________________
જગદૂવલ્લભ શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમ:
શ્રી ગૌતમ સ્વામિ ભગવતે નમ: | નમો નમ: શ્રી ગુરુનેમિસૂરયે .
ભૂમિ કા.
સૂરતના શેઠ શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર કુંડ તરફથી, લગભગ ૪૭ વર્ષો પૂર્વે, વિ. સં. ૧૯૮લ્માં પ્રકાશિત થયેલ શ્રી ક૯પસૂત્ર (બારસા સૂત્રોનું પરિવર્ધિત પુન: સંસ્કરણ, શ્રીનેમિનન્દન ગ્રંથમાલાના છઠ્ઠા ગ્રંથ તરીકે, શ્રીસંધના કરકમલમાં મૂકતાં અમે પરમ હર્ષ અનુભવીએ છીએ.
શ્રીકલ્પસૂત્ર એ આપણે પરમ પવિત્ર અને પૂજનીય એવો આગમગ્રંથ છે, જેનાં શ્રવણથી, મનનથી, વાચનથી અને પૂજનથી પણ ભવ્ય આત્માઓ સંસારને પાર પામવાનું સામર્થ્ય મેળવી શકે છે. આ વિષમકાળમાં પણ ભગવાન વીતરાગદેવનાં શાસનને પામી શકેલા આત્માઓનું એ સદ્દભાગ્ય જ ગણાય કે તેઓને શ્રીપર્યુષણ મહાપર્વના મંગલ દિવસમાં આ શ્રીકલ્પસૂત્રનાં વાચન અને શ્રવણને અધિકાર સાંપડ્યો છે. આ અધિકાર કેટલો દુર્લભ, ગૌરવારપદ અને ધન્યભાગ્યની નિશાનીરૂપ છે તે સમજવા માટે માત્ર એક જ શાસ્ત્રવચન અહીં ટાંકીશું:
દેવ