SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા સિદ્ધાર્થે પોતાના કૌટુંબિક માણસોને બોલાવ્યા અને તેમને કહ્યું, “જાઓ, કચેરીને સુંદર (૧૦૮) જે રીતે સજાવો, સુગંધિત પુષ્પોની માળાઓના હાર ચોતરફ લટકાવો. સુગંધિત ધૂપનાં કચોળાં મૂકો. હું ત્રીજી કલ્પસૂત્રની છે બધી રીતે કચેરીને સુવાસિત અને સુંદર બનાવો. પછી વચમાં સિંહાસન મૂકો. તેની એક બાજુએ છે વાચના વાચનાઓ , પડદો નાંખો, પડદાની પાછળ ભદ્રાસન મૂકો. આ બધી વ્યવસ્થા કરીને મને તેની જાણ કરો.” (સવારે) છે. વડીલે જે આજ્ઞા આપી હોય તે પરિપૂર્ણ થયાના સમાચાર આપવા તે તેને આજ્ઞા પાછી આપી છે છેકહેવાય. આ ઉત્તમ કક્ષાનો વિનયવ્યવહાર છે. આજે આજ્ઞા પાછી આપવાની વાત ભુલાઈ ગઈ છે. છેકૌટુંબિક પુરષો રાજાની આજ્ઞાથી ખુશ થઈ ગયા. “રાજા સાહેબે આજ્ઞા કરી !' આમ બોલતાં હું છે બોલતાં આજ્ઞા મુજબ વ્યવસ્થા કરવા ઝટપટ રવાના થયા. છે આ વાત બતાવે છે કે રાજા વારંવાર હુકમ છોડતા જ નહીં હોય. ખાસ જરૂર પડતી હશે ત્યારે જ છે છે આજ્ઞા કરતા હશે. તેથી જ સેવકોને આજ્ઞા મળ્યાનો અપાર આનંદ થાય છે. છે જ્યારે સિદ્ધાર્થ રાજા શયનખંડમાંથી બહાર આવ્યા ત્યારે બાલસૂર્યનો ઉદય થયો હતો. આકાશ છે છે લાલવર્ણી બન્યું હતું. ગ્રંથકાર પરમર્ષિ રાજા સિદ્ધાર્થની દિનચર્યા દર્શાવવા દ્વારા તેમનો પુણ્ય- છે છે વૈભવ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય વગેરે દર્શાવે છે. આવી અઢળક સંપત્તિનો, સમૃદ્ધિનો વર્ધમાનકુમારે હું ત્યાગ કર્યો હતો એ હકીકત આ વર્ણન દ્વારા આપણા ચિત્તપટમાં ઊપસે છે. (૧૦૮)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy