SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ હુમલો કરી દીધો છે. મા- સંસ્કૃતિ કલસી રહી છે. ડચકાં લઈ રહી છે. ઓ, કોકતો જાગો. સખીઓને બીજા પતિની વાત અસંભવિત જણાવીને રાજીમતી નેમિકુમારને કહેવા લાગી : છે “હે પ્રભુ ! તમારી પાસે આવેલા વાચકોને તેમની ઇચ્છાનુસાર તમે આપો છો, પરંતુ જેની હું છે માગણી કરતી હતી તે હાથ આપે મને આપ્યો નહિ! ખેર, કંઈ વાંધો નહિ. આપે મારા હાથ ઉપર હાથ આપ્યો નહીં, પણ યાદ રાખજો કે હું દીક્ષા વખતે હવે મારા મસ્તક ઉપર હાથે લઈને જંપીશ.” - ત્યાર પછી પ્રભુએ એક વર્ષનું વર્ષીદાન આપવાનું શરૂ કરી દીધું. એક વર્ષ પૂરું થતાં પ્રભુનો છે દીક્ષાનો વરઘોડો નીકળ્યો. શ્રાવણ સુદ છઠ્ઠના રોજ ઉત્તરકુરા નામની પાલખીમાં બેસીને દ્વારકા આ નગરીની મધ્યમાંથી થઈને રૈવતક ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે ઊતર્યા ત્યાં આભૂષણોનો ત્યાગ સ કરીને છઠ્ઠના તપ પૂર્વ પંચ મુષ્ટિ લોન્ચ કર્યો. દેવે દેવદૂષ્ય આપ્યું. એક હજાર પુરુષોની સાથે ચિત્રા આ નક્ષત્રમાં પ્રભુએ દીક્ષા લીધી. | શ્રી નેમિનાથ પ્રભુએ ૫૪ દિવસની છદ્મસ્થપણે સાધના કરી. પછી આસો વદ અમાસને દિવસે ગિરનાર પર્વતના શિખર ઉપર, વેતસ નામના વૃક્ષ નીચે, અઠ્ઠમના તે તપસ્વીને ચિત્રા નક્ષત્રમાં સહસ્રામ્ર વનમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયાં. શ્રીકૃષ્ણ મોટા આડંબરથી પ્રભુને વાંદવા આવ્યા. તે વખતે રાજીમતી પણ ત્યાં આવ્યા. પછી પ્રભુની દેશના સાંભળીને વરદત્ત
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy