SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) છે જેઠાણીને કહે, “તમે ખુશીથી બધાં વ્યાખ્યાનો સાંભળો, અને ઘરની રસોઈ વગેરે કામ હું કરી છે હું લઈશ.' તો દેરાણીને પણ કલ્પસૂત્રના શ્રવણમાં અન્યને સહાયક બન્યાનો લાભ મળે. પર્યુષણ છે પર્વમાં દુકાન, વેપાર, ધંધા બંધ રાખવા જોઈએ પરંતુ તેવી શક્યતા ન હોય તો નાનો ભાઈ મોટા છે ભાઈને કે પિતાને કહે, “આપ અખંડિત વ્યાખ્યાન સાંભળો. હું દુકાનનું કામ સંભાળી લઈશ.” છે તો તે નાનો ભાઈ પણ લાભ પામે. હું આ પ્રમાણે વિધિપૂર્વક સતત ૨૧ વખત જે કલ્પસૂત્ર વાંચે તે સાધુ, જે ધ્યાનપૂર્વક સાંભળે તે છે ( શ્રોતા અને સાંભળવા માટે જે સહાયભૂત થાય તે સહાયક - આ ત્રણેય પ્રકારના આત્મા સાત આઠ ભવે મોક્ષે જાય. 8 કલ્પસૂત્ર વાંચન-શ્રવણના અધિકારી કલ્પસૂત્રના અધિકારી મુખ્યતઃ સાધુ-સાધ્વી છે. કલ્પસૂત્રનું વાંચન કરવાના અધિકારી યોગ છે કરેલા સાધુ ભગવંતો જ છે. તેનું શ્રવણ કરવાના અધિકારી સાધુ-સાધ્વી છે. વીર ભગવાનના નિર્વાણ પછી ૯૮૦મે વર્ષે મતાંતરે ૯૯૩ મે વર્ષે) પૂર્વે જણાવ્યા મુજબ ચતુર્વિધ સંઘ તે સાંભળવા માટેનો અધિકારી બન્યો. પર્યુષણ પર્વમાં જેમ કલ્પસૂત્ર સાંભળવાનું છે તેમ બીજા પણ પાંચ કર્તવ્યો (અમારિ-પ્રવર્તન (૩૫)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy