SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-૧ી ચન્દ્ર.: હવે આગમન દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે. નિર્યુક્તિ કરી ઓઘનિર્યુક્તિ-૪૭૯ : ટીકાર્થ : ભિક્ષાને ગ્રહણ કરીને સાધુની પાસે આવતી સ્ત્રીનું આગમન ઉપર અને નીચે ધ્યાનથી ભાગ-૨ T જોવું. આશય એ કે જેમ પહેલા સાધુ માટે અંદર ભિક્ષા લેવા જતી સ્ત્રીના ગમનમાં સંયમ વિરાધના અને આત્મવિરાધનાનું ૨૪ અવલોકન કરેલું એમ અહીં પણ સંયમવિરાધના અને આત્મવિરાધના જોઈ લેવા. (એ થતા હોય, તો સ્ત્રીને અટકાવવી. જો ર સંયમ વિરાધના થઈ જ જાય, તો પછી વહોર્યા વિના નીકળી જવું.) આગમન દ્વારા કહેવાઈ ગયું. હવે ‘પ્રાપ્ત' દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે જ્યારે દાત્રી સ્ત્રી ભિક્ષા લઈને સાધુ પાસે આવી પહોંચે ત્યારે એ ' દાત્રીને વિશે વાછરડાનું દૃષ્ટાન્ત જાણવું. તે આ પ્રમાણે – એક વાણિયા પાસે વાછરડો હતો. હવે એક દિવસ વાણિયાને ત્યાં જમણવાર હતો. ઘરના બધા જ લોકો એમાં જોડાયેલા હોવાથી કોઈએ વાછરડાને ભોજન પાણી ન આપ્યા. મધ્યાહ્ન સમયે વાછરડો રાડો પાડવા લાગ્યો, ત્યારે અલંકારો વડે અલંકૃત થયેલી અને સારા-સારા વસ્ત્રો વડે વિભૂષિત થયેલી પુત્રવધૂએ તે વાછરડાને ભોજન-પાણી આપ્યા. જેમ તે વાછરડાની દૃષ્ટિ પોતાને અપાયેલ ઘાસના ચારામાં હોય, પણ પુત્રવધૂ ઉપર ન હોય એમ સાધુએ પણ વાછરડાની જેમ કરવું. (અર્થાતુ બહેન ઉપર દષ્ટિ ન રાખવી, પણ “ભિક્ષા કલ્પનીય છે કે નહિ !'' એ જ ખ્યાલ રાખવા પ્રયત્ન કરવો.) IF ૪૭૫ II
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy