SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવી. તેમાં હંમેશ દોષો લખતા રહેવા. પછી દર વરસે એક વાર ગુરૂ પાસે આલોચના લેવી જ. આ જે ન થાય તો બધું નકામું. જ્યાં સુધી આત્મશુદ્ધિ ન થાય ત્યાં સુધી બધી આરાધના નકામી. શિલ્પશાસ્ત્રમાં કહેલ છે કે જ્યાં મકાન કે મંદિર બંધાવવું હોય ત્યાંની જમીન શલ્ય રહિત બનાવવી. એટલે કે તેના પાયામાં કયાંય હાડકું ન રહેવું જોઈએ. શલ્યશુદ્ધિ થવી જોઈએ. જે શલ્યશુદ્ધિ ન થાય તો ત્યાં રહેનાર સુખી થતું નથી. તેનું જીવન બંગલાના માલિક તરીકે ચાલ્યા કરે, પણ જયાં ત્યાં મુશ્કેલીઓ આવ્યા કરે. તમે ગમે તેટલે ધર્મ કરે, ગમે તેટલી આરાધના કરો પણ પ્રાયશ્ચિત્ત વગર તે આરાધનામાં આનંદ નહીં આવે. ઉપધાન કરશે તે ય ત્યાં શાંતિ વળશે નહીં. શત્રુંજય ઉપર જાઓ તે ય ત્યાં તેની સ્પર્શના થશે નહિ. શલ્યની શુદ્ધિ ન થાય ત્યાં સુધી આરાધક ભાવની વૃદ્ધિ ન થાય. જીવન શદ્ધિ થયા પછી ધર્મના બધા વેગે ઊંચે આવશે. મૂળમાંથી શલ્ય ન જાય ત્યાં સુધી જીવનનું ઠેકાણું પડતું નથી. પ્રાયશ્ચિત્ત કરેલ પાપી આત્મા મોક્ષે જઈ શકે છે. પણ પ્રાયશ્ચિત્ત જ ન કરેલ મહા પુણ્યશાળી આત્મા પણ મેક્ષે જઈ શકતો નથી. પૂજા કરો, ભકિત કરો, કઈ છે પણુ આરાધના કરો. પણ જ્યાં સુધી પ્રાયશ્ચિત્ત ન કરે ત્યાં સુધી બધું મેક્ષદાતા બનતું જ નથી. પ્રાયશ્ચિત્તની શક્તિ અજોડ અને અમોઘ છે. દઢપ્રહારીએ ચારે પ્રકારની હત્યા કરી ?
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy