SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ . હના આવ્યા નથી. હવે હું જ તેમની પાસે જઈને ક્ષમા માંગી આવું.” સંઘને સામાયિકમાં [૧૫] નવકાર ગણતે બેસાડ્યો અને મહોપાધ્યાયજી એક શિષ્યને લઈને શેઠને ત્યાં ગયા. શેઠ ખાટ પર બેઠા હતા. સાધુને આવતા જોયા એટલે તેણે વિચારી લીધું કે મારે આમને મળવું નથી. હા તે ઊભા થયા અને ધડ દઈને બારણું બંધ કર્યું. હવે કરવું શું? વંડી ઊંચી હતી, તે ઠેકીને જવાય તેવું ન હતું મહારાજે વંડીની ફરતે ચાર માર્યું. ત્યાં એક જગ્યાએ થોડી દિવાલ પડી ગએલી જોઈ. ત્યાંથી ઠેકડો મારીને તેઓ અંદર ઊતર્યા. શેઠ પાસે જઈને બોલ્યા, “મિચ્છામિ દુકકડ” આટલું બોલતાં જ મહાપાધ્યાયજી ગદગદ થઈ ગયા. તેમનો કંઠ રૂંધાઈ ગયે. શેઠનો પણ રોષ એકદમ ઓગળી ગયો. શેઠ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ગુરૂ ચરણે પડી ઈ ગયા. પછી તેમને સાથે લઈને જ મહારાજ ઉપાશ્રયે આવ્યા. બધાની સાથે પ્રતિક્રમણ કર્યું અને સંધની જય જય બોલાવી. આનું નામ સાચી ક્ષમાપના. S (૫) બાળ ખૂની માતા–બે બાળક હતા. એક દી દિવાલ વિનાની અગાસી ઉપર ચડ્યા; છે ત્યાં રમવા લાગ્યા. રમતા બે ય ઝગડી પડ્યા, એક બાળકે બીજાને ધકકો માર્યો. અગાસી પરથી તે બાળક નીચે પડયું અને તત્કાળ મરી ગયું. તેની ખોપરી ફાટી ગઈ. બીજું બાળક ત્યાંથી SS પિતાના ઘરે નાસી ગયું. . છે [૧૦]
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy