SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સદાચારી યુવાન હોય, નીતિમાન વેપારી હોય, શીલવતી નારી હોય, ખમીરવંતો શ્રાવક અષ્ટાલિકા જ હોય તે બધાયનું સન્માન થાય. નવા ઉપાશ્રયાદિનું ઉદ્ઘાટન કરનારા જો આવા માણસો હોય જો બીજું પ્રવચનો જતો સંઘમાં તેવી વ્યક્તિઓ વધે. બહુમાનની ક્રિયામાં દેખાવ, દંભ કે કોઈ જાતનો આભા ના કર્તવ્ય ॥ ૮૨ ॥ જ જોઈએ. ભક્તિનો બદલો ન હોય. પ્રભુના શાસનની બલિહારી છે. તેનો મહિમા અપાર છે. આવી પવિત્ર પરંપરા ચાલી આવે છે. માટે જ સાધર્મિકના પ્રશ્નો આપમેળે પતી જતા હતા. સાધર્મિકને ત્યાં રાત્રે ઘઉંની ગુણ પહોંચી જતી અને તેમાં સોનામહોર પણ નાંખી દેવાતી. | (૩) વઢવાણના શ્રાવક સાધર્મિક વાત્સલ્ય વઢવાણ શહેરના વતની. જીવદયા એમનો જીવન-પ્રાણ. બન્યું એવું કે એક સાધર્મિક ભાઈને ત્યાં કોઈ માંદુ હશે. ડૉક્ટરને બતાવ્યું. ડોક્ટરે દવાઓ લખી આપી પણ આર્થિક સ્થિતિ બરાબર ન હોવાથી દવાઓ લાવી શકાઈ નહીં. પેલા ભાઈ રાત્રે ખૂબ હેરાન થતા હતા. આ શ્રાવકને તેની ખબર પડી. તે દિવસે તેમને મૌન હતું. સંકેતથી પીસ્ક્રીપ્શનનો જ ા કાગળ મેળવીને બજારમાંથી બધી જ દવા લઈ આવ્યા. રાતના ૧૧ થયા હતા. અંધારું ઘોર હતું. ગરીબના ઘેર દીવા ઓલવાઈ ગયા હતા. બધું સૂમસામ હતું. ત્યાં તે ધીરેથી તેના ઘરમાં ઘૂસ્યા. અંદર જઈને બધી દવા મૂકી જ્યાં પાછા ફરતાં હતા ત્યાં કાંઈક અથડાયું. અવાજથી અંતે લોકો સાવધ થઈ ગયા, અને અંધારામાં ‘ચોર ચોર’ કરી બૂમ પાડવા લાગ્યા. લોકો ભેગા થઈ ગયા. તે શ્રાવકને મારવા લાગ્યા. શ્રાવકને કહેવું ન હતું કે, ‘દવા મૂકવા આવ્યો છું.’ 9 9 දව ද || ૮૨ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy