SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુની આગાહી : વૃદ્ધત્વ આવ્યા બાદ વજસ્વામીને એક વાર કફનો પ્રકોપ થયો. તેથી તે આહાર કર્યા પછી સુંઠ લેવા માટે સુંઠનો ગાંગડો મંગાવ્યો. તે કાન ઉપર રાખી મુક્યો અને ત્યાં જ (૩૧૬) કલ્પસૂત્રની રહી ગયો. પ્રતિક્રમણ કરવા બેઠા ત્યારે કાનને હાથ સ્પર્શતા સૂઠનો ગાંગડો યાદ આવ્યો. આનું છે આઠમી વાચનાઓ વિસ્મરણ જાણીને પોતાનું મૃત્યુ નજદિક આવેલું જાણ્યું. શ્રી વજસેન નામના શિષ્યને કહ્યું કે, ““જે વાચના ૬ દિવસે વિષમિશ્રિત લાખ મૂલ્યવાળા ભાત તને રંધાતા જોવા મળે, તેના બીજા દિવસે બાર વર્ષના આ બપોરે) દુકાળનો અંત આવશે.' ત્યાર બાદ વજસેન સૂરિએ અન્ય સાધુઓ સાથે વિહાર કર્યો અને વજસ્વામીજી પોતાની સાથે છું રહેલા સાધુઓને લઈને રથાવત પર્વત ઉપર અનશન કરીને દેવલોકે ગયા. તેમની સાથેના છે હું બાળસાધુએ જીદ કરીને પણ ગુરુદેવની સાથે ધગધગતી શિલા ઉપર અનશન કર્યું. એક જ દિવસમાં શું છે કાળધર્મ પામ્યા. તે વખતે સંઘયણ અને દશમું પૂર્વ વિચ્છેદ પામ્યા. છે. આ બાજુ બાર વર્ષનો દુષ્કાળ પડ્યો. સોપારક (નાલાસોપાળા) નામે નગરમાં જિનદત્ત નામે છે. છે શેઠ હતા. એને ઈશ્વરી નામે પત્ની હતી. કારમાં દુષ્કાળથી તેઓ હવે જીવવાને લાચાર બની ગયા છે હતા. તેમણે લાખ સોનામહોરો આપીને થોડાક ચોખા મેળવ્યા. તેનો ભાત કરીને તેમાં ઝેર નાખીને છે બધા મૃત્યુની ગોદમાં સુવાની તૈયારી કરતા હતા ત્યાં ધર્મલાભ” કહેતા વજસેનસૂરિજી પધાર્યા. છે (૩૧). હકીક્ત જણાઈને ગુરુનું વચન યાદ આવતાં તે કુટુંબને વિષપ્રયોગથી નિવારીને ઉગારી દીધું.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy