SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ એ નામની પાલખીમાં બેસીને આશ્રમપદ નામના ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે આભૂષણો ઉતારીને તે પંચ મુષ્ટિ લોન્ચ કર્યો. ત્યારે પ્રભુને અઠ્ઠમનું તપ હતું. પ્રભુએ “કરેમિ' વગેરે પાઠ ઉચ્ચારપૂર્વક (૨૫૪) છે૩૦૦ પુરુષો સાથે દીક્ષા લીધી. તે જ વખતે પ્રભુને મનઃ પર્યવજ્ઞાન પ્રગટ થયું. પાર્શ્વપ્રભુએ કલ્પસૂત્રની સાતમી વાચનાઓ છદ્મસ્થપણે ૮૪ દિવસની સાધના કરી. પાર્શ્વપ્રભુને દેવ, મનુષ્ય અને તિર્યંચના પ્રતિકૂળ અને વાચના અનુકૂળ ઉપસર્ગો થયા. તે બધાં સારી રીતે સહન કર્યા. (સવારે) કમઠનો ઉપસર્ગ : પાર્થપ્રભુ તાપસના આશ્રમમાં એક કૂવાની પાસે વટ-વૃક્ષ નીચે રાત્રે છે કાયોત્સર્ગમાં ઊભા હતા ત્યારે કમઠ – જે મેઘમાળી દેવ બનેલ તે પૂર્વભવના વૈરભાવને લીધે છે સતાવવા આવ્યો. ક્રોધાન્ધ બનેલા મેઘમાળીએ વાઘ, વીંછી તથા ભયંકર જીવજંતુઓ વગેરે પ્રગટ કર્યો. છતાંય પ્રભુને ભયરહિત જોઈને તેણે પ્રલય કાળનો મેઘ વરસાવ્યો. ચોમેર ઘોર અંધકાર છવાઈ ગયો. વીજળીઓ કડાકા કરવા લાગી. બ્રહ્માંડ ફાટી જાય તેવી ભયંકર ગર્જના થવા લાગી. ચારેકોર જળબંબાકાર થઈ ગયું. પાણી વધવા લાગ્યું. ઠેઠ પ્રભુના નાક સુધી પહોંચ્યું ત્યાં ધરણેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. તે તરત ત્યાં આવી પહોંચ્યો. મેઘમાળીને સજા કરી. ધરણેન્દ્ર ફણાથી છત્ર કર્યું. મેઘમાળીએ પ્રભુની ક્ષમા માગી. ધરણેન્દ્ર પ્રભુની પૂજા કરીને પોતાના સ્થાનકે ગયા. છે. ચૈત્ર વદ ચોથના દિવસે ધાતકી નામના વૃક્ષ નીચે જ્યારે પ્રભુને છઠ્ઠનો તપ હતો. વિશાખા નક્ષત્ર હતું ત્યારે પ્રભુ પાર્શ્વનાથને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થયાં. પાર્શ્વ પ્રભુને આઠ ગણ
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy