેશ નામના વિમાન, સૌધર્મ કા, પૂર્વભવમાં નગરાદિના નામ સંગ્રહણી મુજબ છે. બધી પાર્શ્વ પાસે દીક્ષિત થઈ - ૪ - બધી મહાવિદેહે મોક્ષે જશે. • વિવેચન-૧ થી ૩ - ચોથો વર્ગ-પુષ્પચૂલિકા પણ દશ અધ્યયનાત્મક છે. શ્રીદેવી આદિ પ્રતિબદ્ધ અધ્યયનાત્મક છે. વૃત્તિ સર્વથા સુગમ છે. - X - X -

Loading...

Page Navigation
1 ... 15 16 17 18