SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમે પલ્લવ SSSSSSSSSSSSSSSSSSSSSB3333333 ઉદયમાં આપણું સ્વાધીનપણું નથી. ત્યાર પછી તેની ચિંતા કરવાથી શું ફળ? તેમ છતાં આર્તધ્યાનને વશ થવાથી જીવે પાપકર્મ જ બાંધે છે. ભવ્યપુરૂએ પ્રતિક્ષણે હેય ને ઉપાદેય વડે સારી રીતે કર્મના બંધની ચિંતા કરવી, કારણ કે કર્મને બંધ કરવો તે તે સ્વાધિન છે. હે પાદેયના જ્ઞાનથી પ્રાયે પાપ કર્મ બંધ થતું નથી, અને પુણ્ય કમને બંધ થાય છે, વળી શુભ ઉપયોગથી પૂવ કરેલા અશુભ કર્મને રસ બંધ મંદસ્થિતિવાળો થાય છે. અને સ્વ૯૫ રસવાળા કર્મોની નિર્જરા થાય છે. તેથી શુપગ વડેજ કાલક્ષેપ કરે એવી જિનેશ્વરની આજ્ઞા છે, વળી આપ તે આગમવાસિત અંતઃકરણ વાળા છે તેથી તમારે અદીય ખેદ હોય જ નહિ. આ પ્રમાણે આશ્વાસન આપીને તેણે પિતાના ઘરમાં મને રાખ્યો. હું પણ જિનેશ્વરની આજ્ઞાને ધારણ કરીને કર્મના ઉદયની ચિંતા ત્યજી દઈ તેને ઘેર રહો. પછી તેણે સારે દિવસે ગુપ્ત સ્થળે બેસાડી પિતાના ઘટમાં રહેલી બધી વિદ્યા ચિત્તની પ્રસન્નતાથી મને આપી, મેં પણ વિધિ પૂર્વક તે ગ્રહણ કરી, પછી સારા મુહર્તાવાળે દિવસે પિતાની શકિત અનુસાર મહો ત્સવ કરીને તેની પુત્રી મને પરણાવી, પછી ગૃડભાર બધે મને સોંપીને પિતે નિશ્ચિત થઈ ધરમાંજ રહીને ધર્મારાધન કરતાં કાળ નિર્ગમવા લાગ્યો. એક દિવસ પિતાની આયુષ્ય સ્થિતિ સંપૂર્ણ થયેલી જાણીને સમાધિ વડે વિધિ પૂર્વક આરાધના કરી તે મૃત્યુ પામ્યા. હું પણ તેના મૃત્યુ કાર્યો કરીને ધર્મ, અર્થ અને કામ ત્રણે વર્ગની સાધના કરવામાં તત્પર થયો છતે ત્યાં રહેવા લાગે. મારી સાથે સાંસારિક સુખ ભાગવતાં દ્વિજ પુત્રીએ ગર્ભ ધારણ કર્યો. સમય થયો ત્યારે તેણે પુત્રને જન્મ આપે તેનું ધનદત્ત એવું નામ પડયું પ્રતિપાલન કરાતો તે પુત્ર આઠ વર્ષને થયો. પછી તેને વિદ્યાશિખવવા માંડી પ્રાયે ધણી વિદ્યાઓ કે ૨૬૭ Jain Education International For Personal & Private Use Only ww.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy