SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ આઠમ ૫લવ 68288888888888888888888888888889888 પ્રતરાજાનું આ પ્રમાણેનું કથન સાંભળીને મગધાધિપ બોલ્યા કે “સ્વામિન્ ! આપે જે કહ્યું તે બરાબર છે સાચું જ છે–તે પ્રમાણે જ છે. કારણકે આપે જ્યારે અભયને ત્યાં રાખ્યો ત્યારે આ ગામમાં જે ઉલ્લઠે અને ધૂર્તા હતા, તે બધા સજજ થઈને આખા નગરમાં વિડંબના કરવા લાગ્યા. એક ધૂર્તે તે કપટકળા તથા વચન વડે મને પણ ચિંતારૂપી ખાડામાં પાડે હતે. તેને જીતવાને કઈ સમર્થ નહતું. તે વખતે આ બુદ્ધિશાળીએ બહાર આવીને તે ધૂને પરાજય કર્યો અને મને નિશ્ચિત કર્યો આ એકે જ મારા રાજ્યની આબરૂ સાચવી. મેં પણ ઉપકારના મિષથી મારી કન્યા તેને આપીને સ્નેહસંબંધ વડે તેમને બાંધીને રાખેલા છે, તે પણ વચમાં કેટલેક વખત સુધી મને તથા ધન કુટુંબાદિ સર્વને ત્યજી દઈને તેઓ કયાંક ચાલ્યા ગયા હતા તેથી આપને પણ મનમાં ઓછું લાવવા જેવું નથી. ત્યાર પછી કેટલેક વખત વહી ગયે, ત્યારે પાંચ કન્યા પરણીને મોટી વિભૂતિ સહિત અત્રે પાછા આવ્યા છે. ત્યારબાદ અભય પણ અત્રે આવે. તમારી સાથેના સ્નેહસંબંધની વાર્તા કઈ દિવસ પણ તેમણે મને કહી નથી. તેથી મહારાજે આજે એવી શિખામણ એને આપવી કે જેથી ફરીથી એવું ન કરે ! ” પ્રદ્યોતરાજાએ કહ્યું કે-“મગધાધિપ! હવે તે તેવું કરશે જ નહિ, જગતને વશીકરણ કરવામાં કુશળ એવા તમારા અને અભયકુમારના સંગતિના પાશમાં બંધાયેલા તે હવે બીજે કાંઈ (કયાંય) જશે જ નહિ એ મને ત્રણે યોગથી વિશ્વાસ છે.” આ પ્રમાણે સભામાં બેઠેલા પ્રદ્યોતરાજાએ તથા શ્રેણિકે ધન્યકુમારની પ્રશંસા કરી. અવસર થયો એટલે સભાજનને વિસર્જન કર્યો અને બને મહારાજાએ ધન્યકુમારને સાથે લઈને રાજ્યમંદિરમાં ગયા. અંદરના ભાગમાં રાજસેવકએ વિવિધ પ્રકારની સ્નાન, મજજન તથા ભેજનાદિ સામગ્રી તૈયાર કરી 队研院院認似网网双观观观观瓜院双双双双网院忍院网 Jain Education Intelsat For Personal & Private Use Only A n elibrary on
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy