SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્રેણિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈના મહાન્ પૂર્વજોમાંના એક નગરશેઠશ્રી વખતચંદભાઈ. દિલ્હીના બાદશાહનાં કોઈ મુસ્લીમ સુબાએ સમસ્ત અમદાવાદને લૂંટીને અઢળક સંપત્તિ | / ૧૦૩ || મેળવવા માટે ઘેરો ઘાલ્યો. અમદાવાદની અઢાર કોમ ભયથી ફફડી ઊઠી. લૂંટફાટની સાથે | શિખૂનામરકી અને બલાત્કારો પણ સંભવિત હતા.આ આખી રાત નગરશેઠ વખતચંદને ઊંઘ ન આવી. બીજા દિવસે ઘેરો મજબૂત બનતાં ભય વધી ગયો. હવેની રાત કતલની રાત બનશે છે થિએવા વિચારથી સર્વત્ર ભય પ્રસરી ગયો હતો. એ રાતે દસ વાગે શેઠ નગરની બહાર ગયા. સૂબાને ઘેરો ઉઠાવી લેવા માટે વિનંતી કરી. | હિતેની સામે સૂબાને જેટલું ધન જોઈતું હોય તેટલું આજે જ રાતે ચૂકવી આપવાની બાંહેધરી | શિઆપી. અને કમાલ થઈ ! ઘેરો ઊઠી ગયો. લાખો સોનામહોરોથી સોદો થયો. ઢગલાબંધ Aિ બિગાડાંઓની વારંવાર હેરાફેરી કરીને શેઠે સોનામહોરોથી ભરેલી હજારો લાલ કોથળીઓ સિમોકલી આપી. નગરના હજારો જૈન-અજૈન લોકોએ હેરાફેરી કરતાં ગાડાં જોયાં. નગરશેઠના બિઆ કાર્ય ઉપર સહુ આફ્રીન પોકારી ગયા. તેમના નામનો સહુએ જયજયકાર બોલાવ્યો. ઘેરો શિ Aિઊઠી જતાં તમામ લોકો ખૂબ નાચ્યા. શેઠની હવેલીએ હજારો લોકો પહોંચ્યા. શેઠને ખૂબ ખૂબ જ વધામણાં આપ્યા. આવા હતા, જૈનોના શેઠિયાઓ ! જગતમાં ક્યારે ય નહિ એમનો જોટો. જેટલા છોડનું ઉજમણું જે શ્રાવક કરે તેટલા સાધર્મિક કુટુંબોનો ઉદ્ધાર કરવાનું તેના માટે ફરજિયાત હતું. I || ૧૦૩ |
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy