SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) છે. કરી છે છે નિર્ણય કર્યો. એ માટે, એ વ્યંતરે રાજાને લાત મારી સિંહાસન ઉપરથી પાડી દઈને લોહી વમતો છે કરી દીધો. પછી નગરીનો નાશ કરી નાંખે એવી એક મોટી શિલા આકાશમાં રચી. આકાશમાં રચાયેલી મોટી શિલાને જોઈને, નાગકેતુને ચિંતા થઈ કે આ શિલા જો આ નગરી ઉપર પડશે તો થશે શું? નગરી ભેગું જિનમંદિર પણ સાફ થઈ જશે. હું જીવતો હોઉં અને શ્રીસંઘના જિનમંદિરનો વિધ્વંસ થઈ જાય ? મારાથી એ વિધ્વંસને જોઈ કેમ શકાય? આવી ચિંતા થવાથી નાગકેતુ જિનપ્રાસાદના શિખર ઉપર ચડી ગયા અને આકાશમાં રહેલી શિલાને હાથ દીધો. નાગકેતુના હાથમાં કેટલી તાકાત હોય? પણ જે તાકાત એમના હાથમાં નહોતી પણ તે છે આ તાકાત એમના પુણ્યમાં હતી. એમણે જે તપ કર્યો હતો, એ તપે એમને એવી શક્તિના સ્વામી શું બનાવી દીધા હતા કે એમની એ શક્તિને પેલો વ્યંતર સહન કરી શક્યો નહિ. વ્યંતરે તરત હું પોતાની વિકર્વેલી શિલાને સંહરી લીધી અને એ વ્યંતર નાગકેતુના પગમાં પડી ગયો. નાગકેતુના છેકહેવાથી તે વ્યંતરે રાજાને નિરુપદ્રવ કરી દીધો. છે. આ પ્રસંગ બની ગયા પછીથી, કોઈ એક દિવસે જ્યારે નાગકેતુ ભગવાનની પૂજા કરી રહ્યા છે @ હતા તે વખતે પુષ્યના મધ્યમાં રહેલો સર્પ તેમને કરડ્યો. સર્પ કરડવા છતાં પણ નાગકેતુ જરાય ? ચલચિત્ત બન્યા નહિ. “સર્પ ડસ્યો છે” એમ જાણીને ધ્યાનરૂઢ બન્યા. એવા ધ્યાનરૂઢ બન્યા કે તે છે ભગવાન બની ગયા. એ વખતે શાસનદેવતાએ આવીને તેમને મુનિવેષ અર્પણ કર્યો. એ વેષને છે
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy