SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલ્લવ નવમે Jain Education International શુન્યતાને લીધે આવેલા કાંઇક ઉષ્ણુ આંસુએ ધન્યકુમારના બંન્ને કંધ ઉપર પડયા, ધન્યકુમારે ઉષ્ણ અનિંદુના સ્પર્શથી ઉચુ જ્ઞેય, અને પત્નીના નેત્રમાં આંસુ જેઈ કહ્યુ કે “ પ્રિયે ! આ અશ્રુપાતનું શુ કારણ છે? શું કોઈ એ તારી આજ્ઞાનું ખંડન કર્યુ છે ? અથવા કઈ એ તને મવચા કહ્યા છે ? અથવા કોઈ એ હલકાં વચનો કહ્યા છે? પૂર્વે કરેલ પુન્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ, સકળ સુખથી ભરેલા મારા ઘરમાં તને દુ:ખના ઉદ્દય કેવી રીતે થયો કે જેથી તું આ અકાળે ઉત્પાત કળવનાર વરસાદના કણીઓની જેવા અસુએ પાડે છે. ?” ત્યારે સુભદ્રા ગર્દિ થઈ ને એલી કે સ્વામિન્ ! આપના ભૂવનમાં મને લેશમાત્ર પણ દુઃખ નથી, પરંતુ મારા ભાઈ શાલિભદ્ર રાજા ઘેર આવ્યા તે દિવસથી ઉદાસ થઈ ગયે છે. વીરભગવાનના વચન શ્રવણથી પરમ વૈરાગ્ય વડે તેનું અંતઃકરણ વાસિત થયું છે, તે ન લેવાને ઈચ્છે છે અને હમેશા એક એક પત્નીનો ત્યાગ કરે છે. એક મહિનામાં તે બધી સ્ત્રીઓને તજી દેશે અને પછી વ્રત ગ્રહણ કરશે. તે વખતે મારા પિતાનું ઘર ભાઇ વગરનું અરણ્ય જેવું ઉદ્વેગ કરનારૂ થઈ પડશે. ભાઈ જશે એટલે પછી પ્રાંતવ રક્ષાબંધન હું કોને કરીશ ? કાણુ મારી પસલી આપશે ! કણુ મને પ'માં અને શુભ દિવશેમાં આમત્રણ કરશે ? કયા શુભ હેતુથી ઉત્સાહપૂર્ણાંક હું પિતાને ઘેર જઈશ! જો કેાઈ વખત પિતાને ઘેર જઇશ તે પણ ઉલટું દુઃખથી ભરાયેલા હૃદય વડે હું પાછી આવીશ સ્ત્રીઓને પિતાના ઘરની સુખવાર્તા સાંભળવાથી અમૃતથી ભરાયું હોય તેમ તેનું હૃદય શીતળ અને પ્રસન્નતા યુકત થાય છે. શ્વસુરના ઘરે ઉદાસ થયેલ સ્ત્રી પિતાને ઘરે જઈને સુખ મેળવે છે. પણ પિતા વગરના અને ભાઈ વગરના ઘરે હુંશીરીતે જઈશ ! આ ભાઇનો ભાવી વિયેાગ સાંભરવાથી મને આંખમાંથી For Personal & Private Use Only * ૩૦૫ www.jainellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy