SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ' પણુ ષણ પર્વને ' પાંચ કર્તવ્ય સાધર્મિક વાત્સલ્ય કત ૧ લે દિવસ દિવસોમાં પણ સારો માર્ગ બતાવે, હિંમત આપે, આશ્વાસન આપે, અને વ્યવહાર સુધારે. કુછ શ્રાવિકા પાસે વીતરાગનો ધર્મ હતો. તેણે સાંતનુને જે પ્રમાણે રસ્તો બતાવ્યો તે પ્રમાણે કરવાનું સાંતનુએ મનોમન નક્કી કર્યું. બીજે દિવસ થયો, પ્રતિક્રમણ કર્યું, અને સમય થતાં તરત જ પ્રતિક્રમણ પારી લીધું. શેઠે જે હાર કાઢીને બાજુ ઉપર મૂક્યો હતો તે ઉપાડી લીધો. ભારે હૈયે, ભારે પગલે તે ઘેર પહોંચ્યો. હાર કુછ દેવીને આપે. આ બાજુ જિનદાસ શેઠ ઊડ્યા; કેટ પહેર્યો પણ હાર ત્યાં ન મળે. તેમને નવાઈ લાગી. હાર કયાં ગયો ? અહીં કોઈ આવ્યું તો નથી ! તે સમજી ગયા કે આ હાર સાંતનુ સિવાય અન્ય કેઈએ લીધો નથી. પણ તે ચૂપ રહ્યા અને ઘેર ગયા. જિનદાસે સાંતનુની કફોડી સ્થિતિનું અનુમાન કરી લીધું, અને મનમાં નિર્ણય પણ કરી લીધો કે હવે શું કરવું ? . સાંતનુને રાત્રે ઊંઘ ન આવી. તેને મનમાં વિચાર આવતું હતું કે કાલે પકડાઈ જઈશ તો શું થશે ? આજ સુધી અનીતિ-અન્યાયના પાપ કર્યો નથી. તેણે પત્નીને પૂછયું કે “આ હારનું હવે શું કરવું?' કુંજીદેવીએ જિનદાસ શેઠને ત્યાં જ હાર ગીરવે મૂકવાની સલાહ As આપતાં કહ્યું કે એથી બહાર આબરૂ નહિ જાય. વળી એ શેઠના નીતિના ધનથી બંધ છે ? !
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy