________________
संवेगरङ्गशाला
IIકા
प्रस्तावना
: પ્રસ્તાવના | જેમાં પદે પદે વાકયે વાકયે ને કલેકે લોકે સંવેગની છોળો ઉછળી રહી છે, એવા આ પ્રમુનાબંનJIt સગરંગશાળા છે. આ ગ્રન્થરત્નની રચના કરનાર સમર્થતાકિ મહાવાદી શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીકત સંમતિતક ગ્રન્થ ૫૨ અસાધારણ ટીકા લખનાર પૂ. આચાર્યદેવ શ્રી અભયદેવસૂરિજી મહારાજના વડીલ ગુરુ બધુ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ છે.
આ ગ્રન્થ ખાસ કરીને એજ પુણ્યાત્માઓને લાભ કરનાર નિવડશે કે જે હૃદયથી એમ માને છે કે હું આત્મા છું, અનાદિકાળથી સંસાર સમુદ્રમાં રખડી રહ્યો છું, હું શાશ્વત છું, પણ મારી વર્તમાન અવસ્થા અશાશ્વત છે. મારી આ અનંત રખડપટ્ટીને અંત લાવે હોય તે “સંવેગ ગુણને વેગ મારે વધારે જોઈએ. વિના સવેગે મારા સંસારને અંત આવવાને નથી, કેમ કે વગર સંવેગે લાંબા કાળ સુધી પણ તપેલું તપ, સેવેલું શીલ કાયકઇ રૂપ છે, આચરેલું અનુપમ ચારિત્ર અને મેળવેલું ઘણું બધું જ્ઞાન પણ ખરેખર ફેતરા ખાંડવા જેવું છે. આ વાત ગ્રન્થકારના શબ્દોમાં જોઈએ તેઃ"सुचिरं पि तवो तवियं, चित्र चरणं सुयं पि बहु पढियं । जइ नो संवेगरसो, तो तं तुसखण्डणं सव्वं ॥ પણુ વાંચનાર એમ પૂછશે કે, સંવેગ એટલે શું ? તેને ઉત્તર ૫ણ ગ્રન્થકાર નીચેના શબ્દોમાં આપે છે -
एसो पुण संवेगो, संवेगपरायणेहि परिकहिओ । परमं भवभीरुतं, अहवा मोक्खामिकंखित्वं ॥