________________
- ક
%
ર
સચવાયા હોય અને તે ઉપયોગ કરવા માટે મળી જાય, તો એ જ પ્રતિનું એવું જ પુનર્મુદ્રણ કરવાથી આ તકલીફ દૂર થઈ શકે.
અમાએ તરત જ એ બ્લોકોની તપાસ કરાવી, તે એ તમામ બ્લેક સારી હાલતમાં સચવાયા હોવાનું જણાયું, એટલું જ નહિ, પણ એ બ્લેક જે સંસ્થાઓ વગેરે પાસે હતા તેઓએ, અમે જે આ પ્રતિ છપાવીએ તે તે વાપરવા દેવા માટે આપવાનું પણ કબૂલ્યું. આથી અમારે ઉત્સાહ બેવડાયો અને અમે પૂજ્ય આચાર્ય મહારાજને આ ગ્રંથનું સંપાદન અને મુદ્રણકાર્ય કરાવવા માટે વીનવ્યા. તેઓશ્રીએ પણ, આર્થિક અને વહીવટી જવાબદારીઓ અમે સંભાળી લેતાં હોઈએ તો એ કાર્ય માટે પોતાની સંમતિ દર્શાવી. એનાં ફળરવરૂપે શ્રી બારસાસૂત્ર-પ્રકાશન સમિતિ'ની સ્થાપના થઈ.
આ ગ્રંથનાં પ્રકાશનમાં થનાર ખર્ચને અંદાજ જોતાં, કોઈ એક કે બે-ત્રણ વ્યક્તિઓ માટે આ કામ કરવું શકય ન હતું. અને કદાચ એ શક્ય બને તે પણ શ્રીસંધની સેંકડો વ્યક્તિઓને શ્રુતભક્તિને લાભ ન જ મળી શકે. આ તમામ વિચાર કરીને અને આ ગ્રંથ પ્રકાશનના અંદાજ ખર્ચને પહોંચી વળવા માટે, અમે, નકલો | નેધવાનું નક્કી કર્યું. અને અમારાં ભારે આશ્ચર્ય વચ્ચે શ્રીસંધે અને ખાસ કરીને સૂરતના શ્રીસંઘે આ યોજનાને હર્ષભેર વધાવી લીધી અને એમાં પૂરો સહકાર આપ્યો. સૂરતના અને સૂરત બહારના જે સંધએ, ટ્રસ્ટીએ તથા વ્યક્તિઓએ આ કાર્યમાં સહકાર આપ્યો છે, તેઓની અલગ નામાવલી આ સાથે આપી છે.
ર
રર