SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ - બિ બીજું આ કર્તવ્ય જ્યારે ઉદો પોતાનાં કુટુંબીજનો સાથે બહાર નીકળ્યો ત્યારે હસુમતીએ બહાર નીકળીને ન તેમને સહુને પ્રણામ કર્યા. જમવા માટે આમંત્રણ આપીને સહુને ઘેર લઈ ગઈ. ભારે ન અષ્ટાદ્ધિક સિત્કારપૂર્વક સહુની સાધર્મિક ભક્તિ કરી. ત્યાર બાદ ઠીક ઠીક સારી રકમ વગેરે પહેરામણીમાં | પ્રવચનો આપ્યું. તદુપરાંત હસુમતીએ પૂછ્યું કે, “ભાઈ ! મારાથી કશો સંકોચ રાખશો નહિ. તમે મને ! | ૯૮ || કહો કે તમે આ નગરમાં ક્યાં રહેશો ? શું કરશો ?” સાધર્મિક ઉદાએ કહ્યું, “હવે મારા હાથમાં થોડીક રકમ છે. હું વાણિયાનો દીકરો છું. હવે કયો વાત્સલ્ય ધિંધો કરવો અને ધન કમાઈ લેવું એ બુદ્ધિ તો મારી પાસે છે. હા, રહેવા માટે છાપરું મળી |ી જાય તેની તજવીજ કરવાની રહેશે.” બહેને પોતાનું જ નાનકડું સ્વતંત્ર ઘર રહેવા માટે આપી દીધું. ઉદાના આગ્રહને લીધે ભાડું ઠરાવ્યું. થોડાક જ સમયમાં ઉદાને દુકાનમાં ઠીક ઠીક બચત થઈ. તેથી ધંધો વધતો ગયો. ૬-૮ માસમાં તો તે મોટો વેપારી બની ગયો. એક દિવસ તેણે હસુમતી પાસે ઘરની ખરીદી કરવાનો વિચાર મૂક્યો. બહેનને તો, કસાધર્મિક ભક્તિનો એ સુઅવસર જ હતો તેણે પોતાનું ઘરવેચાણથી ઉદાને આપી દીધું. બીજા દિવસે ઉદાએ તે ઘર પાયાથી નવું બાંધવા પડાવી નાંખવાનું શરૂ કર્યું. ત્યાં પાયો - ખોદતાં લાખો રૂપિયાની કિંમતનો ઝવેરાત ભરેલો ચરુ નીકળ્યો. ઉદાએ તે ચરુ બહેનને | ૯૮ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy