________________
कथासंग्रह
પ્રકાશકીય શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ સાત ક્ષેત્ર પૈકી આગમોના પુનરુદ્ધારનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે....લગભગ ૧૫૦ થી ઉપર આગમાદિ પ્રાચિન પ્રતિઓની ૪૦/૪૦ નકલ કરી ભારતભરના સંઘોમાં ભેટ રૂપે મોકલી આપી છે. ને હજી આ શ્રતોદ્ધારનું કાર્ય દેવ ગુરુની અસીમ કૃપાથી ચીલ ઝડપે ને સુંદર રીતે આગળ વધી રહ્યુ છે.
આજે શ્રી જૈન કથાસંગ્રહ ભાગ-૧ ને પુનઃ પ્રકાશીત કરતા ટ્રસ્ટ અત્યંત આનંદ અનુભવે છે. પૂર્વના મહર્ષિઓએ જે આદર્શ મહાપુરુષોના જીવન ચરિત્રનું આલેખન કર્યું છે તે નાની નાની છુટી છવાયી ને અદ્ભુત આદર્શરૂપ કથાઓ પુનઃ સંપાદિત થતા એક વિશિષ્ટ કથા સંગ્રહ ગ્રંથ જૈન સંઘમાં પુનઃ પ્રકાશીત થઇ રહ્યો છે...
કથાઓના પુર્વ પ્રકાશક પ્રત્યે આ પ્રસંગે ખૂબજ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. મુનિશ્રી કલ્યાણબોnિ વિજયજી મહારાજે આ કથા સંગ્રહને સંપાદિત કરવાનો સુંદર પ્રત્યને કર્યો છે...
અંતે આ મહાપુરુષોના કથાચરિત્રના વધુ ને વધુ વાંચનથી તેના આદર્શોને સામે રાખી અધ્યાત્મિક વિકાસની કેડીએ સૌ કોઈ આગળ વધતા રહે એજ એક અભ્યર્થના
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ ચંદ્રકુમારભાઈ બી. જરીવાલા
લલિતભાઈ આર કોઠારી નવીનભાઈ બી. શાહ
પુંડરીકભાઈ એ. શાહ.....