SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કાલિકડ્યોગ યોગવિધિમાં ૧ સજઝાય ક્રિયાકારકે પઠાવવી તેમ ઉલ્લેખ છે, પરંતુ હાલમાં યોગ કરાવનાર તો પ્રત્યેક કાલગ્રહણની ૧-૧ સજઝાય પઠાવે છે. પ્રવેશના દિને પભાઈકાલનું એક કાલગ્રહણ લેવું. પ્રથમ સઝાય જોગી તથા ક્રિયા કરાવનારે સાથે પઠવવી પછી યોગ પ્રવેશ - નંદી તથા અનુષ્ઠાનની ક્રિયા કરાવવી. સવારે અને સાંજે પવેયણાની ક્રિયામાં સંઘટ્ટો - આઉત્તવાણય લેતા - મૂકતા (મુહપત્તિના આદેશથી “મિચ્છા મિ દુક્કડમ્') સુધી છીંક સંભળાય, અક્ષર આઘો-પાછો - કૂડો બોલાય,-વીજ -દીવા તણી ઉહી, કોઇ વ્યક્તિ કે ચીજ-વસ્તુને અકાઈ જાય, ઓઘો-મુહપત્તિ અળગા થાય તો ભાંગે - સંપૂર્ણ આદેશપૂર્વક વિધિ ફરીથી કરવી પડે. સાંજની ક્રિયામાં કાલગ્રહણ ન લેવું હોય તોય અનુજ્ઞા ન થાય ત્યાં સુધી પણાની વિધીમાં છેલ્લે “દાંડી કાલમાંડલા પડિલેહશું” નો આદેશ માંગવો.. અનુજ્ઞા ન થાય ત્યાં સુધી દંડાસન (મોરપીંછ) - પાટલી – કાલભૂમિ પડિલેહવી, પછી આવશ્યકતા નહી. દહેરાસરના ચૈત્યવંદન પૂર્વ સંઘટ્ટો લઈ ઠલ્લે જવાય પરંતુ કાળપવાથી લઈ સજઝાય - પાટલી પૂરી ન થાય તે પૂર્વે ઠલ્લે જાય તો દિવસ પડે, જો સઝાય થઈ જાય અને માત્ર સજઝાય - પાટલી બાકી હોય અને સંઘટ્ટો લઈ ઠલ્લે જાય તો કાલગ્રહણ જાય, અને સંઘટ્ટો લીધા વિના જાય તો દિવસ ઉદાહરણરૂપે ઉત્તરાધ્યયન સૂત્રના જોગમાં મૂળ દિન ૨૮ હોય છે તેમાં આગળના કાલગ્રહણ જલ્દી લેવાઈ જાય પરંતુ સમુદેશનું કાલગ્રહણ ૨૭ માં દિવસે તથા અનુજ્ઞાનું કાલગ્રહણ ૨૮ માં દિવસે જ લેવું. વચમાં અસઝાય કે પહેલા દિવસ ગણતરીમાં લેવાય અથવા બાદ કરીને પણ લેવાય, જો પ્રવેશથી ગણી લેતો અસઝાય - પડેલા દિવસને પાછળથી ભરપાઈ કરવાના હોય છે. રાત્રે ૧૨ વાગ્યા પૂર્વે ઠલ્લે જાય તો આગલો દિવસ અને પછી જવું પડે તો ત્યારબાદનો દિવસ પડે જો ૧૨ વાગ્યા પૂર્વ અને પછી તેમ બે વાર જાય (પ )
SR No.600351
Book TitleBruhad Yog Vidhi Part 04 Kalik Yog
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages94
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy