SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અન્યકુમાર ચરિત્ર ભાગ ૨ આઠમા પલ્લવ Jain Education Intematont બંધુએ તથા તેમની પત્નીએ આવી દુર્દશા અનુભવે તે હું કેવી રીતે જોઈ શકું ? ” આ પ્રમાણે અંતરમાં રહેલા ભક્તિભાવથી તેણે સેવકોને કહ્યું કે અરે સેવકો ? આ પરદેશી વ્યાપારીઓને મારશે નહિ, તેને અમારે ઘેર પ્રીતિપૂર્વક લઈ આવજો” તે પ્રમાણે કહીને ઘેાડા ઉપર બેઠેલા તે સ્વગૃહ તરફ ચાલ્યા ગયા. પછવાડેથી સેવકાએ તેને કહ્યું કે અરે પરદેશીએ ! અમારા સ્વામીને ઘેર તાકીદે ચાલેા, અમારા સ્વામીએ હુકમ કર્યાં છે કે તમને તેમને ઘેર લઈ જવા.” તે સાંભળી તે ભયભીત થયા અને ખેલવા લાગ્યા કે “ અરે! આ વળી અમને ઘેર લઈ જઈને શું કરશે ? ” સેવકોએ તેમને કહ્યું કે “ અરે ! ભય ધરશો નહિ, અમારા સ્વામી ઘરે આવેલાને કોઈ વખત દુ: ખ આપતા જ નથી, તે તે તેનું દુ:ખ હાય તે કૂંડી નાખે છે.” આ પ્રમાણે કહ્યા છતાં પણ તેએ શકાતા શકાતા ધન્યકુમારને ઘેર ગયા. સેવકો તેમને સભાસ્થાનમાં લઈ ગયા, અને તેઓએ વિજ્ઞપ્તિ કરીને કહ્યું કે સ્વામીના હુકમ અનુસાર આ સર્વને અમે અત્રે લાવ્યા છીએ. તે સ` આપને પ્રણામ કરે છે.” ધન્યકુમારે તેમના તરફ જોઇને કહ્યું કે “ અરે વ્યાપારીએ ! કયા દેશમાંથી તમે આવા છે?” તેઓએ કહ્યું કે “સ્વામિન્ ! અમે માલવ દેશમાં રહીએ છીએ, આજીવિકાની પ્રાપ્તિ માટે ગામ(ઘઉં)ની ગુણા ભરી બળદ ઉપર લાદીને અહીં આવ્યા છીએ. પરંતુ અહીં' તે ધાન્ય સાંઘુ છે, તેથી લાભ થતા નથી, પણ ખાટ જાય છે. ’ ધન્યકુમારે પૃયુ` કે પ્રથમથી જ તમારે માલવદેશમાં વાસ છે, કે બીજા કોઈ દેશમાં રહેતા હતા.” તેઓએ કહ્યુ કે “ અમે મૂળ તો ખીજા દેશના રહેવાસી છીએ માત્ર ઉદરવૃત્તિ માટે જ ત્યાં હતા.” ધન્યકુમારે પૂછ્યું કે પહેલાં કયાં રહેતા હતા ? ” તેઓએ કહ્યુ કે–“ સ્વામિન ! કની ગતિની આવ્યા For Personal & Private Use Only 防火防烧烤烧防腐防 ૭૯ - w.jainellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy