________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ મહાપૂજનવિધિ/૩
પાર્શ્વનાથ ભગવાનના જે સ્તોત્રો મળશે તે મુજબના તાપ્રયંત્રો સંકલિત થશે.
with
૪૦ તીર્થકર ભગવંતોના તાણયંત્રો-મહાપૂજન અંગે:
અચલગચ્છાધિપતિશ્રીએ સંસ્કૃતમાં ગદ્ય-પદ્યમાં ૨૫% શ્લોક પ્રમાણ રચના કરેલ છે. એમાંથી હાલમાં ૨૦ પાર્શ્વનાથ ભગવંતોના ૧૦ અથવા ૧૩ ગાથાના સ્તોત્રનો તથા પ્રાચીન પૂર્વાચાર્યોના ૨૦ સ્તોત્રનો આધાર લઈને પૂજ્ય મુનિરાજશ્રીએ ૪૦ પાશ્વનાથ ભગવાનના ૪૦ મહાપૂજનો અને ૪૦ તામયંત્રો અમરાવતી અને ભાંડુપ ચાતુર્માસમાં તૈયાર કરેલ. આ તામ્રયંત્રોમાં ૧૦ જેટલા ચિત્રો આપવામાં આવ્યા છે. પંચપરમેષ્ટિ ભગવંતોના અનુગ્રહથી તથા ચતુર્વિધ સંઘના અપાર વાત્સલ્યથી પૂજ્યશ્રીએ કરેલ આ૪૦ પાર્શ્વનાથ ભગવંતોના યંત્રની સંકલનાએ જૈન શાસનની એક અદભૂત અને અદ્વિતીય સંકલના છે. કારણ કે આ પ્રકારના ચિત્રોવાળા તામ્રયંત્રો જૈનશાસનમાં આ જ દિવસ સુધી પ્રસિદ્ધ થયા નથી.
સ્તોત્ર તથા તીર્થમાં ઈતિહાસ વિશે:
મહારાષ્ટ્રના શિરપુર (અંતરિક્ષજી)માં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી શ્યામવર્ણની ચમત્કારિક વેળુના પ્રતિમાજી આધાર વિના જમીનથી અદ્ધરઅર્ધપદ્માસને બિરાજમાન હતા. ફણાસહિત૪૨”ઊંચા ૩૦”પહોળાપ્રતિમાજી અવકાશમાં અદ્ધર રહીને ‘અંતરિક' નામની ગુણનિષ્પન્નતાનો પરિચય કરાવેલ. વરાડ દેશનો રાજા શ્રીપાલકઝરોગથી પીડાતો હતો. એકદાપુગ્યયોગે એક કુવાનું પાણી પીવાથી એનોરોગ ચમત્કારીક રીતે દૂર થયો. સ્વપ્ન સંકેત અનુસાર ખબર પડી કે કુવામાં પાર્થપ્રભુની પ્રતિમા છે. ભક્તિપૂર્ણ આગ્રહને વશ થઈ અધિષ્ઠાયક દેવે પ્રતિમાજી બહાર કાઢવાનો ઉપાય બતાવ્યો. તે અનુસાર જુવારના સાંઠાની પાલખી સૂતરના તાંતણે બાંધી કૂવામાં ઉતારી પ્રતિમાજી બહાર કાઢયા. તેને જવારના સાંઠામાંથી બનાવેલા રથમાં જ બિરાજમાન કર્યા. સાત દિવસના જન્મેલા વાછરડા