SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ પ્રથમ પલવ ખુશ કરવા માટે પીળી તુવેરની દાળ પીરસવામાં આવી, તે સાથે બહુજ સુગંધી ઘી તથા અઢારજાતના શાક દરેકના ભાણામાં આવ્યા, તે સિવાય જમનારના હાસ્ય જેવા સફેદ કરંબા પણ પીરસવામાં આવ્યા. આ પ્રમાણે જાતજાતની જમવાની ચીજોથી બધા સગાવાલાએ આનંદથી જમ્યા. જમ્યા પછી સર્વેને પાન-સોપારી વિગેરે તાંબુલ આપવામાં આવ્યું ત્યાર પછી સગાવાલા તથા જ્ઞાતિના લેકે ધન્યકુમારનાં વખાણ કરતા કરતા પિતપતાને ઘેર ગયા. હવે બાકી રહેલ દ્રવ્ય ખરચીને તેણે પોતાની ભાભીએના જાતજાતના ઘરેણાં કરાવ્યાં. તેમાં હાર, અહાર, એકસેર’ ત્રણ પાંચસેર સાતસેર તથા અઢાર સેરવાળા હાર તથા બીજા કનકાવળી, રત્નાવલી અને મુક્તાવાળી વિગેરે કેડ, ડોક, કાન, હાથ વિગેરેમાં શોભે તેવા ઘરેણા કરાવી તેમને આપ્યા. ભાભીઓ બહુ ખુશ થઈને પિતાના દિયરને કહેવા લાગી કેહે દિયરજી ! અમારા આગલા કેઈ પુણયથીજ તમારે જન્મ થો લાગે છે, વાહ ! કેવી અદ્ભૂત તમારા ભાગ્યની રચના છે ! કેવું અદ્ભૂત તમારું ભાગ્ય છે ! ધનના મૂળ બીજ જેવા વ્યાપારમાં પણ તમારી કુશળતા કેવી છે ? અને બધી બાબતોમાં કુશળ હોવા છતાં તમારામાં નરમાશ કેટલી બધી છે ! અહા ! આટલી નાની વયમાં પણ તમારૂં સર્વ વર્તન એક ઠરેલ માણસને શેભે તેવું છે ! હે દિયરજી ! તમે દીઘયુષી થાઓ, ખૂબ આનંદ મેળવે, જય પ્રાપ્ત કરે, અમને પાળે, લાંબા વખત સુધી સગાવાલાને આનંદનું સ્થાન બને તથા તમારા સારા ચરિત્રથી પિતાના વંશને પવિત્ર કરો, આ પ્રમાણે ભાભીએ પિતાના દિયરના વખાણ કરવા લાગી. એ પ્રમાણે પિતાની સ્ત્રીઓથી ધન્યકુમારની પ્રશંસા સાંભળી ધનદત્ત વિગેરે ભાઈઓ તેની વિશેષ ઈર્ષ્યા કરવા લાગ્યા. પિતાએ ઈર્ષાયુક્ત તેમનાં વચન સાંભળીને તેમને બેલાવીને આ પ્રમાણે કહ્યું કે-“હે પુત્ર ! ગુણી માણસોના ગુણોની અદેખાઈકરવી તે ઉત્તમ પુરૂને ચેચ નથી. “ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–આગની જવાળામાં 38888888888888888888888888888 Jain Education Interra For Personal & Private Use Only ૪૧
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy