SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તવ્ય અમારિ પ્રવર્તાન માટે હું આવું છું. એ ભાવ ન થ જોઈએ. જ્યાં વાત્સલ્ય છે, ત્યાં બિચારાનો ભાવ પર્યુષણ ટકી શકતો નથી, સાધર્મિકની ભકિત કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, સાધર્મિકને પર્વના કરી જોઇને હૈયું પુલકિત થાય, વાત્સલ્યનાં વહેણ વહેવા માંડે અને તેનું બહુમાન કરવા, તેની કર્તા ભકિતનો લાભ લેવા-ધર્મી માણસને ભારે ઉત્કંઠા જાગે. ૧ લે દિવસ - સાધર્મિક ભકિતનું મૂલ્યાંકન આંકતા શ્રીલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજ સાહેબ કહે છે કે, ત્રાજવાના એક પલામાં તમે કરેલા બધા ધર્મ મૂકે એટલે કે મા ખમણ કર્યા હોય, અઠાઈઓ કરેલા હોય, ઉપધાન, ઉજમણું કર્યા હોય, સામાચિકે, પ્રતિક્રમણ કર્યા હોય, દીક્ષા આપી હોય, પ્રતિષ્ઠા કરાવી હાય-વગેરે બધા ધર્મ એક પક્ષામાં મૂકે અને બીજા પલ્લામાં ફકત એક જ સાધર્મિકની એક વખત તમે ભકિત કરી હેય તે ભાવપૂર્ણ ભકિત મૂકે, તે સાધર્મિક ભકિતનું પહેલું નમશે. ' આમ શ્રી લક્ષ્મીસૂરિજી મહારાજ સાહેબ કહે છે કે સાધર્મિક ભકિતથી ઉપાર્જન થતું પુણ્ય બધા ધર્મોના પાલનથી ઉપાર્જન થતાં પુણ્ય કરતાં અધિક થઈ જાય છે. સાધર્મિક તે ધર્મના નાતે ભાઈ છે. તેની ભકિત કરવી એટલે સર્વ ધર્મની ભકિત કરવી. માટે જ સાધર્મિક ભકિતને વિશિષ્ટ સ્થાન આપવામાં આવેલ છે. આટલી બધી વિશેષતા સાધર્મિક છે 8 (૬૮)
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy