________________
#ાZOD
શ્રાના0િ4110)
Ild
Hટ્ટ
તે. એ બધાં પૂર્વોક્ત શાસ્ત્રને સાંગોપાંગ જાણનારો થશે. રહયસહિત સમજનારો થશે. ચારે પ્રકારના વેદોને પારગામી થશે. જેઓ વેદ વગેરેને ભૂલી ગયા હશે તેમને એ તમારો પુત્ર યાદ કરાવનાર થશે, વેદનાં છએ અંગોને વેત્તા-જાણકાર થશે, ષષ્ટિતંત્ર નામના શાસ્ત્રને વિશારદ થશે. તથા સાંખ્ય શાસ્ત્રમાં કે ગણિત શાસ્ત્રમાં, આચારના ગ્રંથમાં, શિક્ષાના-ઉરચારણના શાસ્ત્રમાં, વ્યાકરણ શાસ્ત્રમાં છંદશાસ્ત્રમાં, વ્યુત્પત્તિશાસ્ત્રમાં, તિષશાસ્ત્રમાં અને એવાં બીજું પણ બ્રાહ્મણશાસ્ત્રોમાં અને પરિવ્રાજકશાસ્ત્રમાં એ તમારો પુત્ર ઘણો જ પંડિત થશે. ( ૧૦ તો હે દેવાનુપ્રિયે! તમેં ઉદાર સ્વપ્ન જોયાં છે યાવતું આરોગ્ય કરનારાં, સંતોષ પમાડનારાં, દીર્ધ આયુષ્ય કરનારાં, મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્ન તમેં જોયાં છે. ( ૧૧ પછી તે દેવાનંદા માહણી રિષભદત્ત માહણ પાસેથી સ્વપ્નના ફલને લગતી આ વાત સાંભળીને, સમજીને હરખાઈ, ગુઠી યાવતું દશ નખ ભેગા થાય એ રીતે આવર્ત કરીને, અંજલિ કરીને રિષભદત્ત માહણને આ પ્રમાણે કહેવા લાગી: ( ૧૨ હે દેવાનુપ્રિય ! જે તમે ભવિષ્ય કહો છો એ એ પ્રમાણે છે, હે દેવાનુપ્રિય ! તમારું કહેલું એ ભવિષ્ય તે પ્રમાણે છે, હે દેવાનપ્રિય ! તમારું ભાખેલું એ ભવિષ્ય સાચું છે, હે દેવાનુપ્રિય ! એ સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય ! મેં એવું ઇરછેલું છે,
સં. ના. રૂ. વિ. બીરસાસૂત્ર-૧૬