SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ પલવ આઠમે 欧姿姿姿底座空&悠欧欧欧欧欧欧医医医医医欧欧医 અને વેશ્યાઓએ શેઠને છે,ધી હકીકત નિવેદન કરી. શેઠે બીજે દિવસે સર્વે વ્યાપારીઓ તથા શેઠી અને એકઠા કરી કહ્યું કે“મારે જે ભાઈનું દુઃખ છે, તે તમે સારી રીતે જાણે છે. ઘણા ઔષધ તથા મંત્રાદિક વડે પણ તે સાજો થતું નથી. એક દિવસ અમારે ઘેર દુર દેશથી એક બુદ્ધિશાળી અતિથિ ભિક્ષા લેવા માટે આવ્યો હતે, ઉપકાર પરાયણ તે અતિથિ મારું દુઃખ જઈને કહેવા લાગે કેઅરે ! શેઠ! નકામે પ્રયત્ન શું કામ કરે છે? આને દુષ્ટ દેવતાએ અધિણિત કરેલ છે. તેથી કોઈપણ ઉપાય વડે આ સાજો થશે નહિ. પણ જાતે તમારે તેને સાજો કરે જ હેય, તે તમે અમુક તીર્થે જાઓ, ત્યાં આશાપુરી નામે દેવી છે, તેદેવાલયની પાસે સર્વ દેષને ચૂરનાર સર્વપદ્ધર નામનું એક સરેવર છે. ત્યાં એકવીસ દિવસ સુધી સ્નાન કરીને તે દેવની પૂજા કરજે, તેમ કરવાથી આ તમારા ભાઈનાં સર્વ દે નાશ પામી જશે.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને ત્યાં જવાની મેં આકરી બાધા રાખી છે, તેથી મારે ત્યાં તાકીદે જવું જ જોઈએ, ત્યાં જવા-આવવામાં ત્રણચાર મહિના લાગશે, તેથી જેનું જે કાંઈ લેવું હોય તે લઈ જજે અને દેવું દઈ જજે.” તે સાંભળીને સર્વે વ્યાપારીઓએ કહ્યું કે- “શેઠ ! તમે સુખેથી ત્યાં જાઓ, તમારા ભાઈથી તમને થતી વિડંબનાનું દુઃખ જેવાને અમે પણ સમર્થ નથી. આપની જેવા સજજન પુરુષને આવી વિબણું હેવી ન જોઈએ. અમે તે હંમેશા આશીષ આપીએ છીએ કે તમારી વિડંબના દર થઈ જાઓ. અમારા લેણાની અમારે જરાપણ ચિંતા નથી. કારણ કે તમારી પાસે જે લેણું છે તે અમારા ઘરમાં જ છે. અમે તે તમારા ગુણોથી ખરીદાયેલા છીએ. તમે બહુ ખુશીથી ત્યાં જઈ મનનું ધારેલ કાર્ય સિદ્ધ કરીને તાકીદે અત્રે આવજો. આપનું દુઃખ ટાળવાથી આપને અને Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy