SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલી વાચના (સવારે) બોલ્યા, “મેઘ ! અગ્નિમાં ઝંપાપાત કરીને મરી જવું સારું છે, પણ વ્રતભંગ કરવો એ તો ખૂબ જ (૫૨) છે ખરાબ છે.” કલ્પસૂત્રની છે પરમાત્માની મેઘગંભીર વાણી સાંભળતાં જ મેઘમુનિની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યાં. વાચનાઓ “અહો ! મેં આ શું વિચારી નાખ્યું ! સાધુપદના ત્યાગના વિચારથી તેનું મન કંપી ઊઠ્ય ? પરમાત્મા છે પાસે વિધિપૂર્વક પ્રાયશ્ચિત્ત કરીને પ્રતિજ્ઞા કરી કે, ઇર્યાસમિતિ આદિના પાલન માટે આંખોને છે જાળવી રાખવા સિવાય આખુંય શરીર મુનિ ભગવંતોની સેવામાં સમર્પિત કરી દેવું.” છે. મેઘમુનિએ પોતાનું જીવન ફરી કલ્યાણના પંથે ચડાવી દીધું. છે એવા કોઈ કર્મના ઉદયે મુનિજીવનમાં પણ વાસના જાગી જાય તે સંભવિત છે, પણ તેવા સમયે છે સ્વાધ્યાયથી, તપથી, સાધનાથી વાસના દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તોય ચારિત્રત્યાગની અભાગી પળ આવી લાગે તો વિધિપૂર્વક ગુરુ, સમક્ષ સઘળી હકીકત રજૂ કરવી જોઈએ. અને આ વિધિપૂર્વક રજોહરણ ગુરુને સોંપી દેવું જોઈએ. મુનિવેષમાં રહીને ઘોર પાપો તો ન જ કરાય. એવું છેહરામનું ખાવા કરતાં ગૃહસ્થ જીવન ઓછું ખરાબ ગણાય. છે. મેઘકુમાર પ્રભુ પાસે ગયા તો ભગવાને તેમના ભવ કહ્યા અને તેથી તેમનું પુનઃપરિવર્તન થયું જ અને પરિણામે ઉગ્ર સંયમ પાળીને અંતે મહિનાના ઉપવાસ કરીને કાળધર્મ પામ્યા. દેવલોકમાં થઈને મહાવિદેહમાં જન્મ લઈને તેઓ ત્યાંથી મોક્ષમાં જશે. (પર)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy