SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧] HERE કાઇના હાથમાં નૈવેદ્ય ભરેલા થાળ હાય, તેા કાઈના હાથમાં સુગંધી રંગબેરગી પુષ્પાના થાળ હાય, કાઈના હાથમાં અક્ષતના થાળ હેાય. આવા ચાર-પાંચ થાળ ભરેલા હૈાય. આમ સહુ પૂજા કરવા જતા. હૃદયપૂર્વક પ્રભુની ભક્તિ કરતાં રાજા સુંદર પુષ્યા ચડાવતા. પછી આરતી-મંગળ દીવા ઉતારતા. તે કુમારપાળે એક વાર તા એવી આરતી ઉતારી કે તે અમર બની ગઇ. એથી જ “આરતી ઉતારી રાજા કુમારપાળે” એલાય છે. તમારા દ્રવ્ય વડે તમે હંમેશા જિનપૂજા કરેા. સીનેમા જેવા કારમા પાપની પાછળ કેટલા રૂપિયા ખર્ચી છે ? પતંગ કેટલા ઉડાડા છે. ? રાજના એકના હિસાબે ત્રીસ દિવસ ત્રીસ રૂપિયા જિનપૂજા માટે વાપરો. જરૂર પડે તેા બીજા ખર્ચી ઉપર કાપ મૂકેા. ચા, બીડી, પાન–સાપારી વગેરે ત્યાગેા. બહારનું ખાવાનુ બંધ કરો તા સહેજે ૩૦ રૂપિયા બચશે. ૩૦ નહિ તા ૧૫: ૧૫ નહીં’ તે તેના પણ અડધા. પણ નક્કી કરો કે જિનપૂજા માટે અમુક રકમ તે વાપરવી જ. મહારાજા કુમારપાળે આખું જિનમ ંદિર સ્વદ્રવ્યથી બનાવ્યું. તમે સ્વદ્રવ્યથી નિત્ય પૂજા પણ ન કરી શકેા ? થાડીક પણ ધનની મૂર્છા ઊતરે તે। આ તે રમત વાત છે. અસ્તુ આપણે જોયું કે ચંપા શ્રાવિકા ખૂબ ઠાઠમાઠથી પ્રભુદર્શન માટે જતી. કહ્યું છે કે, શ્રીમતે GEE [૨૧]
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy