SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ પુલવ આઠમી છુટકે થશે નહિ.” આ પ્રમાણે વિચારીને તે પિકાર કરવા લાગે, એટલે શેઠ પણ આડંબરપૂર્વક ચાલ્યા. રાજા કહેવા લાગ્યો કે “અરે અમુક શેઠ ! અરે અમુક પ્રામાધિકારી ! અરે નગરજને ! મને મૂકો, મૂકાવે ! આ અભય મને પકડીને લઈ જાય છે! શું જુઓ છો ! તાકીદે છેડા ! અરે સામત ! તમે કેમ કેઈ લક્ષ આપતા નથી ? કપટથી મને પકડીને તે લઈ જાય છે, મૂકા! મુકો ” આ પ્રમાણે તે વારંવાર પિકાર કરવા લાગ્યો, પણ હંમેશા તેવું સાંભળવામાં આવતું હોવાથી તેનાં વાકયો કેઈ સાંભળતું નહતું.—કાને ધરતું ન હતું. કેટલાક તે ઘણા કોલાહલથી બહેરા થઈ જવા જેવા થવાને લીધે તેના વાક્યો તેના કાન સુધી પહોંચતાં પણ નહતા. શેઠે સર્વથી આગળ થઈને કહ્યું કે-“અરે ! તમે બધા ત્વરા (જઠી)થી નગર બહાર જાઓ, આગળ કુયેગ થવાને સમય થશે.” આ પ્રમાણે કહીને ત્વરિત ગતિથી નગરની બહાર તેઓને મોકલી દીધા. ખાટલામાં રહેલા પ્રોત રાજાએ ઘણે પિકાર કર્યો, પરંતુ તે તે તેની હંમેશની ક્રિયા છે.'' એમ માનતા કે એ જરા પણ તેને પિકાર કાન ઉપર પણ ધાર્યો (ધ) નહિ. નગરથી બાર કેટલીક ભૂમિ ઉલંધ્યા પછી તે અભય શેઠ સર્વેને પાછા વાળવાના મિષ (બડાના)થી ઊભા રહ્યા. લેકના સમૂડ અને કેલાહલ તે વખતે જરા ઓછો થયે. શેઠે સેવકને હકમ કર્યો કે “તમે આ ખાટલામાં રહેલા મારા ભાઈને લઈને ઉતાવળી ગતિથી બે ઘડીની પહેલાં જ આ નગરની સીમા છોડી દેજે. જેથી કુગને સ્પર્શ ન થઈ શકે.” તેથી સેવકે તે ખાટલાને ઉપાડીને આગળ દેડતા ચાલ્યા ગયા. શેઠ સર્વજનની સમક્ષ ફરીવાર પણ કહ્યું કે-“મારે તે આ બધું ભાઈને માટે કરવું પડે છે, બીજું Jain Education Interation For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy