________________
જ
અમે મહત્ત્વના સુધારાને સ્થાન આપ્યું છે. જ્યાં વિશેષ ફરક દેખાય, ત્યાં પાઠાંતર તરીકે નોંધ્યું છે. એ સિવાય ત્રણમાંથી બે પ્રતમાં સમાન મળતા પાઠને સ્થાન આપ્યું છે ને અલગ પાઠની ઉપેક્ષા કરી છે. એમ કરવામાં અમે જે કાંઈ અનુચિત કર્યું હોય, એની ક્ષમાયાચના કરીએ છીએ.
તપસ્વી-વૈયાવચ્ચી-સ્વાધ્યાયી મુનિરાજશ્રી વિમલબોધિ વિજયજી મહારાજે ભારે પરિશ્રમ કરી પ્રસ્તુત પ્રતનું સુંદર સંપાદન કરી શ્રુતેચ્છુક વર્ગને પ્રમોદ પમાડ્યો છે અને આ પ્રતવાંચન વર્તમાન અભ્યાસુવર્ગના વાંચન માટે સુલભ બનાવ્યો છે, તેથી ધન્યવાદ પાત્ર છે. - પ્રાંતે આ ગ્રંથવાંચનથી, શ્રવણથી શ્રદ્ધાળુવર્ગ આત્મોન્નતિના માર્ગે આગળ વધે એવી હાર્દિક શુભેચ્છા છે...
તનોતુ તે વાગુ જિનરાજ ! સૌખ્યમ્ !
મુલુંડ, મૌન એકાદશી, સંવત ૨૦૫૯
- અજિતશેખર વિજય
ધન્યવાદ... શ્રી સંભવનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ વિજયવાડા (ઘ)ના શ્રી સંઘે છે આ જ્ઞાનદ્રવ્યમાંથી આ પ્રતના પ્રકાશનમાં સંપૂર્ણ લાભ લીધો છે, તેથી તેઓ ધન્યવાદ પાત્ર છે. આ જ રીતે 2 વારંવાર શ્રુતભક્તિમાં આગળ વધે એવી શુભેચ્છા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org