SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમા પલ્લવ Jain Education International હાય તેવા સાધુ અણુચિ'ત્યા મળી ગયા, એ પ્રમાણે વિચારીને સાત આઠ પગલાં સામા જઈ ને તેણે કહ્યું કે अद्य पूर्वसुकृतं फलितं मे, लब्धमद्य वहनं भववार्थौ । अद्य चिन्तितमपि करमागाद्, वीक्षितो यदि भवान् मुनिराज ॥१॥ “ આજે આપ મુનિરાજના મને દર્શન થયા છે, તેથી આજે જ મને સુકૃત ફળ્યું, ભવસમુદ્ર તરવાને આજે વહાણુ મળ્યું અને ચિંતામણિ રત્ન આજે હાથમાં આવ્યું. એમ હું માનું છું (૧) આજે મને અનાથને પરમનેતા મળ્યા. હે કરૂણાનિધિ ! આ મારી જેવા ગરીબ રાંક ઉપર કૃપા કરીને પાત્ર પ્રસારો આ નિદુષણુ આહારને ગ્રહણકરો અને મને ભવથી પાર ઉતારો.” આ પ્રમાણે ખેલતા તે કુમાર સમગ્ર પિડ ઉપાડી સાધુ પાસે એ હાથમા ધરીને ઉભો રહ્યો. સાધુએ પણ તે આહારને એષણીય કલ્પ્યા જાણીને કહ્યુ કે– “ દેવાનુ પ્રિય ! એમાંથી ઘેાડું આપે। અમે બધું ગ્રહણ કરશું નહીં ” કુમારે કહ્યું કે સ્વામિન્ જો થોડા સંસારના દુઃખ સમૂહમાંથી રક્ષાવાની ઈચ્છા હોય તે તે થાડુ આપે, પણ મારે તે સમૂલ સ’સારનું ઉન્મૂલન કરવાની ઈચ્છા છે, તેથી આ બધું આપવાની ઉત્કંઠા છે. વળી આપ પરમ ઉપકારી નિષ્કારણુ જગત ઉપર એકાંત વાત્સલ્ય ધારણ કરનારા છે. તે મારી જેવા દીન ઉપર કૃપા કરીને આ બધા પિંડ ગ્રહણ કરીને ઘણા દિવસની ધારેલી મારી દાન દેવાની ઇચ્છા પૂર્ણ કરે. જેથી મને નિરૂપાધિક સુખની સાચી પ્રાપ્તિ થાય. આ પ્રમાણે તેને ભક્તિના સમુહથી ભરેલા ભાવે।લ્લાસ For Personal & Private Use Only કે રી www.airnellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy