________________
SEa8888888888888888888888888
ખરેખર આત્મા ને મોક્ષે લઈ જનાર છે. આ અવસર્પિણીના પ્રથમ તીર્થકર આદીશ્વર ભગવાન ધન સાર્થાવાડુના ભવમાં સુસાધુઓને કેજે સુપાત્ર કહેવાય છે તેમને આપેલ ઘીના દાનના પ્રભાવથી ત્રણે લેકનાનાથ અને દેવેન્દ્રો શકેન્દ્રોને પણ પૂજ્ય એવા તીર્થંકર પરમાત્મા થયા. શાલીભદ્રના પૂર્વભવમાં બાળપણે સુપાત્ર મુની ભગવંતોને જે ભાવપૂર્વક ખીર વહોરાવી તેના પ્રભાવે શાલીભદ્રના ભવમાં દેવેને પણ ઇર્ષ્યા આવે તેવી રીધ્ધી સીધી પ્રાપ્ત કરી.
આ દાનધર્મ સૌભાગ્ય, દીર્ઘ આયુષ્ય સુંદરકાયા અને આરોગ્ય પ્રાપ્ત કરાવવાનું છે. ચાર પ્રકારે જે # ધર્મ બતાવવામાં આવ્યું છે તેમાં દાન ધર્મ ન હોય તો બીજા ત્રણ ધર્મો ત્યાં રહી શકતા નથી. શાસ્ત્રમાં
દાનના પાંચ ભૂષણ વર્ણવવામાં આવ્યા છે. દાન આપતા આંખમાં આનંદના આંસુ આવવા સાથે દાન
લેનાર તરફ અહેભાવ જાગે, ભાવના અને હર્ષથી શરીરના રૂવાંડા ખડા થઈ જાય, સુપાત્ર તરફ અંતરથી 8 બહુમાન જાગે, મુખેથી મધુર વચને નીકળે અને સુપાત્રે દેવાયેલા દાનની સાથે અતરથી અનુમોદનાના
ઉદ્ગાર નીકળે. આવા આભુષણોથી શોભાયમાન થયેલ છે દાન જેનુ, અને સુપાત્રે અપાયેલું છે તે ખરેખર ભવ્યાત્માને કલ્યાણકારી બની રહે છે.
આ પુસ્તકમાં નવપલેવો છે જુદા જુદા પટલમાં જુદા જુદા......અનેક દૃષ્ટાંત દ્વારા જુદા જુદા વિષયે જેવા કે પુરયાનું બંધી પુણ્ય, પાપાનુંબંધી પુણ્ય, ગુણ ઉપર રાગ અને દ્વેષ, ઈર્ષ્યા, વિષયની આશક્તિ, કર્મના વિપાકે, મીયાત્વ, સમકિત, આરાધના ઉદારતા ઉપર ખૂબ વિસ્તાર પૂર્વક કથાઓ સાથે છણાવટ કરવામાં આવી છે.
38888888 89887978938888888888888
Jain Education International
For Personal & Private Use Only
www.nelibrary.org