SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ આઠમે પલ્લવ સિવાય આવાં બદલે આપવાના કાર્ય કરવા જોઈએ. દંભ તે પ્રાણીઓને સર્વત્ર વર્જવા (છોડવા) યોગ્ય કહેલ છે, પણ વ્યવહારને નિર્વાહ કરે હોય ત્યારે શું કરવું ? તેથી આ દંભ લૌકિક પ્રપંચ વડે કરે, પણ લકત્તર પ્રપંચ વડે તે કદિ પણ કરે નહિ, કેત્તર પ્રપંચ તે મોટા અને ગુણવંતના ગુણને પણ નાશ કરે છે અને નિગોદાદિ દુર્ગતિમાં તે આચરનારને ફેંકી દે છે. આ સર્વ આપને દેખાડવા માટે મેં બાળકે આટલી ધૃષ્ટતા-ચપળતા કરી છે.” આ પ્રમાણે અભયનું કથન સાંભળીને પ્રદ્યોતરા જ માથું હલાવી જરા હસીને બેલ્યા કે–“હે અભય ! તે કહ્યું તે બધું સાચું છે. વિધાતાએ સબુદ્ધિ અને દુબુદ્ધિને પાત્ર એક તને જ બનાવ્યો છે. તારા બુદ્ધિપ્રપંચને મર્મ જાણવાને દે પણ શકિતવંત થાય તેમ નથી, તો પછી અમારી તે શી વાત ? તારા રોમે રોમે સેંકડો અને હજારો સદુ અસદ્ બુદ્ધિનો નિવાસ છે, તારી આગળ પિતાની બુદ્ધિને ગર્વ કરવાને કણ સમર્થ છે? તે જે કહ્યું હતું તે કરતાં પણ વધારે કરી બતાવ્યું છે, હું પણ તારી પાસે હાથ જોડું છું. હવે બહુ થયું, માટે કૃપા કરીને મને છોડી દે કે જેથી હું માન ત્યજી દઈને સ્વગૃહે જાઉં.” 88 MBBASASSASSSSSSSSSSSSSSSSSSSS અભયે તે સાંભળીને કહ્યું કે-“સ્વામિન્ ! એમ બેલે નહિ ! આપને મારા પૂજ્યના પણ પૂજ્ય છે. હું તે તમારી આજ્ઞા ઉઠાવનારો સેવક છું, તમારા દાસતુલ્ય છું, કઈ પણ જાતની આશંકા મનમાં લાવશો નહિ. અમારે ઘેર આપના પધારવાથી અમે કલ્પવૃક્ષ, સુરગંગા અને ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક માનશ. મારા પિતા પણ આપને મળવાને અત્યંત આતુર છે. વરસાદના આગમનથી કદંબ Jain Education Inter! For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy