SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જો કદાચ માનવ-જીવનના પરમ કર્તવ્યરૂપ મુનિ-જીવનની પ્રાપ્તિ ન થઈ શકે તો, તે આત્માઓએ સાચા મુનિઓનો ભારોભર આદર કરવો અને તેમના કઠોર જીવનની બેમોંએ અષ્ટાકિા એકદર કરવી. જ્યાં ને ત્યાં તેમના ઉત્તમ ગુણોનો અનુવાદ કરવો. પણ પહેલું પ્રવચનામ નિકાચિત ચારિત્ર મોહનીય કર્મના ઉદયને લીધે શ્રીકૃષ્ણ સંયમ લઈ શક્યા ન હતા કર્તવ્ય ॥ ૧૪ ॥ પરંતુ એ જીવન તરફ તેમનો આદર એટલો બધો હતો કે પોતાની બધી પુત્રીઓને સંયમ એ અમારી ગમાર્ગે જવાની-લગ્ન કરવા દ્વારા કોઈ પતિની દાસી બનવાને બદલે સાધ્વી બનીને જગત્ની અરાણી બનવાની-સફળ પ્રેરણા કરી હતી. પ્રવર્તન મગધપતિ શ્રેણિકના હૈયે મુનિ-જીવનની એટલી ઊંચી કદરદાની હતી કે જ્યારે અબજો પતિ શ્રેષ્ઠીપુત્ર શાલિભદ્ર સંયમ લે છે ત્યારે તેના વરઘોડામાં આ મગધનો નાથ ખુલ્લા પગે જ ચાલે છે અને છડીદારની કામગીરી બજાવે છે. શાલિભદ્રની પીઠી ચોળવાને લાભ પણ તે જ જ લિઈને રહે છે. ગૂર્જરેશ્વર કુમારપાળ મુનિ-જીવનના એવા માશૂક હતા કે પરમાત્માની સ્તુતિઓ કરતાં રોજ તેઓ માંગણી કરતા કે, હે પરમેશ્વર ! અઢાર દેશનું મારું રાજાપણું તું લઈ લે અને મને તારા શાસનનો ભિખારી (મુનિ) બનાવ.' મહામંત્રી વસ્તુપાળે ખૂબ ઊંચી કોટિના શ્રાવક-ધર્મનું પાલન કર્યું છતાં મૃત્યુની પળોમાં તેમણે કહ્યું કે, ‘હું જિનધર્મને પામ્યો પણ હારી ગયો, કેમકે હું છેવટ સુધી સાધુ ન થઈ શક્યો.' ස දහා රය ය හා ව || ૧૪ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy