SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેમણે કહ્યું કે, ““રાત્રિના પ્રથમ પહોરમાં દીઠેલ સ્વપ્ન બાર માસમાં ફળદાયક થાય છે. બીજા પહોરમાંનું સ્વપ્ન છ માસમાં ફળદાયક થાય છે. ત્રીજા પહોરમાંનું સ્વપ્ન ત્રણ માસમાં, અને કલ્પસૂત્રની ચોથા પહોરમાંનું સ્વપ્ન એક માસમાં ફળદાયક થાય છે. સૂર્યોદયથી બે ઘડી પૂર્વે જોયેલ સ્વપ્ન દશ એ ચોથી વાચનાઓ જ દિવસમાં ફળે છે અને સૂર્યોદય વખતે દીઠેલ સ્વપ્ન તરત ફળે છે. ખરાબ સ્વપ્ન કોઈને ન કહેવાથી તે વાચના % અથવા ખરાબ સ્વપ્ન આવ્યા પછી સૂઈ જવાથી તે સ્વપ્નનું ફળ હણાઈ જાય છે, એટલે તેનું ફળ છે (સવારે) જ નાશ પામે છે. સારાં સ્વપ્નને કોઈ ગુરુ કે યોગ્ય વ્યક્તિને અથવા તેમના અભાવમાં ગાયના કાનમાં જ હું કહી દેવું જોઈએ. સારું સ્વપ્ન આવ્યા પછી પાછું ફરી સૂવું ન જોઈએ. સૂવાથી તે સ્વપ્નનું ફળ નષ્ટ પામે છે. બાકી રહેલ રાત્રિ ધર્મધ્યાનમાં અને ભગવાન પરમાત્માના સ્મરણમાં પસાર કરવી છું જોઈએ.” સ્વપ્નપાઠકોએ આ પ્રમાણે શુભ અને અશુભ સ્વપ્નોનું વિસ્તૃત વર્ણન કરીને કહ્યું, ““હે છે દેવાનુપ્રિય ! હે સિદ્ધાર્થ રાજનું ! અમારા સ્વપ્નશાસ્ત્રમાં ૭૨ સ્વપ્નોનું વર્ણન કરવામાં આવેલ છે. હિં છે. તેમાંથી ૪૨ સ્વપ્ન સામાન્ય ફળ આપનારાં અને ૩૦ મહાસ્વપ્ન ઉત્તમ ફળ આપનારાં કહેલાં છે છે. અરિહંતની કે ચક્રવર્તીની માતા બનનારને ૩૦ મહાસ્વપ્નોમાંથી ૧૪ સ્વપ્ન આવે છે : જેવાં કે છે વૃષભ, હાથી વગેરે. વાસુદેવની માતા ૧૪ મહાસ્વપ્નમાંથી કોઈ પણ ૭ સ્વપ્ન જોઈને જાગ્રત થાય છે છે છે. બળદેવની માતા બનનાર ચૌદ મહાસ્વપ્નમાંથી કોઈ પણ ચાર મહાસ્વપ્ન જોઈને જાગ્રત થાય છે
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy