SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ પહેલવ નવમે Jain Education Interna હણી નાખશે. અને પ’ચેદ્રિયના વધી ખરેખર મને પાપ લાગશે, તેથી મેં ગ્રહણ કરેલ નિયમ મિલન થશે, પાપથી ઉપાર્જન કરેલ યશ દુષ્કૃતના હેતુભૂત થાય છે, તેથી આને જીવતા છેડી મૂકવા તેજ ઉત્તમ છે.” આ પ્રમાણે વિચારીને તેને જીવતો છેડી દીધા. તે જ ક્ષણે તે ચાર કેઈ સ્થળે નાસી ગયો. કુમારે આ વાત ગુપ્ત રાખવા માટે નોકરને કહ્યું કે- તમારે રાજાની પાસે ચારને મૂકી દીધે, તે વાત ન કહેવી,” સવારે સર્વે નોકરોને ખેલાવ્યા, તે વખતે સર્વે ચાર હાથમાં નહી આવવાથી વિલખા થઈ ને રાજાને નમીને ઊભા રહ્યા. રાજાએ કહ્યુ કે “અરે સિપાઇએ ! ચાર હાથમાં ન આવ્યો ?’ તે સર્વેએ કહ્યું કે સ્વામિન્! ન આવ્યે સભા જયારે વિસર્જન થઈ ત્યારે કુમારના કોઇ નોકરે રાજા પાસે વહાલા થવાને તથા રાજાના દંડના ભયથી રાજા પાસે કુમારે ચારને છોડી દીધાની બધી હકીકત છાની રીતે કહી દીધી, તે સાંભળીને કોપાયમાન થયેલા રાજાએ વસ્ર આભરણાદિ લઈ લઇને કુમારને દેશવટા આપ્યા. તે પેાતાના કની નિંદા કરતો માગે ચાલવા લાગ્યો. અને વિચારવા લાગ્યો કે મે પૂવે દુષ્ટભાવથી ઘણા પંચેન્દ્રિય જીવાનુ મારણ, તાડન વિગેરે દ્વારા બહુ પાપ કર્યું છે, તેના આ ફળ છે. આટલાથી હું હજુ કેમ છુટીશ ? કારણ કે આગળ શું થશે, તે હું જાણતો નથી! કહ્યું છે કે અતિ ઉગ્ર પુન્ય પાપનું ફળ આ ભવમાં જ મળે છે.” આ પ્રમાણે આત્મનિંદા કરતો તે વનમાં ફરવા લાગ્યો. ફળાદિક વડે પ્રાણવૃત્તિ કરતાં કેટલાક દિવસ સુધી ફરીને તે ભદ્દીલપુર નામે ગામ પાસે આવ્યો, અને ક્ષુધાર્થી પીડાયેલા તે કુમારે નગરમાં પ્રવેશ કર્યાં ભવ્ય છવા ? જીઆ ! દુષ્ટ થયેલ વિધિ શું કરતો નથી ? કહ્યુ` છે કે— For Personal & Private Use Only EXY KEF * ૨૮૯ www.jainellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy